Opinion Magazine
Number of visits: 9447119
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે -31 : સાહિત્યનાં અધ્યયનોમાં ‘એ.આઈ.’-નો વિનિયોગ

સુમન શાહ|Opinion - Opinion|13 October 2023

સુમન શાહ

અગાઉના ૩૦ લેખો પછી જે પ્રશ્ન થવો જોઈએ તે આ છે : વાસ્તવમાં સાહિત્યનાં અધ્યયનોમાં ‘એ.આઈ.’-નો વિનિયોગ કેવી રીતે કરી શકાય?

મેં સુરેશ જોષીના જાણીતા કાવ્ય ‘કદાચ હું કાલે નહીં હોઉં’-નું ‘એ.આઈ.’-સિસ્ટમમાં જઇને અધ્યયન શરૂ કર્યું એ દાખલા સાથે એ પ્રશ્નનો ઉત્તર આપું :

કદાચ હું કાલે નહીં હોઉં / સુરેશ જોષી

કદાચ હું કાલે નહીં હોઉં 

કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે

મારી બિડાએલી આંખમાં

એક આંસુ સૂકવવું બાકી છે;

કાલે જો પવન વાય તો કહેજો કે

કિશોર વયમાં એક કન્યાના 

ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ

હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;

કાલે જો સાગર છલકે તો કહેજો કે

મારા હૃદયમાં ખડક થઈ ગયેલા

કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;

કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે

એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા

એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;

કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે

મારા વિરહી પડછાયાની ચિતા

હજી પ્રકટાવવી બાકી છે.

કદાચ હું કાલે નહીં હોઉં.

= =

સૌ પહેલાં, ‘એ.આઈ.’-ઑજાર પસંદ કરવાનું, એ મેં કર્યું. સાહિત્યઅધ્યયન માટે પ્રયોજી શકાય એવાં એકથી વધુ ‘એ.આઈ.’-ઑજારો ઉપલબ્ધ છે : Google Bard, GPT-3, અને Elicit.org. એ બધાં વપરાય છે અને તેથી જાણીતાં થયાં છે. દરેક ઑજારનાં સામર્થ્ય અને મર્યાદાઓ જુદાં જુદાં હોય છે. જેમ કે, GPT-3 કૃતિના સંક્ષેપો કરવામાં તેમ જ પ્રશ્નોત્તરી કરવામાં, આપણી સાથે સંવાદ કરવામાં, વધારે શક્તિશાળી મનાય છે, જો કે બીજાં પણ એ કામ નથી કરી શકતાં એવું નથી. મેં Google Bard પસંદ કર્યું.

બીજું ડગ એ ભરવાનું કે ‘એ.આઈ.’-ઑજાર અને નક્કી કરેલી કૃતિના ફૉરમેટનો મેળ પાડવાનો. કેમ કે કેટલાંક ઑજારો કૃતિની સાદી ફાઇલ કે ‘વર્ડ’ માગશે, તો કેટલાંક ‘પી.ડી.ઍફ.’. એ કહેવાની જરૂર નથી કે ફાઇલ ડિજિટલ વર્જન હોવી જોઈએ. ‘કદાચ હું કાલે નહીં હોઉં’-ની મારી ડિજિટલ વર્જન વર્ડ ફાઇલ બાર્ડને મંજૂર હતી.

ત્રીજું ડગ એ કે ફાઇલને ‘એ.આઈ.-ઑજારમાં અપલોડ કરવાની, જે મેં કરી. કેટલાંક ઑજાર, મેં કરી એમ ફાઇલને કમ્પ્યુટરથી સીધી અપલોડ કરવા દે, તો કેટલાંક, એ માટે ઍકાઉન્ટ ખોલવાની ફરજ પાડતાં હોય છે.

હવે, વધારે મહત્ત્વનું ડગ એ કે અધ્યયન શરૂ કરવાનું. આગળના સમયમાં અધ્યયન માટે જેમ હાથમાં પેન અને નોટબુક ખોલીને બેસતો તેમ અહીં આંગળીઓ તત્પર હતી અને કમ્પ્યુટરની બુક તો ખોલેલી જ હતી, મારા તો કમ્પ્યુટરનું નામ પણ ‘મૅકબુકઍેર’ છે. મારે આ કાવ્ય વિશે તો શું જાણવું હોય, પણ એ જાણવું હતું કે હું એને જે પૂછું એના એ શા આવકાર્ય ઉત્તરો આપે છે, અને મેં પહેલો પ્રશ્ન કર્યો કે —

Please furnish a list of images in the said poem. તો એણે ગુજરાતી અને કૌંસમાં અંગ્રેજી સાથે નીચે મુજબનો ઉત્તર વાળ્યો, એના જ શબ્દોમાં, આ પ્રમાણે —

The images -કલ્પનો in the poem કદાચ હું કાલે નહીં હોઉં are :

૧ આંસુ (tears)

૨ કન્યાનું સ્મિત (smile of a young girl)

૩ કાળમીંઢ ઈશ્વર (black-faced God)

૪ મત્સ્ય (fish)

૫ વિરહી પડછાયો (separated shadow)

(હું હાલ એ બધું નથી કહેવા માગતો કે એનું શું ખોટું અને આપણું શું ખરું કે એનું શું ખરું અને આપણું શું ખોટું ..)

પછી, એણે પોતે કહેલી ઇમેજિસ વિશે અંગ્રેજીમાં આ પ્રમાણે ટિપ્પણી કરી —

“These images are used by the poet to represent different aspects of human life, such as sorrow, love, faith, hope, and loss. The poet uses these images to create a vivid and moving description of his own thoughts and feelings about life and death.

“The poem is a beautiful and poignant reminder that life is precious and that we should cherish every moment. It is also a reminder that we should not take anything for granted, as we never know what tomorrow may bring.

“મને થયું મેં એને પ્રશ્ન અંગ્રેજીમાં કરેલો એટલે શાસ્ત્રની શિસ્ત સાચવવા એ પણ અંગ્રેજીમાં ઉત્તર આપે છે. પણ એને જો ગુજરાતી આવડે છે, તો મેં એને ગુજરાતીમાં લખીને કહ્યું કે આનો અનુવાદ આપ; એણે તરત આપ્યો (‘તરત’ એટલે ૪-૫ સૅકન્ડમાં) —

“આ છબીઓ કવિ દ્વારા માનવજીવનના વિવિધ પાસાઓ, જેવા કે દુઃખ, પ્રેમ, શ્રદ્ધા, આશા અને નુકસાનને રજૂ કરવા માટે વપરાય છે. કવિ આ છબીઓનો ઉપયોગ જીવન અને મૃત્યુ વિશેના પોતાના વિચારો અને લાગણીઓનું જીવંત અને હૃદયસ્પર્શી વર્ણન કરવા માટે કરે છે.

“આ કવિતા એક સુંદર અને સૂચક સ્મરણ છે કે જીવન અમૂલ્ય છે અને આપણે દરેક ક્ષણને થોપાવી રાખવી જોઈએ. તે એક યાદ અપાવે છે કે આપણે કંઈપણને બેદરકારીપૂર્વક લેવું જોઈએ નહીં, કારણ કે આપણે ક્યારે ય જાણી શકતા નથી કે કાલે શું લાવશે.”

મેં એને કહ્યું (લખ્યું) કે તારા કેટલાક પર્યાયો ખોટા છે, વિરામચિહ્નોની ભૂલો છે. તો એણે મારી વાત સ્વીકારી અને કહ્યું કે હું સુધારી લઈશ. અને હમ્મેશની નમ્રતાપૂર્વક લખ્યું કે હું મારી ભૂલો માટે દિલગીર છું, કેમ કે હું હજી બધું શીખું છું. 

આ ઉપરાન્ત મેં એને સમગ્રદર્શી મૂલ્યાંકન માટે, ફૉર્માલિસટ – આકારવાદી – અભિગમ અનુસારના મૂલ્યાંકન માટે, આ કાવ્યના નૅગેટિવ ક્રિટિસિઝમ માટે પણ પ્રશ્નો કર્યા છે, અને એણે સરસ ઉત્તરો આપ્યા છે. એ આ પછીના લેખમાં રજૂ કરીશ. 

= = =

(10/11/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 October 2023 Vipool Kalyani
← પરિષદની ચૂંટણીનો ખેલ અને ખેલાડીઓ : કોણ બનશે પ્રમુખ? 
શિક્ષક સાધારણ હોય તો શિક્ષણ અસાધારણ ન જ હોય … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved