Opinion Magazine
Number of visits: 9448848
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકવાદને નાથવા ભારત USAવાળી કરી શકે પણ USAને પૂછ્યા વિના નહીં!

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 August 2022

ભારતે પોતાના પાડોશીઓને કારણે બહુ વેઠ્યું છે પણ કમનસીબે USAના ચંચુપાત વગર આપણે આતંકીઓ સામે સીધા પગલાં નથી લઇ શકતા

USAની ડ્રોન સ્ટ્રાઇકમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના લીડર અયમાન અલ ઝવાહિરીને કાબુલમાં તેના સેફ હાઉસમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. હચમચી ગયેલું અર્થતંત્ર, રોગચાળા પછી માંડ વળી રહેલી કળ, યુક્રેન પર રશિયાનો હુમલો વગેરે ઉપરાંત દુનિયામાં બીજું ઘણું ય ચાલી રહ્યું છે – એમાં આતંકવાદ નેવે નથી મુકાઇ ગયો. વળી USAને તો આતંકવાદીઓને ઝાલીને પતાવી દેવામાં ફાવટ આવી ગઇ છે. જ્યારે અફઘાનિસ્તાનમાંથી USAનું સૈન્ય નીકળી ગયું ત્યારે સાથે એવી વાત પણ થઇ હતી કે તાલીબાને વચન આપ્યું છે કે તે અફઘાનિસ્તાનને આતંકવાદીઓનું ‘સેફ હેવન’ નહીં બનવા દે. જો કે ઇતિહાસનું પુનરાવર્તન થવાનું જ હતું, જે રીતે ઓસામા-બિન-લાદેન અબોટાબાદમાં સંતાયો હતો તે જ રીતે ઝવાહિરી કાબુલમાં તાલીબાનીઓની મદદદથી રહી રહ્યો હતો. જ્યારે USAએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચ્યું ત્યારે દુનિયાને કહેવા ખાતર USAએ તાલીબાનીઓ અફઘાનિસ્તાનમાં અરાજકતા નહીં ફેલાવે એમ કહ્યું પણ ખરું. USAને તાલીબાનીઓની ફિતરત ન ખબર હોય એમ માનવાનું કોઇ કારણ નથી. આ સમીકરણમાં પાકિસ્તાનનો સ્વાર્થ ગુરુત્તમ સામાન્ય અવયવનું કામ કરે છે. આંતરિક સમસ્યાઓ સાથે ઝૂઝતા પાકિસ્તાનને USAને વ્હાલા થવાનું ગમે તે સ્વાભાવિક છે. વળી પાકિસ્તાન અત્યારે તકલીફમાં છે એટલે ભારતમાં આતંકી સળી કરાવવાનું તેને પોસાય એમ નથી.  ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને USAનું સ્વાર્થ, સત્તા અને સલામતીનું કોકડું ગુંચવાયેલું છે અને તેની આગળ વાત કરીએ પરંતુ આ ડૉક્ટર ઝવાહિરી વિશે થોડું જાણીએ.

ઇજિપ્તના આ ડૉક્ટર ૨૦૧૧થી અલ-કાયદાના વડા તરીકે કામ કરતો હતો. ઓસામા બિન-લાદેનના મોત પછી બધો કારભાર ઝવાહિરીને માથે હતો. અલ કાયદાએ કરેલા મોટા આતંકી હુમલા જેવા કે ૧૯૯૮માં ઇસ્ટ આફ્રિકામાં અમેરિકન એમ્બસી પર હુમલાથી માંડીને ૨૦૧૧માં થયેલા ૯/૧૧ના હુમલામાં તેનો હાથ હતો. ઇજિપ્તની ઇસ્લામિક જિહાદના શરૂઆતી દિવસોથી તેનો હિસ્સો રહેલા ઝવાહિરી ૯/૧૧ના વખતથી અલ-કાયદામાં બીજા નંબરે હતો. સર્જનની ડિગ્રી મેળવનારા ઝવાહિરી આતંકી જૂથોમાં યુવાન વયેથી પ્રવૃત્ત હતો. સુસાઇડ બોમ્બિંગને અલ-કાયદાની પેટર્ન બનાવવામાં ઝવાહિરીનો હાથ હતો. ઝવાહિરીનો આતંકવાદી તરીકેનો બાયોડેટા ઘણો લાંબો છે અને લાદેન સાથે જોડાઇને તેણે ઇજિપ્તમાં જે તરકીબો અપનાવવાની કોશીશ કરી હતી તે બધી અલ-કાયદામાં અમલમાં લાવીને ઇસ્લામિક જિહાદને વધુ ધારદાર બનાવી. લાદેન સાથે આફ્રિકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એમ બધે જ ઝવાહિરી ફર્યો. યુ.એસ. અધિકારીઓ અનુસાર થોડા વખત પહેલાં સુધી તે પાકિસ્તાનમાં સંતાયેલો હતો અને આ વર્ષની શરૂઆતમાં તે અફઘાનિસ્તાન આવ્યો હતો કારણ કે તેને તાલીબાની રાષ્ટ્રમાં પોતે સલામત રહેશેની ખાતરી હતી. તેની આ ખાતરીનો પુરાવો એ હતો કે તે બિંધાસ્ત બાલ્કનીમાં કલાકો વિતાવતો, તે છુપાઇને ન રહેતો. આવા સંજોગો હોય ત્યારે તાલીબાનને કારણે અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથ પાંગર્યા ન કરે તેનું ધ્યાન માત્ર USAએ નહીં પણ આખી દુનિયાએ રાખવું પડશે.

કોરોનાવાઇરસના ભરડામાં સપડાયેલા વિશ્વને જીવ બચાવવાની લડત ચાલતી હતી ત્યારે આતંકવાદીઓ પોતાનું કામ કરવામાં વ્યસ્ત હતા. ૨૦૨૦ના માર્ચમાં ઇસ્લામિક સ્ટેટ – આઇ.એસ. – દ્વારા ઇજીપ્ત, નાઇઝર, નાઇજીરિયા, ફિલીપિન્સ, યમન અને સોમાલિયામાં આતંકી હુમલા કરાયા.  ૨૦૨૦ના એપ્રિલમાં ઇરાક માત્રમાં આઇસિસે ૧૦૦ જેટલા હુમલા કર્યા હતા. જેહાદીઓ અને કટ્ટરવાદીઓનું જોખમ બદલાયેલા વલણ સાથે આજે પણ દુનિયા આખી પર યથાવત્ છે. ટેક્નોફોબિયા, સેલડ બાર આઇડિયોલૉજી, ઇન્સેલ આઇડિયોલૉજી જેવી જાતભાતની માનસિકતાઓ વધુ ડરામણા-જોખમી અને જીવલેણ આતંકીઓ તૈયાર કરી રહી છે. આવનારાં વર્ષોમાં આતંકવાદની પદ્ધતિઓમાં પણ બદલાવ આવશે. યુરોપ, USA, કેનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં વેક્સિનનો વિરોધ કરનારા જમણેરી કટ્ટરપંથીઓ સાથે મળી જઇને હિંસક દેખાવો કરી ચૂક્યા છે. વળી ઇરાન, ઇઝાયલ અને તેહરાન જેવા દેશો શસ્ત્રોને મામલે ચુપચાપ પોતાના બાવડાં મજબૂત કરી રહ્યાં છે. રાજકીય આતંકવાદ આધુનિક વિશ્વની વાસ્તવિકતા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે USA જે રીતે કાઉન્ટર ટેરરિઝમમાં સફળતા મેળવશે તેમ તેમ જેહાદી ચળવળનું વિકેન્દ્રીકરણ થશે અને પશ્ચિમી દેશોમાં સ્થાનિક કટ્ટરપંથીઓ પેદા કરવા પર તેઓ વધુ ધ્યાન આપશે. આતંકીજૂથોએ રોગચાળાનો પૂરતો લાભ લીધો છે અને નાગરિકો તથા સરકારો સામે હિંસાનો મારો ચાલુ જ રાખ્યો છે. વળી આફ્રિકા વગેરેમાં જ્યાં તેઓ રોગચાળાને ઇશ્વરનો શ્રાપ કહી લોકોને ડરાવી શક્યા ત્યાં તેમણે નવા લોકોને ઉપરવાળાનો ભય બતાવી આતંકી જૂથમાં ભેળવી લેવાનું કામ પણ કર્યું છે.

હવે વૈશ્વિક ફલકથી ફરી એકવાર પાડોશી દેશોમાં પળાતા આતંકવાદીઓની વાત કરીએ. એંશીના દાયકાથી પાકિસ્તાને ભારતમાં આતંકવાદ ફેલાવ્યો છે. USAની વાત કરીએ તો ભારતમાં ૧૯૯૯માં જ્યારે તાલીબાને આઇ.એસ.આઇ. સ્પોન્સર્ડ IC-814 હાઇજેક કર્યું હતું USAને કંઇ ફેર નહોતો પડ્યો. ભારતે મુસાફરોને બચાવવા માટે ખુંખાર આતંકીઓને છોડવા પડ્યા હતા. ૨૦૦૮માં જ્યારે મુંબઇમાં હુમલા થયા ત્યારે ભારત પાકિસ્તાન સામે હુમલો કરી બેસશેની ચિંતા USAને હતી અને તેમણે આપણને એમ કરતા રોકીને ખાતરી આપી કે પાકિસ્તાન આ હુમલાનું ષડયંત્ર કરનારાઓને પકડવામાં મદદ કરશે. હવે આ તો USAની નીતિ દુનિયા માટે છે પણ જ્યારે પોતાના પગ તળે રેલો આવે છે, પોતાનો સ્વાર્થ જ્યારે જોખમાય છે ત્યારે તે કોઇપણ હદે જાય છે. જેમ કે ૯/૧૧ પછી તાલીબાન પાસેથી USAએ બિન-લાદેન માંગ્યો અને જ્યારે એ ન થયું ત્યારે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને હાંકી દઇ USAએ પોતે ત્યાં કબજો કરી લીધો. આઇસીસ અને બીજા આતંકી જૂથોએ અમેરિકા સામે હુમલાની યોજનાઓ ચાલુ રાખી તો USAએ ડ્રોન સ્ટ્રાઇક્સ કરવાનું શરૂ કર્યું. યુ.એસ.ના વડા પાસે એ નામોની યાદી જાય જે USA માટે જોખમી છે અને પ્રેસિડન્ટ નક્કી કરે તેને ટાર્ગેટ પર લઇને તેનો ખાત્મો બોલાવી દેવાય. આખા ખેલમાં પાકિસ્તાનની ગણતરી એવી કે પોતાને ખબર છે કે લોન પર જીવવાનું છે, USAની જરૂર પડશે એટલે જ્યાં લાગે ત્યાં માહિતી આપી દઇ યુ.એસ.ની નજરમાં સારા થઇ જવાનું. ભારતે પોતાના પાડોશીઓને કારણે બહુ વેઠ્યું છે પણ કમનસીબે USAના ચંચુપાત વગર આપણે આતંકીઓ સામે સીધા પગલાં નથી લઇ શકતા.

ભારતની આતંકવાદ સામેની લડતની વાત કરીએ તો સ્પેશ્યલ ઑપરેશન્સમાં રાજકીય નેતૃત્વનો મોટો હિસ્સો હોય છે. આર્મી, નેવી કે એરફોર્સ ધારે તો એક થઇને દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે પણ તેમ કરવાની મંજૂરી તેમને પ્રેસિડન્ટ પાસેથી મળવી જોઇએ. સી.આઇ.એ. પાસે જે સવલતો છે તે હજી ભારત પાસે નથી, આપણે પહેલાં એ ક્ષમતા ખડી કરવી પડે.

બાય ધી વેઃ

USA જે કરે છે તે ભારત કરી શકે? – એવો સવાલ થાય જ, કારણ કે મુંબઇ હુમલાના આરોપીઓ હોય કે પ્લેનના અપહરણકર્તાઓ હોય કે પછી દાઉદ ઇબ્રાહિમ જ કેમ ન હોય? – આપણા બધા શત્રુઓ સાવ પડખે જ છે અને તે ય છૂટા ફરે છે. બાલાકોટ પછી આપણને એવું કશું પણ કરતા રોકવામાં આવે છે જે USA પોતે કરે છે. તાલીબાનીઓ કે પાકિસ્તાની સૈન્યને ન્યાયનો કોન્સેપ્ટ ખબર જ નથી પણ આપણે USA સાથે સારાસારી રાખવી પણ જરૂરી છે એટલે આપણે એમના જેવું નહીં કરી શકીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઑગસ્ટ 2022

Loading

7 August 2022 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—157
રિટાયર્ડ લોકો માટે રિઝર્વ બેન્ક વધુ ‘રિઝર્વ’ છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved