Opinion Magazine
Number of visits: 9449454
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ (૩) 

સુમન શાહ|Opinion - Literature|24 September 2024

૪

રાજેન્દ્ર શાહ

કેટલાંક ગીતોની કેટલીક પંક્તિઓ તો ઘણી જ સ્મરણીય છે, જેમ કે –

મને જરા ઝૂંક વાગી ગઈ … 

માલતીની ફૂલકોમળી તો યે ડૂંખ લાગી ગઈ …

*

સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાંખળી

સૂકાં અડૈયાંને વીણ્યા રે લોલ

લીલી તે પાંદડીમાં મ્હૅકંત ફૂલ બે’ક  

મારે અંબોલડે ખીલ્યાં રે લોલ.

*

હરિ તારા ઘટના મન્દિરિયામાં બેસણાં હોજી. હરિ હું ય એ જ ઘરનું બાળ.

*

ફૂલની ભીતર ભરિયું તે મધ ભમરે લીધું પ્રીછી

ઓયમા મને ચટકી ગયો કાળમુખો કોઈ વીંછી.

*

‘કોઈ સૂરનો સવાર

આવી ઊતર્યો અરવ મારે ઉરને દ્વાર.’

* 

‘તને જોઈ જોઈ તો ય તું અજાણી’

“શાન્ત કોલાહલ” સંગ્રહમાં ‘વનવાસીનાં ગીત’ એવા શીર્ષકથી રાજેન્દ્રભાઈએ ૧૮ રચનાઓ રજૂ કરી છે. કેટલીક રચનાઓની કોઈ કોઈ પંક્તિ રજૂ કરીને સંતોષ માનું : 

૧ :

નમીએ અગનફૂલને હેતે નમીએ અગનફૂલ,

ઓથમાં જેની ઊછરે આપણ વનવાસીનું ફૂલ. 

રાનપશુનાં નૅણમાં એનાં તેજની વાગે શૂલ.

૨ :

પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ

ઉગમણે તેજ મ્હૉરતું ને ટહૂકાર કરે ચણ્ડૂલ 

મૉકળે મને રાન-વેરાનમાં

માણીએ સંસાર; ઝંખવાય રે અગનફૂલ.

૩ : 

વાગે રે, વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું, બોલની હારે પાયલિયું રણકારે એને

માનસરોવવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું 

સાવજની યે સૉડમાં સરી કરીએ અટકચાળું. 

તારલિયાનાં તેજને વ્હૅતાં વાંચીએ ઝરણપાણી 

રાનમાંજારનાં નૅણથી વીંધાય રૅણનું કાજળ કાળું.

૪ : 

કાંચળી જોઈને કાયે ભાગે ને મૌવર માંડે મરદ,

સાત પાતાળનાં ભોંયરાં ભેદીને આવતી નાગણ

રાગનું એને ય દરદ. વાત નાગણ અને મદારીની છે, પણ ખરી વાત તો પ્રિય અને પ્રિયાની છે.

૫ : 

એ ય વ્હાલીડા ! સાંભળી લેજે સાદ.

અંગ મ્હારાંને વીંટળાયો છે નાગ 

ઝૅરની એનાં જીરવી જાય ન આગ,

મૌવરમાં ધર, મન્તરનો કોઈ રાગ

નહિ તો એલા, જિન્દગી લગી મેલજે મોરી યાદ.

વ્હાલીડા સાંભળી લેજે સાદ.

૬ : 

છોરી ! તોરી વાત વેલાતી !

આવડે ના તો ય ઊકલે મરમ

મનમાં એની મ્હેક ફેલાતી. 

તડકે તપ્યું રાન ભલે ને

આંહી તો પૂનમ રાત રેલાતી.

૭ : 

જૂઠી તે રીસને રાગે નેપુર તારાં રૂમઝૂમ રૂમઝૂમ વાગે, રૂપાળવી. 

આવડો ફૂંફાડો ન રાખીએ નકામ  

એને ન્હાનો ગોવાળિયો ય નાથે. 

૮ : 

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,

મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. 

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે…તાવ હોય જો કડો ટાઢિયો

કવાથ કુલડી ભરીએ, વાંતરિયો વળગાડ હોય તો

ભૂવો કરી મંતરીએ…કેવડિયાનો કાંટો અમને…

૯ : 

કાજળિયા અન્ધારથી યે કંઈ કાળવી ત્હારી કીકી

સળગ્યાં મ્હારાં નૅણલાં એને જોઈને ટીકી ટીકી.

૧૦ : 

વનમાં વાયરે ઘેરી’તી આજ, મ્હને વનમાં વાયરે ઘેરી

કિયા જનમનો વૅરી, તે આજ મને વનમાં વાયરે ઘેરી.

૧૧ : 

પેલે તીરે તારું ગામ વ્હાલીડા, હું આ તીરની વનવાસી,

વાંકડી રે એની ચાલથી, બેઉને ભીંજવી જાય વરાંસી.

૧૨ : 

શરત : ‘શરત’ — સમગ્ર રચનામાં કવિનું મને એક અનોખું સર્જનાત્મક ઉડ્ડયન જોવા મળ્યું છે

પાતળી કેડી કેરકાંટાળીઅંટેવાળે આવતાં એખણ એરું, સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી… 

ગોફણના એક ઘાથી ઉતાર

નભનો તેજલ તારો,ભાલની મારી બિંદીએ મેલી

અંજવાળું જનમારો,

ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતાં રે’તાંચડવો મારે એક અવિચલ મેરુ.

આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખેએ જ તે મારા આયખાનો ભડ ભેરુ. 

– નાયિકાના ઑરતા તો જુઓ : સાવજ કેરી ખાલની મોજડી, ગોફણના એક ઘાથી ઉતારેલો નભનો તેજલ તારો એના ભાલની બિંદી, ઝરણાંનાં એનાં ઝાંઝર …

રાજેન્દ્રભાઈએ ‘દરિયાખેડુનાં ગીત’ લખ્યાં છે, “વિભાવન”-માં સંઘરાયાં છે.

૧ : 

જાગ, હુલાસી જાગ… 

૨ :

હાલ્ય રે ભેરુ, હાલ્ય હૉંશીલા,

જોરનું જુવાળજળનું આયું તેડું.

હાલક ડોલક થનગની ર્ હૅ,

નાવડીનો દોર છોડ રે સાગરખેડુ. 

ખારવાનાં ગીત લખ્યાં છે, બે છે, “શ્રુતિ”-માં સંઘરાયાં છે.

૧ : 

હે ઇ ચાંગા, શુકર, બોમાન, શાની !

ભરતી આવી ભૂર, હો ભૂરાં અલબેલાનાં ઊછળે પાણી. : હે ઇ રે હેલા આ…ય

ન્હૈં મોતી, ન્હૈં  ધોતી, કેવળ 

કેડનું રેશમ ચીની ઘરદુવારે, ભરજુવાળે કાય રહે નિત ભીની. 

 રે હેલા હે ઇ રે હેલા આ…ય. 

૨ :

હે…ઇ…ષા હેલોમ, હે એ ઇ ષા 

હે…ઇ…ષા હેલોમ, હે એ ઇ ષા. તે પછી – ભૈયા આપણ, હે એ ઇ ષા

ધારીએ આપણ, હે એ ઇ ષા 

ભતવારીનું ગીત બહુ સુન્દર છે, એની વ્યંજના પણ રમણીય છે, આખું આ પ્રમાણે છે : 

નાની રે પીલુડી ઝાઝા ઘેરની એની કન્દરાની હેઠ

એની છાંયડીની હેઠ

ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ  

અન્તે કહે છે : 

મધ રે બપોરે માજમ ચાંદની,

વીંઝણો વાતુંનો ઢળાય,

નયને સોણલાં કળાય,

કાળજે ટાઢક મીઠી માણીએ….નાની રે પીલુડી ઝાઝા ઘેરની…

રાજેન્દ્રભાઈએ કવિ જયદેવના સુપ્રસિદ્ધ “ગીતગોવિંદમ્”-નો અનુવાદ કરેલો. એક ગીતની પહેલી કંડિકા આ પ્રમાણે છે : 

રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ

ન કર, નિતમ્બિનિ, ગમનવિ લંબન, અનુસર તે હૃદયેશ

ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી

આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. આ ગીત બહુ જાણીતું છે. મનોહર વેશ ધારણ કરીને રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ કહે છે, તારી હૃદયેચ્છાને અનુસર ને વાર ન લગાડ, કેમ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ આલિંગનરંજન માટે તારી કામના કરી રહ્યા છે.  

જયદેવની પદાવલિશૈલીનું રાજેન્દ્રભાઇનું આ ગીત જુઓ –

ઝલમલ ઝલમલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ,

પૂરવ ગગનને અરુણ કિરણ, મૃદુ વિકસત રમ્ય કમલદલ

મધુ-પરિમલ-રત અલિગણ ગુંજે,

મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;

કહીં, પ્રિય!

કહીં તુમ નિવસત? નયનન વિકલ ભમે મુજ થલથલ,

ઝલમલ ઝલમલ નદીજલ-લહરી…

 

ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર.. 

ચઇતરનું આભ સાવ સૂનું સૂનું ને તો ય

કંઈથી કોકિલકણ્ઠ બોલે રે લોલ

વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે

દખ્ખણને વાયરે ડોલે રે લોલ. 

(૬). 

(આ ગીત હું બહુ ગાતો). 

ચૈત્ર માસનું આભ સૂનું સૂનું છે તો ય કોકિલકણ્ઠ! -એ વિરોધાભાસ નૉંધો. નવલી બધી જ કૂંપળો કલ્પો. એ કૂંપળો દખ્ખણના વાયરે ડોલે છે. કહેવાયું છે, કવિસમય છે, કે દક્ષિણ દિશાનો વાયરો પ્રેમીઓનું મિલન સાધી આપે છે. સૈયર ભલે ઇંધણાં વીણવા ગૈતી, પણ એનો સંગાથી ત્યાં આવે એની વાટ જોઈ રહેલી.

‘સુન્દર ! બહુરિ કુટિલ તવ છલના :

પલ રૂપ એક, અવર પણ દૂજો 

મન કંઈ પામત કલ ના…’ 

(ક્રમશ:)
(23Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

24 September 2024 Vipool Kalyani
← કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ?
સદ્ગુરુવાચોની સાપડેલ સોય  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved