Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુનર્વિધાન માગતો રાષ્ટ્રવાદનો ખયાલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2016

શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે

હતોતો રાજ્યસભામાં એમનો એ છેલ્લો દિવસ. પણ મુદત આખીનું સાટું વાળતા હોય તેમ ઓવેસીનો ઊધડો લેતા જાવેદ અખ્તર ગૃહમાં બરાબરના ઝળક્યા. ‘ભારત માતા કી જય હું નહીં બોલું – બંધારણમાં આવી જય બોલવાનું ક્યાં લખ્યું છે, બતાવો?’ ઓવેસીના આ ઉદ્દગારોને જાવેદે સરળતાથી ભોંભેગા કરી દીધા કે, એમ તો, શેરવાની પહેરવાનું અને માથે ટોપી ઠઠાડવાનુંયે કિયા બંધારણે કીધું છે. લજ્જાખ્યાત બાંગલાદેશી લેખિતા તસલીમા નસરીન કે’દીનાં વિંગમાં હાજરાહજૂર હતાં જ. લાગલું ટ્વિટ્યાં: ઓવેસી જેવાઓને તો બરાબરના ખુલ્લા પાડી દેવા જોઈએ. વૅલ ડન, જાવેદભાઈ … ભારતમાતા કી જય. નહીં કે જાવેદની વાત ખોટી હતી. ‘જય હિંદ’ કે ‘વંદે માતરમ’ અગર ‘ભારતમાતા કી જય’ સામાન્યપણે એવા ઉદ્દગારો છે જેમાંથી વતનપ્રીતિ ફોરી શકે, અને નાતજાતકોમ મજહબથી ઊંચે ઊઠી સૌ એવો હૃદયભાવ પ્રગટ કરી શકે તે ઈચ્છવાજોગ નથી એમ કોણ કહેશે. પણ આટલું કહ્યા પછી સમગ્ર સંદર્ભમાં જો આ વાતને જોઈ અને તપાસી નહીં શકીએ તો કથિત ભારતભક્તિની આડઅસરો વિશે અસાવધપણે ઊંઘતા ઝડપાઈ જઈશું.

વસ્તુત: સમગ્ર સંદર્ભમાં જોતાં ‘ભારતમાતા કી જય’માં અભિપ્રેત રાષ્ટ્રવાદી હિલચાલનાં પરિમાણ એકથી વધુ હોવાનું સમજાય છે. પહેલો ધક્કો તો તાજેતરમાં જે.એન.યુ. ઘટનાક્રમનો અને ડૉક્ટર્ડ સીડીજોરે કન્હૈયાને રાજદ્રોહી જાહેર કરવા થકી લાગેલો છે. અમે અહીં દેશદ્રોહી પ્રવૃત્તિ નહીં ચાલવા દઈએ એવું સત્તાપ્રતિષ્ઠાનનું કહેવું છે. જ્યારે કન્હૈયાના યાદગાર શબ્દઝુમખામાં ખરો પ્રશ્ન ‘ભારતથી આઝાદી’નો છે. બીજો ધક્કો, કહો કે સત્તા-પ્રતિષ્ઠાન તરફે અનુધક્કો, જે.એન.યુ.નું સીધું નામ પાડ્યા વગર સરસંઘચાલક મોહન ભાગવતનો છે – નવી પેઢીને ‘ભારતમાતા કી જય’ બોલવાનું શીખવવું પડશે.

ઓવેસીના રાજકારણની કોમી ધ્રુવીકૃત તાસીર વિશે અહીં પૂર્વે લખવાનું બન્યું છે. ઓવેસીના હિંદમાં બંદૂકવાલાનું હોવું એ ગુણાત્મકપણે કેવી ન્યારી નિરાળી વાત બને છે એવું ગુણાનુરાગી કૌતુક કરવાનુંયે બન્યું છે. પણ ઓવેસીનો હમણેનો ઉદ્દગાર – જેને જાવેદ અખ્તરે કદ મુજબ બરાબરનો વેતર્યો છે એ ઉદ્દગાર – તરતમાં તો મોહન ભાગવતના પ્રતિભાવ બલકે પ્રતિક્રિયારૂપ છે. હિંદુત્વ રાજનીતિના કથિત ફ્રિન્જલાઇન પાત્રો ‘પાકિસ્તાનભેગા થઈ જાઓ’ની ભાષણમાં વાત કરે છે, પણ સંઘશ્રેષ્ઠીઓની કથનપદ્ધતિમાં એક પ્રકારનું એસર્શન છે – અમારો કક્કો ખરો, અમારી જ વ્યાખ્યા સાચી એવી બૂ એમાંથી ઉઠે છે. ઓવેસીની પ્રતિક્રિયામાં આ દાદાગીરી સામેનો ભાવ આગળ પડતો છે, એટલું ઓવેસીનું (કે કોઈનું પણ નિતાન્ત કોમી) રાજકારણ અસ્વીકાર્ય છે એમ કહેવા સાથે અને કહેવા છતાં નોંધવું જોઈએ.  

ઈસ્લામ અને બુતપરસ્તીનું દ્વંદ્વ જાણીતું છે. વતનને ચાહવું તે ઈમાન છે એમ સ્વીકારી શકતા શ્રદ્ધાળુ મુસ્લિમને, ધારો કે, ભારતમાતા તરેહના શબ્દપ્રયોગમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી હોય તો? આર્યસમાજ પરંપરામાં મૂર્તિપૂજાનો જે નિષેધ છે એનુંયે અહીં નમૂના દાખલ સ્મરણ કરવા જોગ છે. આ સ્મરણમાં અલબત્ત સાભિપ્રાયતા પણ છે તે બલરાજ મધોકના આત્મકથ્યમાંથી પસાર થતાં પકડાય છે. સંઘના તો એ જૂના સ્વયંસેવક. એમણે લખ્યું છએ કે અગાઉની પ્રાર્થનામાં રામદૂત હનુમાન પ્રકારનો ઉલ્લેખ અગ્રતાપૂર્વક આવતો તે મૂર્તિપૂજાને નકારતી આર્યસમાજી પ્રણાલિમાંથી આવેલા મારા જેવાને ખૂંચતું. આખો વંદે માતરમ વિવાદ પણ એમાંથી કાલીમાતાના પૂજનઅર્ચનનો જે ભાવ ફોરતો તેને કારણે ચાલ્યો હતો અને છેવટે સંપૂર્ણ વંદે માતરમને બદલે એનો ચોક્કસ અગ્રઅંશ ગાવાનું ઠર્યું હતું. ‘વંદે મારતમ’ની તરફેણ અને વિરોધી રાજનીતિમાં રાચનારા બંને છેડાઓ અસલનો વિવાદ અને તેને અંતે સધાયેલ સમજૂતી વિશે જાણતા નથી કે જાણીને અણજાણ છે.

તસલીમા નસરીને અને નજમા હેપતુલ્લા ‘ભારત માતા કી જય’ પોકારવા રાજી હોય અને તે પૂર્વે પોતાને છેડેથી આ બાબતમાં ઘટતા વિચાર અને પુનર્વિચારની પ્રક્રિયામાંથી પસાર થયાં હોય તો તે જરૂર એક રૂડી વાત છે. વસ્તુત: વૈચારિક પુખ્તતાની તે એક સાહેદી પણ છે, કેમ કે શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે. ‘એક બીજો નબી મોકલી આપ’ તેમ કહેતો કવિ પરમાત્મા સાથે પ્રણયકલહનો સમો બાંધે છે. કવિની અભિવ્યક્તિમાં પયગંબરની પરબારી તૌહીન જોવાનું વલણ એ માનવ કોઈક તબક્કે સમજ ગઠંાઈ ગયાનું ચિહ્ન છે.

ઉલટ પક્ષે, હમણાં જેમને કોઈકે ‘ક્લોઝેટ બીજેપીમેન’ (છૂપા ભાજપી) કહ્યા તે અનુપમ ખેરની જેમ એકદમ જ ‘રાષ્ટ્રવાદની એક જ વ્યાખ્યા છે – ભારત માતાકી જય!’ કહેતાકને પડમાં ટ્વિટવા બાબતે જાગ્રત રહેવાની જરૂર છે, કેમ કે એમાંથી ‘માય વે ઓર હાઇવે’ (‘મારે રસ્તે ચાલ કે પછી રસ્તે પડ’) પ્રકારનો ધ્વનિ ઉઠે છે. આ પ્રક્રિયા, વિપળવારમાં ખબર પણ ન પડે તેમ, ભિન્નમત માત્રને, અસંમતિના આછોતરા અવાજને રાષ્ટ્રદ્રોહ-દેશદ્રોહ-રાજદ્રોહના ખાનામાં ખતવી નાખવા બાબતે દોડતા’તા ને ઢાળ મળ્યાની ગરજ સારે છે.

ગમેતેમ પણ ઓવેસીને કદ મુજબ વેતરવાની જરૂર કે’દીની હતી, અને જાવેદ અખ્તરે તે ઠીક જ કર્યું એટલું કહ્યા પછી) પણ ‘જો’ અને ‘તો’ જરૂરી રહે છે એ મુંબઈમાં વિધાનસભ્ય વારિસ પઠાણને જે રીતે કૉંગ્રેસ સહિતના પક્ષોએ મળીને ગૃહનિકાલ ફરમાવ્યો તે જોતાં સમજાય છે. અમુક જ ખાસ સૂત્રોચ્ચાર અને તે અને તે જ દ્વારકાની છાપ, એવી સત્તા-પ્રતિષ્ઠાનની (બલકે, પાટલીફેરે રાજકીય અગ્રવર્ગ સમસ્તની) જો સમજ હોય તો એ સુચિહ્ન નથી. ચોક્કસ સૂત્ર બોલો નહીં તો આગળ બોલવા નહીં દઈએ એ વલણમાંથી ફોરતી માનસિકતામાં નિરામયતા નથી તે નથી.

‘ભારતમાતા કી જય’માં હોંશે હોંશે જોડાતાં તસલીમાની વશેકાઈ આખરે શી વાતે છે? દેશે એમને ‘લજ્જા’ નવલકથાને કારણે બાંગલાદેશમાં તેઓ  કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં ત્યારથી એમને પોતીકાં ગણ્યાં છે. ‘લજ્જા’નું વસ્તુ આખરે તો એ જ છે ને કે ભારતમાં અયોધ્યા ઘટના ઘટી ત્યારે બાંગલાદેશમાં લઘુમતી (હિંદુ) પર બહુમતી માંહેલા કટ્ટરવાદીઓ(મુસ્લિમો)એ હુમલો કીધો. તસલીમા સરખાં મુસ્લિમ લેખિકા નથી કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં, સંઘ વર્તુળો આપણે ત્યાં હિંદુત્વ રાજનીતિનો ભોગ બનતા લોકોનાં સુખદુ:ખ આલેખતાં હિંદુ લેખકોની કદર બૂજી શકે તો તસલીમા વિશેનો એમનો ઉત્સાહી પ્રતિભાવ વાજબી ઠરે.

જાવેદ અખ્તર એક પ્રગતિશીલ ને બિનસાંપ્રદાયિક મુસ્લિમ છે. તીસ્તા સેતલવાડની ગોધરા-અનુગોધરા દિવસોની શાંતિને ન્યાય, રિપીટ, ન્યાય ચળવળ સાથે એ જોડાયેલાં છે. એમનું નાસ્તિક હોવું મુસ્લિમ સમુદાયને ન પણ સોરવાતું હોય. કોઈક મુલ્લામોલવી એમને ‘તમે મુસ્લિમ છો?’ પ્રકારના પ્રશ્નથી કન્ફ્રન્ટ પણ કરતા હશે. શબાના આઝમીએ મુસ્લિમ આમજનતાને અનુલક્ષીને કોઈ તરક્કી પસંદ (પ્રોગ્રેસિવ) હિમાયત કરી હોય ત્યારે કથિત શાહી ઈમામ તરફથી ‘નાચવાવાળીને કોણ સાંભળે’ જેવી હીનોક્તિ પણ થતી રહી છે. ઉલટ પક્ષે, જાવેદ-શબાનાને મુંબઈમાં ઘર મળતાં મુશ્કેલી પડી હોય એવા હેવાલો પણ છે. જાવેદના તીસ્તાસંધાનને સંઘવર્તુળો બૂજી શકશે?

બેેલાશક, આપણે જાવેદ સાથે સમ્મત થઈશું કે દેશના મુસ્લિમોએ જે મુસ્લિમ દેશો ધર્મઝનૂની રાજનીતિ કરી રહ્યા છે ત્યાં લોકોને કેટલું પડે છે અને તે દેશો વિકાસમાં કેટલા પાછા પડે છે એમાંથી ધડો લેવા જેવું છે. પણ તે સાથે ઉમેરીશું કે હિંદુ ધર્મને સેમેટિક બનાવતી રાજનીતિ વિશે પણ જાગ્રત રહેવાની જરૂર છે.

ખરું જોતાં આ ચર્ચાને અહીં પૂરતો ન્યાય અપાયો નથી એમ તે સમેટતાં કહેવું જોઈએ, કેમ કે રાષ્ટ્રવાદનો સાંકડો ખયાલ માત્ર જ નહીં ખુદ રાષ્ટ્રવાદ પણ પુનર્વિધાન માગે છે.  

સૌજન્ય : ‘માર્મિક મર્મ’, “દિવ્ય ભાસ્કર”, 19 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-reenactment-nationalism-seeking-care-ovesino-takes-javed-akhtar-5278639-NOR.html

Loading

19 March 2016 admin
← ભારત માતા કી જયનો વિવાદ : બેવકૂફી અને મરજાદ તોડાવવાની વિકૃતિનો આ મામલો છે
ટાઈટેનિક ડૂબતું હતું ત્યારે કઈ પ્રાર્થના ગવાતી હતી? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved