Opinion Magazine
Number of visits: 9448996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રની આવક વધે તો લોકોનું સુખ વધે એ જરૂરી નથી

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|1 February 2024

નીતિ અને અર્થશાસ્ત્ર: ભાગ-7 

કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કોઈ પણ નીતિ(policy)નું ધ્યેય રાષ્ટ્રીય આવકને બદલે ‘સુખ’ (happiness) હોવું જોઈએ. આ બાબતે દરેક વ્યક્તિ સંમત થાય જ કે લોકોને તેમની માનસિક સુખાકારી(well-being)માં સુધારો કરવાના અર્થમાં વધુ સુખી કરવા એ પ્રશંસનીય લક્ષ્ય છે. આ અભિગમ એવા સર્વે તરફ લઈ જાય છે કે જે એમ બતાવે છે કે સુખ એ આવકનું પ્રમાણ નથી. આ ઘટનાને ‘ઇસ્ટરલિનના કોયડા’ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રી રિચર્ડ ઇસ્ટરલિન (1926-) દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અમુક હદ પછી રાષ્ટ્રીય આવક વધે તેની સાથે સાથે સુખ વધે એવું હોતું નથી. અમુક હદ સુધી જ બંને સાથે વધે છે અને પછી સુખ સ્થિર થઈ જાય છે અને આવક વધવાનું ચાલુ રહે છે.

આ એમ બતાવે છે કે કોઈ પણ નીતિમાં આવકના વધારાને બદલે સુખમાં વધારો થાય તેવું ધ્યેય હોવું જોઈએ. એનો અર્થ એ છે કે લોકો સુખી કે અસુખી થાય તે માટેનું કારણ માત્ર પૈસા નથી હોતા. સુખ અને અસુખનાં વ્યક્તિલક્ષી પગલાંને વસ્તુલક્ષી પરિસ્થિતિ સાથે જોડવાં પડે. અનેક સર્વે એમ બતાવે છે કે લોકો આવી બાબતોથી વધુ સુખી થાય છે : પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો, આવક ઊભી કરતા કામમાં સંતોષ મળવો, આવકની સલામતી હોવી વગેરે. કોઈ પણ નીતિમાં આ ધ્યેયોને સુખ સાથે જોડવાં જોઈએ.

સુખનો ખ્યાલ પોતે જ બહુ નબળો છે. મોટા ભાગના સંશોધકો એમ કહે છે કે તેનો અર્થ એ છે કે તે માનસિક સુખાકારી અથવા મનના આનંદ સિવાય બીજું કશું નથી. ધર્મગુરુઓ સુખ વિષે ઉપદેશો આપે છે, શાળાઓમાં સુખ વિષેના અભ્યાસક્રમો ચાલે છે; વગેરે બધું વધતું ચાલ્યું છે. 2008ની મંદી પછી સત્તા પર આવેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ દર ત્રણ મહિને દેશના નાગરિકોની સુખાકારી માપશે અને સુખાકારીમાં જે ફેરફાર થયો હશે તેને આધારે તેમની નીતિઓ સફળ થઈ કે નહિ તે જોશે અને એને માટે તેઓ પોતાની જાતને જવાબદાર ગણશે. પછી આ પ્રયાસ વિષે કશું સાંભળવા મળ્યું નહોતું. જ્યારે અર્થતંત્ર ખાડામાં પડી રહ્યું હોય ત્યારે સુખાકારી માપવાનું તદ્દન વિચિત્ર લાગે છે.

પહેલી વાર જોતાં જ એમ લાગે છે કે કોઈ પણ નીતિનું ધ્યેય સુખ પ્રાપ્ત કરવાનું હોય તો એ કાચી રાષ્ટ્રીય આવકમાં સુધારો છે. તે આવકની વૃદ્ધિના ચક્રમાંથી બહાર નીકળવામાં અથવા તેને ધીમી કરવામાં સહાય કરે છે અને જે સારું (good) છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

પરંતુ સુખને મજબૂતપણે કેવી રીતે માપવું એ મુદાને બાજુ પર મૂકીએ તો પણ આમાં એક ખતરનાક ફસામણી છે. જો સુખને કાયમી રીતે સંમત થઈ શકાય તેવી મનની બાબત ગણીએ તો તે આનંદ વધારતી દવાઓ મફત વહેંચવાથી, અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન રોબોટ ઉપર છોડી દેવાથી, મોજશોખની જિંદગી જીવવાથી કે પછી નશામાં રહેવાથી સુખ મહત્તમ થઈ શકે છે. આ તો અક્ષરશ: લોકો  માટે અફીણ કહેવાય.

અલબત્ત, સુખની ચિંતા કરનારા અર્થશાસ્ત્રીઓ પણ આની હિમાયત કરતા નથી. જો કે, રિચર્ડ લેયાર્ડ (1934-) તેમના સુખ પેદા કરવાના એજન્ડામાં ઔષધીય અને મનોરંજક દવાઓનો સમાવેશ કરે છે ખરા. તેઓ એમ ઈચ્છે છે કે નીતિ એવી હોવી જોઈએ કે જે એવી સ્થિતિનું નિર્માણ કરે કે જે સ્થિતિ લોકો માટે ઓછી દુઃખદાયી હોય. તેઓ એમ પણ માને છે કે આવી સ્થિતિની શોધ થઈ શકે છે.

ઓછા દુઃખની બાબતને વચગાળાના નૈતિક ધ્યેય તરીકે ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ, એટલે કે લોકો વધુ સારી જિંદગી જીવી શકે તે શક્ય બનાવવું જોઈએ. પરંતુ સુખને જ અંતિમ ધ્યેય ગણીને તે સિદ્ધ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સુખ તો સારી જિંદગી જીવવાનું પરિણામ છે. પ્રાચીન ગ્રીક દર્શનમાં એમ જ જણાવવામાં આવ્યું છે. સુખ એ કોઈ અલગ ધ્યેય નથી અને તે ઘણી વાર આપોઆપ બની જતી ઘટના છે.

અમર્ત્ય સેન સુખ માટે બીજાં કેટલાંક માપ બતાવે છે. આલ્ફ્રેડ માર્શલની જેમ અમર્ત્ય સેન એમ વિચારે છે કે નીતિનું ધ્યેય સુખાકારીમાં વધારો હોવું જોઈએ. પરંતુ સુખાકારીને માત્ર ભૌતિક વપરાશ જ ન સમજવી જોઈએ. તેને બદલે તે અનેક અને એકબીજાને વળગતી ક્ષમતાઓ કે સમર્થતાઓ(capabilities)થી થાય છે. તે ક્ષમતાઓ એકબીજાથી અલગ ન પણ થઈ શકે. તે ભૌતિક  કલ્યાણ તો છે જ, પણ તેમાં બિન-આર્થિક પાસાં પણ છે, જેમ કે, વ્યક્તિની પોતાને માટે પોતાની યોજના બનાવવાની સ્વતંત્રતા. પરિણામે, આર્થિક વિકાસને વિસ્તરતી ક્ષમતાઓ કે સમર્થતાઓ તરીકે સમજવો જોઈએ, અને ગરીબીને એ સમર્થતાઓના અભાવ તરીકે સમજવી જોઈએ.

સમર્થતાને નીતિનું ધ્યેય બનાવવામાં આવે તો અંતિમ ધ્યેયની વ્યાખ્યા કરવાની ફસામણીમાંથી બચી શકાય છે. પરંતુ ‘શાની સમર્થતા?’ એવા પ્રશ્નનો ઉત્તર આપવામાં તે નિષ્ફળ જાય છે. વ્યક્તિઓ તંદુરસ્ત કે શિક્ષિત થવા માટે સમર્થ બને તેની કે તેના જેવી બીજી ચિંતા આપણે શા માટે કરવી જોઈએ? હકીકતમાં જે બાબત મહત્ત્વની છે તે તો એ છે કે તેઓ ખરેખર તંદુરસ્ત અને શિક્ષિત હોય. તંદુરસ્ત અને શિક્ષિત હોવું એટલે શું તે અંગે સરકાર વલણ નક્કી કરે તો તેને તાનાશાહી કહેવાય. એટલે કે સમર્થતા વ્યક્તિગત પસંદગીનું જતન કરે છે.

(ક્રમશ:)  
સ્રોત: 
લેખનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

1 February 2024 Vipool Kalyani
← સુભાષબાબુના જીવનની પહેલી પચીસી કેવી હતી ?
મધ્યમવર્ગને મૂરખ બનાવતું મોદી સરકારનું 2024નું બજેટ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved