Opinion Magazine
Number of visits: 9449585
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયની ગાડી ખડી પડી …

ભરત મહેતા|Opinion - Opinion|14 May 2019

બેસ્ટ બૅકરીકાંડમાં પુરાવાઓ ઉપલબ્ધ ન થતાં ન્યાયાધીશ શ્રી મહીડાએ નોંધ્યું કે – “આ કોર્ટ ન્યાયની નથી, પુરાવાની છે!” ૨૩ મુસલમાનો મરી ગયા, જવાબદાર કોઈ જ નહીં! જસ્ટિસ લોયા કાંડ-જવાબદાર કોઈ જ નહીં! શ્રીકૃષ્ણપંચનો ધગધગતો અહેવાલ મુંબઈનાં રમખાણો વિશે- સજા કોઈને ય નહીં! આવો જ એક ચુકાદો ‘સમજૌતા એક્સપ્રેસ’નો આવ્યો.

ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુમેળભર્યા બને તે માટે અટલબિહારી વાજપેયી દ્વારા આ ટ્રેન શરૂ કરાઈ હતી. પાણીપત નજીક ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ વિસ્ફોટ થયો, જેમાં ૬૮ લોકો માર્યા ગયા. જેમાંના મોટા ભાગના પાકિસ્તાની નાગરિકો હતા. આ એક મોટું આતંકવાદી કૃત્ય હતું.

આ ઘટના સાથે સંકળાયેલ શકમંદો પકડાયા જેમાંથી અસીમાનંદે અંગ્રેજી સામયિક ‘કેરેવાન’ના પત્રકાર લીના રઘુનાથને પોતે આ ઘટનામાં સામેલ છે તેનો ગોડસેની માફક બેફિકરાઈથી સ્વીકાર કરેલો અને સાથોસાથ આ ઘટનાના તાર આર.એસ.એસ. સાથે જોડાયેલા હોવાનો પણ સ્વીકાર કરેલો. ૨૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ આ અસીમાનંદજી બાઇજ્જત બરી થયા!

પરંતુ અહીં પણ બેસ્ટ બૅકરી કાંડના ન્યાયાધીશ શ્રી મહીડા જેવું જ બયાન આ ચુકાદામાં સ્પેશિયલ એન.આઈ.એ.ના એક ન્યાયાધીશ શ્રી જગદીપસિંહનું છે. ‘જરૂરી પુરાવાઓ દબાવી દીધા અને રેકર્ડ પર ન લીધા, એનું આ પરિણામ છે’. એમણે આ આક્ષેપ કરતો ૧૬૦ પાનાંનો ચુકાદો આપ્યો છે. આ આતંકવાદી કૃત્યનાં મૂળિયાં આર.એસ.એસ.ના આગેવાનો સુધી પહોંચેલાં હતાં તેથી કેસને રફેદફે કરી નાખવામાં આવ્યો.

સિ.સિ.ટિ.વી. ફૂટેજ જોવામાં નથી આવ્યા, શકમંદના ફોનના કૉલરેકર્ડિંગના પુરાવા પણ ગેરહાજર છે. બૉંબવિસ્ફોટ દરમિયાન મળેલી સૂટકેસ ઇન્દોરથી ખરીદાયેલી, એમાં હિન્દુત્વવાદી સંગઠનના સુનિલ જોશી, સુનીલ ડાંગે અને રામચંદ્ર કલસાંગરાનાં નામો આવ્યાં. એમાંથી સુનિલ જોશીની ધરપકડ પછી હત્યા થઈ ગઈ! બાકીના બે આજ લગી મળતા નથી! મધ્યપ્રદેશની ભા.જ.પ. સરકારે આ કેસની તપાસમાં સાથ આપ્યો નથી. સુનિલ ડાંગે અને રામચંદ્ર કલસાંગરાના ફોટોગ્રાફ સુધ્ધાં લાવી આપ્યા નથી! નહિતર આવડા મોટા કેસના શકમંદો આજ લગી ન મળે તે સંભવ નથી. આ અર્થમાં જ ચોકીદાર ચોર છે. આખો મામલો યોગ્ય તપાસની રીતે હરિયાણા પોલીસની એસ.આઈ.ટી. વિકાસ નારાયણ રાય દ્વારા કરી રહી હતી અને ખાસ્સું કામ થયું હતું. પરંતુ એકાએક કેસ કેન્દ્ર સરકાર પાસે ચાલી ગયો. ૨૦૦૬નો માલેગાંવ વિસ્ફોટ કે જેની તપાસ હેમંત કરકરે કરી રહ્યા હતા અને લગભગ બધા જ તાંતણાઓ સુધી પહોંચી ગયેલા, જેમાં ફરી અસીમાનંદ ઝળક્યા. આ વખતે એમની સાથે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતનાં નામો પણ આવ્યાં! ધર્મ, રાજકારણ અને સેનાનું મિશ્રણ. આ ત્રણેય અભિનવ ભારત સંગઠન સાથે જોડાયેલાં બતાવાય છે. અસીમાનંદ આર.એસ.એસ.ની વનવાસી કલ્યાણ – યોજનાના પણ અગ્રણી હતા. સાધ્વી પ્રજ્ઞા એ.બી.વી.પી.ની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય! હેમંત કરકરે અને વિકાસ નારાયણ રાય પર ‘હિંદુત્વવિરોધી’ આક્ષેપો લાગી રહ્યા હતા, ત્યારે જ હેમંત કરકરેની મુંબઈ આતંકવાદી ઘટનામાં ૨૭ નવેમ્બર, ૨૦૦૮ના રોજ હત્યા થઈ!

પછી તો પુનઃ ૨૦૧૪માં મોદીયુગ દરમિયાન એન.આઈ.એ.ના અધ્યક્ષ જ બદલાઈ ગયા. નવા અધ્યક્ષ શરદકુમારે પોતાની તમામ શક્તિ આરોપીઓને છોડાવવા માટે જ લગાવી. જેના કારણે આ ગાળામાં જ તેઓ નિવૃત્ત થતા હોવા છતાં એમનો સેવાકાળ બે વર્ષ લંબાવી આપવામાં આવ્યો! ત્યાર બાદ તેઓ પુરસ્કાર સ્વરૂપે ભારત સરકારમાં વિજિલન્સ કમિશનરપદ પામ્યા હતા! સોહરાબુદ્દીન કેસમાં કૉંગ્રેસનું વલણ પણ એવું જ નરમ રહ્યું હતું. માલેગાંવ વિસ્ફોટના સરકારી વકીલ રોહિણી સાલિયને ઑક્ટોબર, ૨૦૧૫માં જણાવ્યું કે એન.આઈ.એ. તેમને ‘ભગવા આતંક’ પ્રત્યે કૂણું વલણ અખત્યાર કરવાનું જણાવે છે. માલેગાંવ, મક્કા-મસ્જિદ, અજમેર શરીફ અને સમજૌતા એક્સપ્રેસ આ ચારેય કાંડની વિશેષતા એ છે કે ચારેયમાં અસીમાનંદનું નામ ઝળક્યું છે.

આતંકવાદ વિરુદ્ધની મજબૂત સરકાર કેમ મૂળ ગુનેગારો સુધી પહોંચી નથી, એ અરુણ જેટલી જણાવતા નથી, એમણે તો કહ્યું કે આ ખોટો કેસ હતો – કૉંગ્રેસપ્રેરિત! હકીકત એ છે કે બાબુ બજરંગી (નરોડા પાટિયા) જેવા કેસોની માફક આવા કેસના ગુનેગારો છૂટી જાય છે કારણ કે ભારતના બેઉ મુખ્ય પક્ષને હિંદુત્વની વોટબૅંક સાચવી રાખવી છે. પરિણામે, સમજૌતા એક્સપ્રેસ જ નહીં, પરંતુ ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની ગાડી ખડી પડી છે, ન્યાયની જ હત્યા થઈ છે.

E-mail :bharatmehta864@gmail.com

સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 05

Loading

14 May 2019 admin
← પ્રવીણસિંહ ચાવડા સાથે વાર્તાલાપ
લોકશાહીની થપ્પડ કે લોકશાહીને થપ્પડ ? →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved