Opinion Magazine
Number of visits: 9446979
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખકની સ્વસ્થતા અને લેખનમાં તટસ્થતા

ઇલિયાસ શેખ|Opinion - Opinion|1 April 2023

ઇલિયાસ શેખ

ગુજરાતી અખબારોમાં છપાતી અનેક કોલમ હું વાંચતો-જોતો હોઉં છું. ઘણીવાર આવી કોલમમાં લખવામાં આવતા વિષય-વસ્તુને લઇને મને મનમાં થતું હોય છે કે, ન જાને આવી ‘કોલમ’ના આધારે કંઈ કેટલાં ‘બિંબ’ અને ‘પ્રતિબિંબ’ ટકી રહેતા હશે !

‘કોલમ’ આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ આપણી ગુજરાતીમાં કડિયાઓએ ‘બિંબ-કોલમનું ચણતર’ એમ બોલી-બોલીને એનું ગુજરાતીકરણ કરી નાખ્યું છે ! કોલમ માટે ગુજરાતીમાં સાચો શબ્દ ‘સ્તંભ’ છે. જે વર્તમાન સમયમાં લખાતી કોલમોના રંગ-રૂપ અને છટા જોતાં આપણને એકદમ બંધ-બેસતો શબ્દ લાગે. કેમ કે, સ્તંભ એ દંભનો સહોદર છે. આપણે અમુક-તમુક સ્તંભ લેખકોને વાંચીએ ને મળીએ તો આપણે સ્તબ્ધ બની જઇએ – એ હદ્દે એ લેખકો દંભી હોય છે. ટર્નર, ફિટર અને લેથના કારીગરની માફક એવાં લેખકો શબ્દો સાથે કામ પાર પાડતા હોય છે. અખબારમાં પ્રચલિત ‘કોલમ-સેન્ટીમીટર’ની સંજ્ઞા મને જાહેરાત કરતાં તો એ કોલમિસ્ટના દૂષિત અને અનિષ્ટ મસ્તિષ્કનું માપ હોય એવું વધારે જણાય છે !

કટાર-લેખનમાં હવે બે-ચાર અપવાદોને મજરે મુકતા, મોટાભાગની કલમો સત્તા સામે મુજરો કરતી, કુરનિશ બજાવતી ગણતરીબાજ જોહરાબાઇ બની ગઇ છે. આવી બુઠ્ઠી અને જુઠ્ઠી કટારોને હું તો ન કટાર માનું, અને ન કલમ. પણ, મારાં માનવા-ન માનવાથી એમને કોઇ ફેર નથી પડવાનો.

ગુગલ, વિકિપીડિયા અને સોશ્યલ મીડિયામાંથી, અહીં-તહીંથી એકઠું કરીને, આવાં બખિયાબાજ કટાર લેખકો માત્ર ફકરા ને ફિતુરના થીગડાં મારે છે. ચારેકોરથી થતાં માહિતીઓના વિસ્ફોટે આજના લેખકને જાણે કે એક ‘ઉચ્ચક – બબુચક લહિયો’ બનાવી નાખ્યો છે. આવા લહિયાઓ જ્યારે લખવા બેસે છે ત્યારે એના સંવેદનને જાણે કે લકવો મારી જાય છે. આવા લહિયાઓ તો પોતાની જાતને શ્વેત કાગળ ઉપર સાચા મોતીનો ચારો ચણતા માનસરોવરના હંસ માનતા હોય છે. પણ એ લહિયાઓ એ હકીકતથી બેખબર હોય છે કે, એ લોકો ‘માનસરોવરના હંસ’ નહીં પણ ‘અપમાન ધરોહરના કંસ’ સમાન હોય છે. 

માનસરોવરના હંસમાં તો ‘ક્ષીરનીર વિવેકની’ સમજણ હોય છે. જ્યારે આવા લહિયાઓ તો ‘સત્તાધારી’ના ચરણોમાં ગેલ કરતાં ગલુડિયાં સમાન હોય છે. એમને મન ‘વિસ્મય’ હોવું અને ‘વિષમય’ હોવું – બંને એક જ બાબત છે. આવા લોકોને જો ‘સત્તાધારી’ની સંધિ છૂટી પાડવાનું કહેવામાં આવે તો – એ લોકો એને ‘સત્ત આધારી’ તરીકે છૂટી પાડીને આપણને અચરજમાં નાખી દેતા હોય છે !

લેખનમાં ‘તટસ્થતા’ જાળવવી, એટલે કે ‘ન્યુટ્રલ’ હોવું – એ તો મને શબ્દ સાથે આચરવામાં આવતું ‘છળ-કપટ’ લાગે છે. લેખક તટસ્થ નહીં, પણ ‘સ્વસ્થ’ હોવો જોઈએ. એનો વિવેક એટલો મજબૂત અને સાબૂત હોવો જોઇએ કે, એ પોતાની જાત સાથેની નિસબત અને પ્રતિબદ્ધતા નિભાવી જાણે. ‘ન્યુટ્રલ’ તમે ખરેખર તો હોતા નથી, પણ પરાણે બની જતાં હો છો. ‘ન્યુટ્રલ’ હોવું અને ‘અનબાયસ્ડ’ હોવું – બંને એક જેવા ભલે લાગે – પણ હકીકતમાં એના અર્થ એક સરખા નહીં પણ તદ્દન અલગ-અલગ છે.

લેખનમાં ‘ન્યુટ્રલ’ હોવું એટલે પલાયનવાદી ગધેડાનું પૂછડું ઝાલવું ! પોતાને ‘ન્યુટ્રલ’ ઓળખાવતા લેખકોને ‘two face’ અને ‘two ass’ હોય છે ! એટલે કે ‘બે મોઢા’ અને ‘બે ધગડા’ હોય છે ! જ્યારે ‘અનબાયસ્ડ’ હોવું એટલે ન્યાયી ને નિર્ભીક હોવું. અનબાયસ્ડ લેખનમાં પાછલાં પૂર્વગ્રહની એક પણ પરછાઈ નથી હોતી. અનબાયસ્ડ લેખનમાં માંહ્યલામાં રહેલી માન્યતાની કોઇ આમાન્યા કે હઠાગ્રહ નથી હોતાં. એટલે અનબાયસ્ડ લેખન કોઇ મુદ્દાની તરફેણમાં પણ હોઇ શકે અને કોઇ મુદ્દાની વિરુદ્ધમાં પણ હોઇ શકે. એની સામે, ન્યુટ્રલ રાઇટિંગમાં મૂળ તો ‘સેઇફ રાઇડિંગ’નો કારસો રચવા જેવી વાત હોય છે. એટલે જ ન્યુટ્રલ રાઇટિંગના એક ફકરામાં ચાબૂક વીંઝાતી જોવા મળે તો તરત જ બીજા ફકરામાં આપણને લેખકની લેખિની હાથમાં ગુલાબ-જાંબુ ભરેલોનો કટોરો લઇને શરમાળ નવોઢા જેવી જોવા મળે !

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં પણ ન્યુટ્રલનું હોવું એટલે એક ‘અનપાવર્ડ’ કરન્ટ વગરની લાઈનની માફક સાથે રહેવું. ફેઇઝ એક લાઈવ પાવર્ડ લાઈન હોય છે. એ વિજ-ઉપકરણોનેને પાવર ફીડ કરે છે. અર્થિંગની ડ્યુટી અનવોન્ટેડ પાવરને ગ્રાઉન્ડ કરવાની હોય છે. એટલે કે ફેઇઝ પાવરનું વહન કરે છે. અર્થિંગ પાવરને સહન કરે છે. પણ ‘ન્યુટ્રલ’ની ઉપયોગિતા માત્ર ઇલેક્ટ્રિકલ સર્કીટને પૂરી કરવા માટે હોય છે. કે જેથી વિજ-પ્રવાહ સરક્યુલેટ થતો રહે.

ઇલેક્ટ્રિક સર્કીટમાં આવતા મોટાભાગના પ્રોબ્લેમ્સનું કારણ ‘bad neutral’ હોય છે. Neutral જ્યારે bad હોય ત્યારે એ ઉપકરણ અને અર્થિંગ બંનેને બગાડે છે. લેખનમાં પણ ન્યુટ્રલ લેખકો આવા બેડ-ન્યુટ્રલ સમાન હોય છે. એમની પાસે ન તો પોતીકી કોઇ ટોલરન્સ હોય છે, કે ન તો પોતીકી કોઇ વહનક્ષમતા. એટલે એ બેડલી ન્યુટ્રલ રહીને ‘અર્થ’ને નિરંતર ‘અનર્થ’ કરતા રહે છે. આવા ‘લે-ભાગું’ ન્યુટ્રલ લેખકોથી અંતર રાખવું. કેમ કે, ન્યુટ્રલ લેખકો પાસેથી આપણે કશું જ પામી શકતા નથી. ન્યુટ્રલ લેખકોનું તો માસ્તર માટેની કહેવત જેવું હોય છે કે ‘મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં’. જો કે, ન્યુટ્રલ લેખકો ઊઠાં ભણાવવામાં ભારે ઉસ્તાદ હોય છે.

અંતે, મારે ભારપૂર્વક એટલું જ કહેવું છે કે, આજે જ્યારે ઠેર-ઠેર માહિતીઓના રાફડા ફાટ્યા છે, ત્યારે કોઇ રાફડા પાસે હાંફળા-ફાંફળા થઇને ન જવું. વાચક તરીકેની સજ્જતા કેળવવી. નહીં તો આવા રાફડામાં રહેલા નાગ પળવારમાં એની તરફેણની ફેણ ફુલાવીને તમને તરત જ ડસી લેશે. એ ડસી લે પછી મને કહેતાં નહીં કે ‘તમે કેમ કીધું નહીં !’ કેમ કે, રાફડામાં રહેતા બધાં નાગ બિન-ઝેરી નથી હોતા! અસ્તુ. આ લખ્યું નથી અમસ્તુ.

••• 

સૌજન્ય : ઇલિયાસભાઈ શેખની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

1 April 2023 Vipool Kalyani
← ગાંધી, તેમના વિચારો અને જીવન હજુ 21મી સદીના ત્રીજા દાયકામાં પણ શા માટે મહત્ત્વ ધરાવે છે તેનાં દસ કારણો.
ચલ મન મુંબઈ નગરી—190 →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved