Opinion Magazine
Number of visits: 9448833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એટમ બોમ્બથી આપણે શું ધડાકા કરી લીધા?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|17 July 2013

અમેરિકાએ ૧૬ જુલાઈ, ૧૯૪૫ના રોજ એટમ બોમ્બનું પહેલી વાર પરીક્ષણ કર્યું અને માનવજાતે સૌથી વિનાશક શસ્ત્ર વિકસાવ્યું. પછી તો દુનિયાભરમાં પરમાણુ શસ્ત્રો વિકસાવવાની હોડ શરૂ થઈ, પણ એ આંધળી દોડમાંથી માનવજાતને શું મળ્યું?

૧૬જુલાઈ, ૧૯૪૫ની વહેલી સવારે સૂરજ ઉગવાને હજુ થોડી વાર હતી ત્યારે પૃથ્વીની સપાટી પર એક પ્રચંડ વિસ્ફોટ થયો. વિસ્ફોટને પરિણામે મશરૂમ આકારનો અગનગોળો ઉછળ્યો, જેની આગ ૪૦,૦૦૦ ફીટ ઊંચે સુધી ફેલાઈ હતી. આ પરીક્ષણની સાથે માનવજાતે સૌથી વિનાશક શસ્ત્ર – એટમ બોમ્બની શોધ કરી હતી. એટમ બોમ્બ એટલે નામ પ્રમાણે જ પરમાણુમાં રહેલી શક્તિનો વિસ્ફોટ કરતું શસ્ત્ર. એક પરમાણુમાં જ પરમ બ્રહ્માંડનો વિનાશ વેરવાની તાકાત સમાયેલી હોય છે, તે માનવજાતે શોધી કાઢયું હતું. હા, માનવજાતની મૂઢતા અને અણસમજ એ હતી કે ત્યારે આ તાકાતને માણસોના જ વિનાશ માટે પ્રયોજવાનો હેતુ હતો!

અમેરિકાએ ૧૬ જુલાઈ, ૧૯૪૫માં વહેલી સવારે ૫:૨૯:૪૫ વાગ્યે ન્યૂ મેક્સિકોના અલામોગોર્ડોના રણપ્રદેશમાં પરમાણુ બોમ્બનું પ્રાયોગિક પરીક્ષણ કર્યું અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં એટલે કે ૬ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ એટમ બોમ્બનું પ્રેક્ટિકલ પરીક્ષણ જાપાનના હિરોશિમા શહેર પર કર્યું. હિરોશિમા પર એટમ બોમ્બ ફેંકીને અમેરિકા અટકી ન ગયું પણ તેણે ત્રણ દિવસ પછી ૯મી ઓગસ્ટના રોજ જાપાનના જ બીજા શહેર નાગાસાકી પર બીજો એટમ બોમ્બ ઝીંક્યો. આ પરમાણુ બોમ્બને કારણે ક્ષણ-બેક્ષણમાં હિરોશિમા અને નાગાસાકી શહેરો હતાં-ન હતાં બની ગયાં. ઘડીના છઠ્ઠા ભાગમાં એક સાથે ૮૦,૦૦૦ લોકો હણાયા અને પરમાણુ બોમ્બના વિકિરણની વિઘાતક અસરથી માત્ર એક વર્ષના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકો મોતને ભેટયા હતા. માત્ર જાપાનમાં જ નહીં, દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. જાપાને ઓન ધ સ્પોટ હાર સ્વીકારી લીધી અને આ સાથે જ બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયું, પણ દુનિયાના દેશો વચ્ચે એક આંધળી હોડ શરૂ થઈ ગઈ – પરમાણુ શસ્ત્રો વિકસાવવાની, પરમાણુ શક્તિસમ્પન્ન રાષ્ટ્ર બનવાની.

વિશ્વવિજેતા બનવાના હિટલરના ખ્વાબને સાકાર કરવા માટે જર્મની પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું હતું ત્યારે અમેરિકા પણ પોતાનું સૈન્યબળ વિકસાવવા વિચારણા કરી રહ્યું હતું. ૧૯૩૯માં અમેરિકામાં રાજ્યાશ્રય ભોગવી રહેલા ઈટાલીના ભૌતિક વિજ્ઞાની એન્રિકો ફર્મી અમેરિકન નેવી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કોલમ્બિયા યુનિવર્સિટીમાં મળ્યા હતા અને એટમ બોમ્બ પ્રકારના વિસ્ફોટક શસ્ત્રનો લશ્કરી હેતુથી કઈ રીતે ઉપયોગ કરી શકાય, એની ચર્ચા કરેલી. એ જ વર્ષે આલ્બર્ટ આઇન્સ્ટાઇને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલીન રુઝવેલ્ટને પત્ર લખીને જર્મનીના સામના માટે એટમ બોમ્બ બનાવવા માટે આગ્રહભરી વિનંતી કરતો પત્ર લખ્યો હતો. આઇન્સ્ટાઇનના પત્ર પછી અમેરિકા આ અંગે થોડું ગંભીર બન્યું હતું. અમેરિકાએ પરમાણુ બોમ્બ માટે ફેબ્રુઆરી-૧૯૪૦માં ૬૦૦૦ અમેરિકી ડોલરનું મામૂલી ગણાય એટલું ભંડોળ ફાળવ્યું હતું. પણ, ડિસેમ્બર, ૧૯૪૧માં જાપાને જ્યારે અમેરિકાના પર્લ હાર્બર પર ઘાતક હુમલો કરીને તેને બીજા વિશ્વયુદ્ધમાં ઢસેડયું અને ૧૯૪૨માં અમેરિકાએ જ્યારે જાણ્યું કે જર્મની યુરોનિયમ બોમ્બ બનાવવા મથી રહ્યું છે ત્યારે અમેરિકા સફાળું જાગ્યું અને એટમ બોમ્બ બનાવવાના પ્રોજેક્ટ માટે વધારે નાણાં અને સંસાધનો પૂરાં પાડયાં હતાં. અને આખરે ૧૬ જુલાઈ, ૧૯૪૫ની વહેલી સવારે ન્યૂ મેક્સિકોના રણમાં એટમ બોમ્બનું પરીક્ષણ શક્ય બન્યું, જેને બે દિવસ પછી ૬૮ વર્ષ થશે. માનવજાતે એટમ બોમ્બ બનાવ્યાના સાડા છ દાયકાથી વધારે સમય વીતી ગયો છે, ત્યારે પહેલો વિચાર એ આવે કે એટમ બોમ્બે આ દુનિયાને શું આપ્યું? તેનાથી આ દુનિયાને ફાયદો થયો કે નુકસાન?

અમેરકા પછી વિશ્વભરના દેશોમાં એટમ બોમ્બ બનાવવાની આંધળી દોડ શરૂ થઈ. ૧૯૪૯માં રશિયાએ એટમ બોમ્બનું પરીક્ષણ કર્યું, ત્યાર બાદ બ્રિટને ૧૯૫૨, ફ્રાંસે ૧૯૬૦, ચીને ૧૯૬૪માં પરમાણુ પરીક્ષણો કર્યા. એક પછી એક પરીક્ષણોને લીધે આખી દુનિયા '૫૦ અને '૬૦ના દાયકામાં સતત ભય તળે જીવતી હતી. એક અંદાજ મુજબ ૧૯૬૧માં દુનિયાએ એટલા એટમ બોમ્બ બનાવી નાખ્યા હતા, જેનાથી આખી દુનિયાનો વિનાશ થઈ શકે. છતાં પરમાણુ શસ્ત્રો બનતા રહ્યા છે. હવે તો ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા દેશો પણ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે. ઈઝરાયેલ પાસે પણ પરમાણુ શસ્ત્રો હોવાની વાત છે. વિશ્વના મોટાભાગના દેશોએ ન્યૂક્લીઅર નોનપ્રોલીફરેશન ટ્રીટી પર હસ્તાક્ષર તો કર્યા છે, પણ છતાં પરમાણુ સત્તા બનવાની આંધળી દોડ અટકી નથી.

પરમાણુ શસ્ત્રોએ માનવ જાતને એક ભય તળે તો રાખી જ છે ઉપરાંત તેને કારણે દુનિયાનાં અપાર સંસાધનો ઉપરાંત ખર્વો રૂપિયા ખર્ચાયા છે. વિચાર કરો, આટલા રૂપિયા જો ગરીબ-વંચિત લોકો માટે ખર્ચાયા હોત તો દુનિયામાં આજે કોઈ ગરીબ-વંચિત, બીમાર-લાચાર હોત ખરું? ખેર, માનવજાતે હવે પરમાણુ શક્તિનો ઉપયોગ વિનાશ નહીં પણ વિકાસ માટે કરવાની પહેલ કરી છે, તે સારી બાબત ગણી શકાય, છતાં પરમાણુ ઊર્જાનાં જોખમોને નજરઅંદાજ કરી શકાય એમ નથી. દક્ષિણ આફ્રિકાએ પોતાનાં પરમાણુ શસ્ત્રોનો નાશ કર્યો છે તો જાપાને પરમાણુ ઊર્જાનો વપરાશ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ભસ્માસૂરનો નાશ કરવો જ રહ્યો!

Jul 13, 2013; સમય-સંકેત

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

17 July 2013 admin
← Bodh Gaya Blasts: Terrorist Violence and Political Agenda
જમીન માટે મચી છે દિશાહીન દોડ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved