Opinion Magazine
Number of visits: 9448938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા મનમાં જીવતું આલ્બર્ટ આઈન્સ્ટાઈનું મગજ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 November 2017

સમાચાર બહુ સરસ છે. એમના અવસાનના બાવન વર્ષ પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક ચેતના બનીને સંસારના સમગ્ર લોકોના જહેનમાં જીવે છે. એમને માનવ ઇતિહાસના મહાનાયક તરીકે ઘોષિત કરાયા છે. એટલે કે, માનવ જીવનની શરૂઆત થઇ ત્યાંથી શરુ કરીને આજ સુધી જગતમાં જેટલા ઇતિહાસસર્જક લોકો થઇ ગયા એવા ૪૦ની એક યાદીમાંથી આઈન્સ્ટાઈનને સૌથી વધુ સકારાત્મક મત મળ્યા છે. આઈન્સ્ટાઈનના જ દેશ જર્મની અને ન્યુઝીલેન્ડના બે સંશોધકો, કત્જા હાંકે અને જેમ્સ લીએ ૩૭ દેશોના ૬,૯૦૨ યુનિવર્સીટી વિદ્યાર્થીઓને ઇતિહાસની ધારા અને ધરા બદલનારી ૪૦ શખ્સિયતોને ૭ પોઈન્ટ્સના સ્કેલ (અત્યંત સકારાત્મકથી લઇને અત્યંત નકારાત્મક તરફ) ઉપર માપવા કહ્યું હતું, જેમાં આ પરિણામ આવ્યું છે.

આ સર્વેમાં યુરોપિયન ઈસાઈ દેશો (આર્જેન્ટીના, બ્રાઝીલ, બુલ્ગેિરયા, કોલમ્બિયા, હંગેરી, મેકશીકો, પેરુ,પોર્ટુગલ, રશિયા, સ્પેન), પશ્ચિમી દેશો (ઓસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ફીજી, જર્મની, ઇટાલી, નેધરલેંડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, ફિલિપાઈન્સ, સ્વિત્ઝરલેન્ડ, યુ.કે., યુ.એસ.એ.), મુસ્લિમ દેશો (ઇન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાન, ટ્યુનિશિયા) અને એશિયન દેશો(ચીન, ભારત, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન)ના લોકોને એમનાં ચિરપરિચિત ‘નાયકો અને ખલનાયકો’ વિષે પૂછવામાં આવેલું.

એમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને બધા લોકોએ સૌથી શ્રેષ્ઠ તરીકે, સૌથી ઉપર પસંદ કરેલા. બીજા નંબરે મધર ટેરેસા, ત્રીજા નંબરે મહાત્મા ગાંધી, ચોથા નંબરે માર્ટિન લૂથર કિંગ, પાંચમાં નંબરે આઈઝેક ન્યુટન, છઠ્ઠા નંબરે (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જીસસ, સાતમાં નંબરે નેલ્સન મંડેલા, આઠમાં નંબરે થોમસ એડીસન, નવમા નંબરે અબ્રાહમ લિંકન અને છેલ્લે બુદ્ધ આવ્યા હતા.

આ તો માનવજીવનને ઉજળું કરનારા તારાઓ. અંધારું ફેલાવનારાઓનું શું? શ્રેષ્ઠતાના સામા છેડે કનિષ્ઠના સ્કેલ ઉપર સૌથી ઉપર નામ હતું હિટલરનું. એ પછી એની આંગળી ઝાલનારાઓમાં ઓસામા બિન લાદેન, સદ્દામ હુસેન, (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જ્યોર્જ બુશ, જોસેફ સ્ટાલિન, માઓ ઝેદોન્ગ, ચંગીસ ખાન, સલાદીન (ઈજીપ્તનો પહેલો સુલતાન) અને કિન શિ હુંગ (ચીનનો પ્રથમ શહેનશાહ) હતા.

છેલ્લા ત્રણ આમ તો ખલનાયક નો’તા પણ, એમનું રેટિંગ મામૂલી હતું. જોવા જેવું એ છે કે, બુશ સ્ટાલિન અને ચંગીસ ખાન કરતાં પણ બધું બદતરીન છે. એનું કારણ, સંશોધકોએ કહ્યું તે પ્રમાણે, સમય છે. સ્ટાલિન અને ચંગીસ ખાન મોટી કત્લેઆમ માટે જવાબદાર હતા પણ, એ જૂનો ભૂતકાળ છે, જ્યારે લોકોને બુશે બે યુદ્ધોમાં જે સંહાર કર્યો એ વધુ યાદ હોય એવું બને.

સકારાત્મક અસર છોડી જનારાઓની યાદીમાં સૌથી રસપ્રદ વાત એ છે કે પૂરા વિશ્વના સમાજોમાં માનવતાપ્રેમીઓ અને આધ્યાત્મિક પુરુષોનો દબદબો તો છે જ પણ, વૈજ્ઞાનિકોનું રેન્કિંગ સૌથી ઉપર છે. ટોપ ટેનમાં ત્રણ છે; આઈન્સ્ટાઈન, ન્યુટન અને એડીસન. દરેક સમાજ અને દરેક દેશના પોત-પોતાના નાયકો અને ખલનાયકો હોય છે, જે એમની સંસ્કૃિતમાંથી પેદા થાય છે. જરૂરી નથી કે એક સમાજનો હીરો કે વિલેન બીજા સમાજના લોકો માટે પણ હીરો કે વિલેન હોય. એટલે, આ પ્રકારનાં રેન્કિંગ સબ્જેક્ટીવ પણ હોય છે, અને કોઈ એક સમય કે સમાજમાં એ પ્રાસંગિક કે અપ્રાસંગિક હોય છે. આ પહેલો એવો સર્વે છે જે વૈશ્વિક છે અને તમામ સભ્યતાઓને સમાવતો છે.

એટલે જ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, નેતાઓને પાછળ રાખીને, દેશ-કાળ-ભાષા-સંસ્કૃિતની સીમાઓ તોડીને બધા માટે મહાનાયક હોય એ બહુ રસપ્રદ કહેવાય. સંશોધકો લખે છે, આ તમામ દેશોના યુનિવર્સીટી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાનની ભૂખ વધુ છે એ અહીં સાબિત થાય છે. દુનિયામાં અત્યારે (અને ભૂતકાળમાં) જે જંગાલિયત થઇ છે, એમાં રાજનેતાઓની જ તો ભૂમિકા રહી છે (ઉદાહરણ – જ્યોર્જ બુશ) ત્યારે વૈજ્ઞાનિકો માનવજાતના ‘રોલ મોડેલ’ નીકળે એ ખાસ્સા આશાના સમાચાર છે.

અનેક સંશોધનો, નવલકથાઓ, ફિલ્મો, નાટકો અને કળાનો વિષય બનેલા, પાગલ વૈજ્ઞાનિક અને ચસકેલા દિમાગના પ્રોફેસર તરીકે જાણીતા અને મહાન બુદ્ધિશાળીમાં ગણાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ભગવાનનો જ અવતાર ગણાતા જીસસથી પણ આગળ હોય, એ કેટલી મોટી વાત છે! આઈન્સ્ટાઈને જ કહેલું – ધર્મ વગરનું વિજ્ઞાન લંગડું છે, પણ વિજ્ઞાન વગરનો ધર્મ તો આંધળો છે. “તમે શેમાં માનો છો?” એવા એક સવાલના જવાબમાં એમણે કહ્યું હતું, “આપણે જે પણ અનુભવ કરીયે છીએ, તેની ય પાર કંઇક એવું પણ છે, જેને આપણું મન પામી શકતું નથી. એની મનોહરતા અને મહાનતા આપણી સામે અપ્રત્યક્ષ આવે છે – મારા માટે એ ધાર્મિકતા છે, અને એ અર્થમાં હું ધાર્મિક છું.”

આઈન્સ્ટાઈન આસ્તિક હતા કે નાસ્તિક, એનો એક ઐતિહાસિક વિવાદ છે, અને એના ઉપર પાનાંઓ ભરીને લખાયું છે, પણ અહીં એમનાં વૈજ્ઞાનિક યોગદાનની વાત છે, જે એમને મહાનાયક બનાવે છે. 1999માં, ટાઇમ મેગેઝિને આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પર્સન ઓફ ધ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા, જ્યારે ગેલપના સર્વેમાં તેમને 20મી સદીના ચોથા સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ જાહેર કરાયા હતા. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં આઈન્સ્ટાઈન વિષે અઢળક લખાયું છે. ભાગ્યે જ કોઈક એવું હશે, જેને આઈન્સ્ટાઈનનું નામ ખબર ના હોય.

દ્વિતીય મહાયુદ્ધ પહેલાં આઇન્સ્ટાઇન અમેરિકામાં એટલા લોકપ્રિય હતા કે લોકો તેમને રસ્તા ઉપર રોકીને તેમની થિયરી સમજાવવાની વિનંતી કરતા. આઈન્સ્ટાઈન આનાથી બહુ હેરાન થયેલા, અને એમણે એક રસ્તો શોધી કાઢેલો. કોઈ એમને રોકે તો એ કહેતા,” I am sorry, માફ કરો, મને લોકો પ્રોફેસર આઇન્સ્ટાઇન સમજી લેવાની ભૂલ કરે છે, પણ હું એ નથી.”

વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનની થિયરીને સાપેક્ષવાદ કહેવાય છે. ત્રણ પરિમાણો(લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ)ની સાથે આઈન્સ્ટાઈને ચોથું પરિમાણ ઉમેર્યું – સમય. અણુશક્તિનો આવિષ્કાર એમણે કર્યો હતો, જે ઈ=એમસી2 (E = mc^2) તરીકે જાણીતો છે. ૧૯૪૫માં હીરોશીમામાં અણુબૉમ્બ ફૂટ્યો. દુનિયા એ જોઈને ધ્રૂજી ગઈ! આઈન્સ્ટાઈન ત્યારે માથું હલાવીને બોલ્યા હતા, "ઓહ! આના માટે દુનિયા હજી તૈયાર નથી …" આઈન્સ્ટાઈન પછી કાયમ માટે શાંતિદૂત બની ગયા.

આ બધું જ બહુ જાણીતું છે, અને એટલે જ, એમનું મગજ વર્ષોથી કુતૂહલનો વિષય રહ્યું છે. ૧૯૫૫માં, ૭૬ વર્ષની વયે આઈન્સ્ટાઈનનું અવસાન થયું તે પછી, ચિકિત્સક થોમસ હાર્વેએ એમના મગજને ૨૪૦ હિસ્સામાં કાપી નાખ્યું હતું. દરેક હિસ્સાના ૨,૦૦૦ જેટલા નાના-નાના ટુકડા કરી દેવાયા હતા, અને દુનિયાના ૧૮ અન્વેષકોને મોકલી અપાયા હતા, જેથી માઈક્રોસ્કોપિક સ્તરે એની જાંચ થઇ શકે. હાર્વે સિવાય કોઈને બહુ ખબર નહીં પડી, અને મોટાભાગના હિસ્સા ખોવાઈ પણ ગયા છે.

આ બધું મળીને ૬ પેપર્સ લખાયાં છે, જેમાં ગજબની વાતો છે. એમનાં મગજમાં, બીજાઓની સરખામણીમાં, ન્યુરોન્સ(તાંત્રિક કોશિકાઓ)ની ડેન્સીટી (ઘનતા) વધારે હતી. એક અભ્યાસમાં એવી વાત આવી કે આઈન્સ્ટાઈના parietal lobesમાં (જેમાં બધી સેન્સરી ઇન્ફોર્મેશન પ્રોસેસ થાય) ‘નદી-નાળા’ બહુ અસામાન્ય હતા, જે એમની અપ્રતિમ બુદ્ધિશક્તિ માટે કારણભૂત હોઈ શકે.

૨૦૦૯માં નૃવંશશાસ્ત્રી ડીન ફાલ્કે એક અભ્યાસ કરીને કહ્યું હતું, “આઈન્સ્ટાઈને ખુદ પોતાનું બ્રેઈન તૈયાર કર્યું હતું, જેથી ભૌતિકશાસ્ત્રનું જગત જ્યારે પરિપકવ હોય ત્યારે, નવી શોધ કરી શકે. એમનું, યોગ્ય સમય માટે યોગ્ય જગ્યાએ યોગ્ય બ્રેઈન હતું.” ફિલાડેલ્ફીઆ (પેન્સીલવેનિયા સ્ટેટ)ના મેડિકલ મ્યુિઝયમમાં આઈન્સ્ટાઈનું આ મગજ સચવાયેલું પડ્યું છે.

આપણા મનમાં પણ એમનું મગજ જીવે છે!

https://www.facebook.com/permalink.php?story_fbid=1908936346101082&id=1379939932334062

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 નવેમ્બર 2017

Loading

13 November 2017 admin
← લોકશાહીની અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું
ગિજુભાઈનું અધૂરું ‘દિવાસ્વપ્ન’ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved