જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર નામનું ગામ આવેલું છે. આ ઘોઘાવદર ગામમાં પટેલ જ્ઞાતિના તથા અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ગામમાં મેઘવાળ ચમાર જ્ઞાતિનાં કુટુંબો પણ વસવાટ કરે છે.
મેઘવાળ જ્ઞાતિનાં કુટુંબોમાં જગા દાફડા નામનું એક કુટુંબ રહેતું હતું. આ કુટુંબ મેઘવાળ જ્ઞાતિમાં સુખી-સંપન્ન તથા મોભાદાર ગણાતું હતું. આ ગામના જગા દાફડા ચમાર જ્ઞાતિના હોવાથી ચામડાંનો ધંધો કરતા હતા. ગામનાં મરેલાં પશુઓનાં ચામડાં ઉખેળી તેને કુંડમાં નાખી અને તેને પકવીને વેચવાનો ધંધો કરતા હતા. આ ચામડાંના ધંધામાંથી તેમને તેના કુટુંબના ભરણપોષણ માટે જરૂરિયાત મુજબની રકમ મળી રહેતી હતી. જગા દાફડા ગામની ભામ રાખતા અને તેને લીધે તેને ચામડાંનો કાચો માલ મળી રહેતો હતો.
ભામ રાખવી એટલે મરેલાં પશુઓને ગામમાંથી બહાર કાઢીને ગામથી દૂર તેને લઈ જઈ ઢોરના શબ ઉપરથી ચામડું લઈ લેવાનો ગામની ગ્રામપંચાયત અથવા ગામનો વહીવટ સંભાળનારા દરબારો આ કામગીરી માટે અમુક રકમ આપવાની શરત કરીને ઇજારો આપવામાં આવતો હતો અને આ ઇજારો રાખનાર પાસેથી ઇજારાની રકમ વસૂલ કરવામાં આવતી તેને ભામ કહેવામાં આવે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 05