Opinion Magazine
Number of visits: 9449447
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શતાયુ ભણી કંડારી રહેલા સનત મહેતાને સલામ

અંબાલાલ ઉપાધ્યાય|Samantar Gujarat - Samantar|19 June 2015

સનત મહેતાની ટચૂકડી પુસ્તિકા વાંચી.

જાહેરજીવનના ક્ષેત્રે અઢળક ખેડાણ કર્યા પછી ય તેઓને અધૂરપ લાગે છે. તે બતાવે છે કે જાહેરજીવનના ક્ષેત્રે ઘણું કરવાની તમન્ના તેઓ ધરાવે છે. અઢળક કર્યું અને ઘણું બાકી છે તે માનસિકતામાં જ જાહેરજીવનના ક્ષેત્રનો તેમનો સતત મંડ્યા રહેવાનો અભિગમ દર્શાવે છે.

સનત મહેતા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ગયેલા છે. શરૂની વિદ્યાર્થીકાળની જિંદગીથી માંડી વૃદ્વાવસ્થાની ઘડી સુધી અનેક ઝંઝાવાતી તબક્કાઓમાં તેઓ સફળતાને આંબ્યા છે. જેવા તેઓ રચનાત્મક ક્ષેત્રના તબક્કાઓને પૂર્ણ ન્યાય આપી શક્યા છે તેવા જ જાહેર ક્ષેત્રના અઠંગ અભ્યાસી રહ્યા છે. અને તેવા જ સફળ વહીવટકર્તા રહ્યા છે. તેવા જ અભ્યાસી વક્તા અને ઉત્તમ કલમબાજ પણ રહ્યા છે.

સ્વાતંત્ર-આંદોલનમાં કિશોરાવસ્થામાં તેમની લગન ઉત્કર્ષ હતી. જૂનાગઢ નવાબશાહીને હટાવવામાં તેમનું યોગદાન રહેલું છે. શૈક્ષણિક ક્ષેત્રે કદમ માંડવા વડોદરાને પસંદ કર્યા પછી કૉલેજશિક્ષણ દરમિયાન જ જાહેરક્ષેત્રની પ્રવૃત્તિનાં મંડાણ કર્યાં. વડોદરામાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી વડોદરાને જ કર્મભૂમિ બનાવી જાહેરક્ષેત્રમાં દટાઈ જઈ અનેક કામદાર સંગઠનો બનાવી તેઓના ન્યાય માટે સતત ઝઝૂમ્યા. જ્યાં કોઈ ન જઈ શકે તેવા મહેનતકશ વર્ગ વચ્ચે જઈ તેમનાં સંગઠનો કરી ન્યાય અપાવવા સતત સંઘર્ષ કરતા રહ્યા. ક્રૂડ ઓઇલનું શારકામ કરતા કામદારોના યુનિયનના તેઓ વર્ષો સુધી પ્રમુખપદે રહ્યા છે. દરિયાના ખારા પટમાં રહી મીઠું પકવતા અગરિયાઓનું સંગઠન બનાવી, તેમનાં બાળકોને શિક્ષણ, સારાં રહેઠાણનાં મકાનો, પૂરતું વળતર વગેરે તમામ પાસાંઓને સ્પર્શતું જીવંત સંગઠન તેઓની દેન છે.

રાજકીય સ્વાતંત્ર્ય પછી દેશમાં સમાજવાદી પક્ષનું આગવું રાજકીય અસ્તિત્વ ઉપસ્યું ત્યારે ગુજરાતમાં પ્રજાસમાજવાદી પક્ષના સંગઠનની જવાબદારી મહામંત્રીપદે રહી તેમણે સફળતાથી બજાવી હતી. પારડી ખેડા સત્યાગ્રહે દેશભરના આદિવાસીઓનું આશાનું કિરણ ખોલ્યું હતું, જે સત્યાગ્રહ ચળવળ ઈશ્વરલાલ દેસાઈ, સનત મહેતા અને ઉત્તમભાઈ પટેલની ત્રિપુટીએ નિભાવી હતી. ગુજરાતના અલગ રાજ્યનું ઐતિહાસિક આંદોલન ચાલ્યું તેમાં મુરબ્બી ઇન્દુચાચા પછી સનત મહેતાનો ફાળો અનન્ય હતો. અમદાવાદમાં પંડિત જવાહરલાલ નેહરુની સભા સામે મહાગુજરાતની લૉ કૉલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલી સમાંતરસભામાં ઇન્દુલાલ યાજ્ઞિકની વિશેષ ઉપસ્થિતિમાં સનત મહેતાનું પ્રવચન ઐતિહાસિક હતું.

ગુજરાતની જીવાદોરી નર્મદા આજે ય જ્યારે પિયતની સિદ્ધિમાં અડધે રસ્તે છે, ત્યારે પંડિત નેહરુએ પાયાનું મૂહુર્ત કર્યા પછી સતત ખોરંભે પડેલી યોજનાને પુનઃજીવિત કરવામાં સનત મહેતાની અભ્યાસ પૂર્ણ આંકડાકીય રજૂઆત ગુજરાતની વિધાનસભામાં અને કેન્દ્ર સરકારમાં નોંધપાત્ર રહી છે. પ્રશ્નને હાથપર લીધા પછી તેના ઊંડાણમાં જઈ પૂર્ણ અભ્યાસ કરી મંડી મંડવું તે તેઓની ખાસિયત રહી છે. નર્મદાનિગમના ચૅરમેનપદે બેઠા પછી સતત અડચણો વચ્ચે તેના વિકાસમાં તેઓએ આપેલ યોગદાન નોંધપાત્ર રહ્યુ છે. ગુજરાત વિધાનસભામાં સનત મહેતાનું બેસવાનું સતત લાંબા સમય સુધી રહ્યું. જેમાં વિરોધ પક્ષે હોય કે સત્તાધારી પક્ષે, તેમણે જાગૃતપણે ફરજપાલનની જવાબદારી નોંધાવી છે. નાણામંત્રી તરીકે ગુજરાતનાં ગામડાંઓના વિકાસ માટે જિલ્લા કક્ષાએ આયોજનમંડળની રચના પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોને તેમના કાર્યક્ષેત્રમાં વિકાસકામે નાણાંની જોગવાઈ સનત મહેતાની દેન છે. લોકસભાની તેમની કામગીરી અભ્યાસપૂર્ણ રહી હતી. જાગૃત સંસદ તરીકે ઝળક્યા હતા.

વિધાનસભા કે સરકારમાંથી ફારેગ થયા પછી પણ ગુજરાતના કિસાનોના પ્રાણપ્રશ્નો અંગે વૃદ્ધાવસ્થાની જિંદગીમાં ય જીવંત સક્રિયતાથી સતત કામ કર્યે જવાનો અને સળંગ વર્ષોનું સક્રિય જાહેરજીવન છતાં ય સહેજે ડાઘ ન લાગે તે કાળજીથી જાહેરજીવનને કાચ જેવું મઢવું ભાવિ પેઢી અને જાહેરક્ષેત્રમાં પડેલા કાર્યકરો માટે દીવાદાંડીરૂપ છે. સત્તા પર બેસીને જ કામ થાય છે, તે વિધાનને સનત મહેતાએ ખોટું સાબિત કર્યું છે. સ્વરોજગારી માટે ગુજરાતના ઊંડાણના અજાણ્યા સ્થળે અજાણી ગરીબ નિરાધાર બહેનોને વગર વ્યાજે, વગર જામીને સીવવાનો સંચો લાવવા કે અન્ય કોઈ સાધન માટે તેઓએ લોન આપવાનું કામ કરે છે અને નિયમિત રીતે હપ્તાઓ પરત આવી જાય છે.

આજે ય અગરિયાના પ્રશ્નો, કિસાનોના પ્રશ્નો અને તેવા અનેક પ્રશ્નો માટે તેઓની સક્રિયતા અભિનંદનીય છે. તેઓ ‘હિતરક્ષક’ માસિક ચલાવે છે, જેમાં ગુજરાતના અને દેશના પ્રાણપ્રશ્નોની છણાવટ હોય છે. મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઇન્દુચાચાને સરકાર અને રાજકીય પક્ષ વીસરી ગયા, પણ સનત મહેતાએ યાદ રાખી ફંડ એકત્રિત કરીને નેહરુબ્રીજના પૂર્વ અમદાવાદવાળા છેડે ઇન્દુચાચાની, આખા કદની કાસ્ય પ્રતિમા મૂકાવીને ગુજરાતની પ્રજાને ઋણમુક્ત કરેલ છે.

પ્રવૃત્તિઓમાં પરોવાયેલા ને શતાયુ ભણી કદમ કંડારી રહેલા સનત મહેતાને સલામ !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 13

Loading

19 June 2015 admin
← સત્તા-પ્રતિષ્ઠાન અને બૌદ્ધિકો
દરમિયાન, લલિત કલા વર્તે સાવધાન! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved