Opinion Magazine
Number of visits: 9447124
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભિનંદન અને આવકાર

પ્રકાશ ન. શાહ|Opinion - Literature, Opinion - Opinion|12 January 2024

જતી વેળાએ

પ્રકાશ ન. શાહ

નવનિર્વાચિત પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું તેમ જ નવ્ય કાર્યચમૂ સહિત સૌ સાથીઓનું હૃદયપૂર્વક અભિવાદન – અને એમને આવકાર પણ, અક્ષરશઃ બથ ભરીને.

વિદાય લેતા પરિષદપ્રમુખ તરીકે સૌ સાથીઓ પરત્વે આભારલાગણી પ્રગટ કરવા સાથે ઉમેરું કે એકંદર કાર્યકાળમાં એક તબક્કો ખસૂસ વિષમ હતો … કોરોનાવશ અગતિકતા, અને થોડોક સમય તો જાણે કે રેતીમાં વહાણ ચલાવવાની નિયતિ! પણ જેમ મેઘાણી પ્રાંગણ અને એકંદર પરિસર તેમ પ્રવૃત્તિએ પણ આપણે મહોરું મહોરું છીએ એટલું આ ક્ષણે નિઃશંક કહી શકું.

અલબત્ત એ એક સુભગ જોગાનુજોગ છે કે સમીર ભટ્ટ ત્યારે પણ મહામંત્રી હતા અને અત્યારે પણ મહામંત્રી છે. આ જોગસંજોગમાં જેમ સાતત્યની સુવિધા છે તેમ પ્રથમ કાર્યકાળમાં એમને અને અમને સૌ સાથીઓને જે મર્યાદાઓ સમજાઈ હશે એની દુરસ્તીની દૃષ્ટિએ એ સહજ સજ્જ પણ છે. આ વાત ખરું જોતાં વ્યક્તિગત જ નહીં વ્યાપક સંદર્ભમાંયે સાચી છે. અને એ ઠીક જ છે; કેમ કે ઇતિહાસમાં સાતત્યનો મહિમા અંતે તો શોધનગુંજાશ થકી સ્તો છે.

ગુજરાતીભાષી સૌની આ પ્રજાકીય સંસ્થા, આપણી પરિષદ, એનાં બાલઉત્તરીયને રણજિતરામ સરખા વત્સલવિદગ્ધ ધોવૈયા ને વળી સાજસજૈયા મળ્યા. ૧૯૦૫ના સ્થાપના અધિવેશનને પ્રમુખ તરીકે મળતાં મળે એવા ગોવર્ધનરામ મળ્યા. બડો સર્જનાત્મક કાળ હતો એ … સ્વદેશઆંગણે બંગભંગવશ નવસંચાર હતો, પણે દક્ષિણ આફ્રિકે સત્યાગ્રહ નામે નવ્ય શસ્ત્રાંકુર હજુ ફૂટું ફૂટું હશે, અને આઇન્સ્ટાઇનની સાપેક્ષવાદની થિયરીના આરંભિક ભણકારા વાગતા હતા. સરસ સમજાવી હતી ગોમાત્રિએ આ ઇતિહાસપ્રક્રિયાને, એક કવિમનીષી પેઠે, Rhythmic Law લેખે, તાલબંધ રૂપે. એમના આ દર્શનમાં તાલભંગનીયે સકારાત્મક શક્યતાઓનો સમાસ હતો.

તમે જુઓ, પોતાને પેટવડિયે કામ કરતા શિક્ષક અને ખેડૂત ને વણકર તરીકે ઓળખાવતા ગાંધીજીના વિ-વર્ણ અને વિ-વર્ગ અભિગમનું કાવ્ય હજુ પાધરું પમાયું નહોતું ત્યારે એ ચૂંટણી લડ્યા ને હાર્યા હતા. બરાબર એકસો ચાર વરસ પરના, ૧૯૨૦ના, એ છઠ્ઠા અધિવેશનનું સમાચારમૂલ્ય છાપાંને વખતોવખત એ વાતે લાગતું હોય છે કે ગાંધીજીને હરાવીને હરગોવિંદદાસ કાંટાવાળા ચૂંટાયા હતા. પણ અદકપાંસળા અખબારનવીસોને કોણ સંભારી આપે કે કાંટાવાળાએ પ્રમુખીય અભિભાષણમાં ગાંધીજીને કેવા તો પ્રાંજલભાવે અને આદરભેર સંભાર્યા હતા? એમણે કહ્યું હતું : “જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષા દ્વારા ઊંચી કેળવણી આપવાની હિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગૂર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જોઈએ.” દેખીતા તાલભંગ થકી અને છતાં સધાયેલ આ તાલબંધ લક્ષમાં આવે છે?

૧૯૫૫માં નડિયાદમાં ગોવર્ધન શતાબ્દી એક વિશેષ અધિવેશનરૂપે મુનશીના નેતૃત્વમાં રંગેચંગે ઊજવાઈ ત્યારે ઉમાશંકર જોશી ને જયન્તિ દલાલ આદિએ લીધેલ ઉપાડો દેખીતો તાલભંગ હશે, પણ પરિષદના નવા લોકશાહીરૂપ સાથે એ તાલબંધ રૂપે જ અંતે તો આપણી સામે આવ્યો ને. ૧૯૭૫માં દેશે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય ખોયું તે બેશક તાલભંગ હતો, પણ પરિષદે સરકારી ધોંસ ને ભીંસની ચિંતા છાંડી એની પુનઃપ્રતિષ્ઠા વાસ્તે જે ઠરાવ કર્યો તે તાલભંગથી તાલબંધ ભણી જવાની ઇતિહાસપ્રક્રિયા નહોતી તો શું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો આપણો જે સતત આગ્રહ રહ્યો છે તે પણ સહજ સ્વસ્થ તાલબંધ માટેની આરતમાંથી આવેલો છે તે ભાગ્યે જ ઉમેરવાપણું હોય.

એક પ્રજાકીય સંસ્થા તરીકે અક્ષરજીવન અને જાહેર જીવનની સંગમભૂમિએ ઊભી આ ઇતિહાસરમણામાં યોગદાન સારુ સહજ સહયોગની ભૂમિકાએ નવ્ય કાર્યચમૂને આવકાર!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જાન્યુઆરી 2024

Loading

12 January 2024 Vipool Kalyani
← રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં નિમંત્રણને નકારીને વિપક્ષોએ કુહાડા પર પગ માર્યો છે…
ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (25) : ભામહ, દણ્ડી, ઉદ્ભટ્ટ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved