Opinion Magazine
Number of visits: 9448860
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 21 : માંધાતાઓની મીટિન્ગ  

સુમન શાહ|Opinion - Opinion|15 September 2023

સુમન શાહ

બે દિવસ પર ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩-ના રોજ વૉશિન્ગ્ટન ડી.સી.માં ‘એ.આઈ.’ સાથે કોઈ ને કોઈ ભૂમિકાએ જોડાયેલા સુન્દર પિચાઇ, ઍલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને અન્ય ટૅક-સી.ઇ.ઓ. તેમ જ કાયદાના કેટલાક ઘડવૈયાઓની એક મીટિન્ગ થઈ.

સુન્દર પિચાઇ “અલ્ફાબેટ અને ગૂગલ”-ના, ઍલન મસ્ક “ટૅસ્લા” “સ્પેસઍક્સ” અને “ટ્વિટર”-ના, માર્ક ઝુકરબર્ગ “ફેસબુક” તથા બિલ ગેટ્સ “માઇક્રોસૉફ્ટ”-ના કો-ફાઉન્ડર છે તેમ જ “બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન”-ના ફાઉન્ડર છે. સાઠ સૅનેટર હાજર હતા, સૅનેટ મૅજોરિટી લીડર ચક શુમર આ મીટિન્ગના હોસ્ટ અને કન્વીનર હતા.

photo courtesy : CNN

‘એ.આઈ.’ પર નિયમન – રૅગ્યુલેશન – હોવું જોઈએ એનો વિમર્શપરામર્શ આ મીટિન્ગનો આશય હતો.

બધા એ વાતે સમ્મત થયા કે ‘એ.આઈ.’ એક સામર્થ્યવાન ટૅક્નોલૉજિ છે, એથી સારું પણ થઈ શકે અને ખરાબ પણ. અને તેથી બહુ જરૂરી છે કે એને માટેનાં નિયમનો વિકસાવાય, જેથી ‘એ.આઈ.’-નો સલામતીભર્યો વિકાસ થાય, ઉપયોગ થાય.

જો કે, ચૉક્કસ કયાં નિયમનો મૂકવાં જોઈએ એ વિશે બહુસમ્મતિ સાધી શકાઈ ન્હૉતી.

ઍલન મસ્ક નિયમનના જોરદાર સમર્થક હતા. એમણે કહ્યું, ‘એ.આઈ ’ બે-ધારી તલવાર છે, અને તેથી અતિ કાળજી રાખવી પડશે કે એને આપણે કઈ રીતે વિકસાવીએ છીએ. એમણે ‘એ.આઈ.’ માટે ‘રૅફરી’-ની રચનાનો, એવી સમિતિનો, આગ્રહ આગળ કર્યો. રૅફરી સ્વતન્ત્ર એકમ તરીકે ‘એ.આઈ.’-ના વિકાસ તેમ જ ઉપયોગ પર નજર રાખે.

માર્ક ઝુકરબર્ગે નિયમન બાબતે ઘણી સાવધતાભરી વાત કરી. એમણે કહ્યું કે ઇન્નોવેશન – નવ્ય શોધો – અને સલામતી વચ્ચેની સમતુલા બરાબ્બર સચવાવી જોઈશે. સરકારે ‘એ.આઈ.’ અંગે ઉચ્ચ ધૉરણોના મુદ્દાને લક્ષમાં લેવો જોઈશે, પણ સાથોસાથ એણે ટૅક્નોલૉજિના વિકાસને માઇક્રોમૅનેજ નથી કરવાનો, એટલે કે, એટલા બધા ઊંડે નથી  ઊતરવાનું.

સુન્દર પિચાઇએ કહ્યું કે ‘એ.આઈ.’ એક એવી સમર્થ ટૅક્નોલૉજિ છે કે વિશ્વમાં એ વડે ઘણું બધું સારું થઈ શકે એમ છે, પણ સમજી લેવું પડશે કે તેનાં જોખમો શું છે. એમણે કહ્યું કે ‘એ.આઈ.’-ને જવાબદારીપૂર્વક વિકસાવવાને ગૂગલ પ્રતિબદ્ધ છે; ‘એ.આઈ.’-ના ઉચિત ઉપયોગ માટે કમ્પની વિશ્વ આખામાં નિયમનો અનુસાર કામ કરી રહી છે.

શું પ્રયોજવાથી પૂર્વગ્રહો અને ભેદભાવોથી બચી શકાય; ઉપયોગ સ્વાસ્થ્યસેવાઓ, કેળવણી તેમ જ પર્યાવરણના સંરક્ષણ માટે જ થાય, સમાજના હિતમાં જ થાય; ‘એ.આઈ.’-થી બેકારી વધે કે દુરાશયોથી એનો દુરુપયોગ થવા માંડે, તો શું પગલાં લેવાં વગરે મુદ્દા પણ હાથ ધરાયેલા.

+++

આમે ય ‘એ.આઈ.’ પર નિયમનો અને ઍથિક્સ કહેતાં નીતિમત્તા અને તદનુસારી આચારસંહિતાની રચના અનિવાર્ય છે. હું નૉંધી ચૂક્યો છું કે હરારીએ વારંવાર આ અનિવાર્યતાને જુદા જુદા શબ્દોમાં વાચા આપી છે.

નીતિમત્તા એમ કહે છે કે ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પ્રજાજનો માટે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ – પારદર્શક. લોકોને ખબર પડવી જોઈએ કે એ કેવા પ્રકારે નિર્ણયો લે છે અને એના કેવા કેવા ઉપયોગો છે. ’એ.આઈ.’ સિસ્ટમ્સ એકાઉન્ટેબલ હોવી જોઈએ. એ જે નિર્ણયો લે એ માટે કોઇક જવાબદાર હોવું જોઇએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પાસે ફૅઅરનેસની અપેક્ષા રહે છે. એ જે નિર્ણયો લે તે રૂડા અને પક્ષપાતરહિત હોવા જોઈએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સે વપરાશકારોની અંગતતાની રક્ષા કરવી જોઈએ.

આ બધી નીતિનું એ પાલન કરે જ છે પણ જેમ જેમ એનો વિકાસ થશે તેમતેમ એની આચારસંહિતાનો પણ વિકાસ થશે.

છેવટે તો ‘એ.આઈ.’-ને અંકુશમાં રાખે એવા કાયદાકાનૂનનો હજી વધુ વિકાસ થવો જોઈશે.

બાકી, ‘એ.આઈ.’-ની મદદથી સ્વયંસંચાલિત શસ્ત્રો બની શકે છે, સ્વયંસંચાલિત એવાં કે સામાને હણી નાખવા માટે માણસોની જરૂર ન પડે.

“એ.આઈ.’-ની મદદથી સર્વેઇલન્સ સિસ્ટમ વિકસાવી શકાય છે, જે મનુષ્યજીવોની બધી જ બાતમી આપે, દરેક હિલચાલ દર્શાવે.

‘એ.આઇ.’-ની મદદથી ખોટી માહિતી સાથે મતલબી પ્રચારઝૂંબેશો ચલાવી શકાય છે.

‘એ.આઇ.’-ની મદદથી ‘ડીપફેક્સ’ સરજી શકાય છે. એ ટૅક્નિક વડે ડીપ જનરેટિવ મૅથડથી ચહેરાઓનું સાદૃશ્ય સરજી શકાય છે, અને લોકોને છેતરી શકાય છે.

ભેદભાવ, પક્ષપાત કે વ્હૅરોઆંતરો કરવા માટે ‘એ.આઈ.’ સિસ્ટમ્સનો દુરુપયોગ થઈ શકે છે. એને એવા ડેટાથી તાલીમ અપાઇ હોય કે અમુક કામની જગ્યાએ પુરુષો સફળ થાય છે, સ્ત્રીઓ નહીં, તો એ સેવાઓ માટે પુરુષોને આરામથી પ્રાધાન્ય આપી શકાય. વગેરે વગેરે.

+++

‘એ.આઈ.’ પર નિયમનો માટેની પહેલી મીટિન્ગ આમ અમેરિકામાં થઈ. આવનારા સમયમાં સંભવ છે કે વિમર્શપરામર્શ માટેની વધુ મીટિન્ગો યોજાય. મીટિન્ગમાં માંધાતાઓ, ખરેખર તો ‘એ.આઈ.’-ના પ્રત્યક્ષ-પરોક્ષ જન્મદાતાઓ, મળ્યા કહેવાય, અને સૌએ આશાસ્પદ વિચારો કર્યા, તે શુભ ચિહ્ન છે.

= = =

(09/15/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 September 2023 Vipool Kalyani
← શિક્ષક જ્ઞાન સહાયક હોય તો શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક કેમ નહીં?
ખુલાસો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved