Opinion Magazine
Number of visits: 9446796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક્ટિંગ અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરીને ‘વિજેતા’ બનેલા એક્ટર વિક્ટર બેનરજી

નિલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|22 August 2019

આજે આપણે એક એવા ભારતીય એક્ટર વિશે વાત કરીશું કે જેઓ દેશ-વિદેશના મહાન ડિરેક્ટરની ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. વિક્ટર બેનરજી નામના એક્ટર અંગ્રેજી, હિન્દી, બંગાળી અને અસામી ભાષાની ફિલ્મોમાં તેમના અભિનયની પ્રતિભા દેખાડી ચૂક્યા છે અને તેઓ જે મહાન ડિરેક્ટરની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, તેમાં જેમ્સ આઇવરી, સર ડેવિડ લીન, સત્યજીત રાય, મૃણાલ સેન અને શ્યામ બેનેગલનો સમાવેશ થાય છે.

એક જમીનદાર બંગાળી હિન્દુ પરિવારમાં જન્મેલા એક્ટર વિક્ટર બેનરજીએ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક કર્યા બાદ જાદવપુર યુનિવર્સિટીમાંથી કમ્પેરેટિવ લિટરેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વિક્ટર બેનરજીએ સૌ પ્રથમ મહાન ભારતીય ફિલ્મમેકર સત્યજીત રાયની એકમાત્ર હિન્દી ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં અભિનય કર્યો ત્યારબાદ તેઓ બોલિવૂડ ડિરેક્ટર શ્યામ બેનેગલની ફિલ્મ 'કલયુગ' અને 'આરોહણ'માં જોવા મળ્યા. વર્ષ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ 'આરોહણ'માં વિક્ટર બેનરજી એક જમીનદારના નકારાત્મક પાત્રમાં જોવા મળ્યા હતા. વિક્ટર બેનરજીને એ સમયે ઈન્ટરનેશનલ ઓળખ પ્રાપ્ત થઈ કે જ્યારે તેમણે હોલિવૂડ ફિલ્મમેકર ડેવિડ લીનની ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'માં ડૉ અઝીઝ અહેમદનું પાત્ર ભજવ્યું. 'અ પેસેજ ટૂ ઈન્ડિયા' નામની નવલકથા પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મને કુલ 11 ઓસ્કર નોમિનેશન્સ પ્રાપ્ત થયા હતા. આ ફિલ્મનું શૂટિંગ ભારતના વિવિધ પ્રદેશોમાં કરવામાં આવ્યું હતું. વિક્ટર બેનરજીએ જે અન્ય બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો તેમાં 'જોગર્સ પાર્ક', 'માય બ્રધર … નિખિલ', 'સરકાર રાજ' જેવી કેટલીક ફિલ્મોનો સમાવેશ થાય છે.

પરંતુ, આજે એક્ટર વિક્ટર બેનરજીની અહીં ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમણે ફિલ્મજગત માટે જે વિશિષ્ટ કાર્ય કર્યું છે તે ભાગ્યે જ ફિલ્મજગતની સાથે સંકળાયેલા લોકો કરી શકે છે. વિક્ટર બેનરજી તેમની એક્ટિંગ માટે જેટલા પ્રખ્યાત છે તેટલા જ પ્રખ્યાત તેઓ તેમના સામાજિક કાર્યો માટે પણ છે. તેમણે દેશ-વિદેશની જે કોઈ ફિલ્મમાં કામ કર્યું ત્યાં તેમણે સહકર્મીઓ(સહઅભિનેતા)ના હક માટે અવાજ ઉઠાવ્યો છે. એક્ટિંગના કાર્યને સામાજિક જવાબદારી સમજનાર વિક્ટર બેનરજીએ એક સમયે ફિલ્મોમાં કામ કરતા એક્સ્ટ્રા કલાકારોના હક માટે લાંબી લડત ચલાવી હતી.

સૌથી વધુ બંગાળી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા વિક્ટર બેનરજી જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં ગરમીના સમયમાં ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારો પાસે દિવસના 8થી 10 કલાક કામ કરાવવામાં આવતું હતું, તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા અને તેઓને બાળકો સાથે ગરમીમાં સતત ઊભા રહેવું પડતું હતું. ગરીબ વિસ્તારોમાંથી આવતા એક્સ્ટ્રા કલાકારોને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નહોતી અને કામના પૈસા આપવાના બદલે એક ટાઈમનું જમવાનું આપીને પરત મોકલવામાં આવતા હતા. વિક્ટર બેનરજીએ આ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો, તેમની સાથે પણ માનવીય વ્યવહાર થાય અને કામ પૂરતું વળતર મળે તે માટે લાંબી લડત ચલાવી. આ એક્સ્ટ્રા કલાકારોને આખા દિવસનું કામ કરે ત્યારે માત્ર પાંચ રૂપિયા મળતા હતા, ત્યારે વિક્ટર બેનરજીએ તેમના હક માટે એક યૂનિયનની રચના કરી અને તેનું નામ આપ્યું સિનિક કો-આર્ટિસ્ટ યુનિયન. ત્યાર બાદ એક્સ્ટ્રા કલાકારોને ન્યાય મળ્યો અને તેમના વળતરમાં પણ વધારો થયો. એક સમયે ફિલ્મના સેટ પર આ ગરીબ એક્સ્ટ્રા કલાકારોની સાથે પશુ જેવું વર્તન કરવામાં આવતું હતું તેમાં પરિવર્તન જોવા મળ્યું અને શોષણમાંથી મુક્તિ મળી.

વિક્ટર બેનરજી એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા જણાવે છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિદેશમાં પણ એક્સ્ટ્રા કલાકારોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.  ડેવિડ લીનની હોલિવૂડ ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'ના એક અનુભવની વાત કરતા વિક્ટર બેનરજી જણાવે છે કે મેં ત્યાં ફિલ્મના શૂટિંગ પર જોયું કે સેટ પર એક્સ્ટ્રા કલાકારોને અન્ય કલાકારો કરતાં અલગ પ્રકારનું સાવ સામાન્ય ફૂડ આપવામાં આવતું હતું, કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી આ ભવ્ય હોલિવૂડ ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારોની સાથે થઈ રહેલા ખરાબ વર્તનને વિક્ટર બેનરજી જોઈ શક્યા નહીં અને તેમના હકમાં અવાજ ઉઠાવ્યો હતો. અહીં વિક્ટર બેનરજીને જીત મળી અને ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'ના એક્સ્ટ્રા કલાકારોના વળતરમાં પણ વધારો થયો તેમ જ તેઓનું ફૂડ મેનુ પણ બદલવામાં આવ્યું. માત્ર ભારતમાં જ નહીં પણ ઇંગ્લેન્ડની ફિલ્મોમાં પણ વિક્ટર બેનરજીએ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો કે જ્યાં તેઓને રંગભેદની નીતિનો અનુભવ થયો હતો.

વિક્ટર બેનરજી એકમાત્ર એવા ભારતીય વ્યક્તિ છે કે જેઓને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વિક્ટર બેનરજીને 'Where No Journeys End' નામની ડોક્યુમેન્ટરી માટે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે. 'The Splendour of Garhwal' અને 'Roopkund' નામની ડોક્યુમેન્ટરી માટે તેઓને ડિરેક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને સત્યજીત રાયની ફિલ્મ 'ઘરે બાઈરે' માટે તેઓને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'જોગર્સ પાર્ક'માં વિક્ટર બેનરજીના અભિનયની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. સુભાષ ઘાઈ લિખિત આ ફિલ્મમાં વિક્ટર બેનરજીએ જસ્ટિસ જ્યોતિન પ્રસાદ ચેટરજીનું પાત્ર ભજવ્યું હતું કે જેઓ જેની (પેરિઝાદ ઝોરાબિયન) નામની મોડલના પ્રેમમાં પડે છે. ફિલ્મ 'જોગર્સ પાર્ક'ને સમય કરતાં આગળની ફિલ્મ ગણાવતા વિવેચકોએ તેની ભારે પ્રશંસા કરી હતી. વિક્ટર બેનરજીએ ભારતના મહાન ફિલ્મમેકર સત્યજીત રાયની બંગાળી શોર્ટ ફિલ્મ 'પીકૂ'માં અને રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા આધારિત ફિલ્મ 'ઘરે બાઈરે'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય વિક્ટર બેનરજી ઈન્ટરનેશનલ લેવલે ઈસ્માઈલ મર્ચન્ટ પ્રોડક્શન અને જેમ્સ આઇવરી દિગદર્શિત ફિલ્મ 'Hullabaloo Over Georgie and Bonnie's Pictures’માં પણ એક્ટિંગ કરી ચૂક્યા છે.  

પહાડ અને પ્રકૃતિને પસંદ કરનારા વિક્ટર બેનરજી હિમાચલ પ્રદેશમાં તેમના ઘણાં વર્ષો પસાર કરી ચૂક્યા છે. સાહિત્ય પ્રેમી એવા વિક્ટર બેનરજી અનેક ટૂંકી વાર્તાઓ લખી ચૂક્યા છે અને દેશના વિવિધ ન્યૂઝપેપર્સ તેમ જ મેગેઝિન્સમાં તેમના આર્ટિકલ્સ પ્રકાશિત થયેલા છે. ઉત્તરાખંડને અલગ કરવા માટેની જે ચળવળ ચાલી હતી તેમાં પણ વિક્ટર બેનરજી જોડાયા હતા. વિક્ટર બેનરજી લગભગ 40 વર્ષથી અસમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે "Moran Blind School" નામની શાળા ચલાવે છે કે જ્યાં ચાના બગીચામાં કામ કરતા કામદારો અને ગામના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેઓ "Bird Watchers Association of Uttarakhand"ના બ્રાન્ડ એન્બેસેડર છે. ફિલ્મ સિવાય સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવનાર એક્ટર વિક્ટર બેનરજી ખરા અર્થમાં વિજેતા છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

22 August 2019 admin
← ‘ળ’ કોઈનો નહીં — નહીં; ‘ળ’ કવિતાનો
નોંધપાત્ર નવાં પુસ્તકો : ધીરુભાઈ ઠાકરનું ચરિત્ર, ઍન ફ્રૅન્કની રોજનીશી, કમળાબહેનનાં સંભારણાં, દલિતોના જમીન અધિકાર પરનું સંશોધન, હકારાત્મક સમાચાર કથાઓ …. →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved