Opinion Magazine
Number of visits: 9446503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાથી ગુજરાતી ભાષાને ટકાવી શકાય ખરી? 

કૌશિક અમીન|Opinion - Opinion|15 March 2023

ગુજરાત ડાયરી : 

ગુજરાત સરકારે ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યું જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવાશે 

ગુજરાત સરકારે ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યું જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવાશે * રાજ્યમાં આવેલી તમામ બોર્ડ કે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલી શાળાઓ માટે ધોરણ એકથી આઠમાં ભણતાં બાળકો માટે ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવાની જોગવાઈ કરાઈ છે * નવી જોગવાઈને લઈને કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે  * કેટલાક આ પગલાને સરાહનીય ગણાવી રહ્યા છે. 

 * આ બિલની જોગવાઈ પ્રમાણે એક સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવશે, જે દરેક શાળામાં પ્રાથમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય ભણી રહ્યા છે કે નહીં તે જોશે. * જોગવાઈઓ પ્રમાણે જો કોઈ સ્કૂલ તેનું ઉલ્લંઘન કરશે તો તેને પ્રથમ વખત 50 હજાર બીજી વખત એક લાખ અને ત્રીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરાશે. * જો એક વર્ષ કરતાં વધુ સમય સુધી કોઈ સ્કૂલ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવશે તો રાજ્ય સરકાર જે તે ઇન્સ્ટિટ્યૂટ કે બોર્ડને શાળાની માન્યતા રદ્દ કરવા સૂચન આપશે.* જે બાળકો હાલમાં ધોરણ છ કે સાતમાં આવ્યાં છે, તેઓ ક્યારે ય ગુજરાતી શીખ્યાં નથી અને હવે તેમણે ફરજિયાત ગુજરાતી ભાષા ભણવી પડશે, જે તેમના માટે એક મોટો પડકાર બની રહેશે. 

ગુજરાતમાં તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવવાનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થઈ ગયો. આ ખરડા પર રાજ્યપાલની સહી થાય એટલે કાયદો બની જશે ને જૂનથી શરૂ થતા ૨૦૨૩-૨૪ના નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યમની સી.બી.એસ.ઈ. સાથે તથા ઇન્ટરનેશનલ બોર્જ સાથે સંકળાયેલી શાળાઓને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

રાજ્ય સરકારે પસાર કરેલા ખરડાની જોગવાઈઓ પ્રમાણે, ગુજરાતમાં ચાલતી તમામ સ્કૂલે ધોરણ ૧થી ધોરણ-૮ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી પડશે ને જે સ્કૂલ ચૂક કરશે તેને આકરો દંડ થશે. સ્કૂલની માન્યતા પણ રદ્દ થઈ શકે છે. ફરજિયાત ગુજરાતી ભણાવવાના નિયમનો પ્રથમ વખત ભંગ કરવા બદલ રૂપિયા ૫૦,૦૦૦નો દંડ થશે જ્યારે બીજી વખત ભંગ બાદ એક લાખ રૂપિયાનો દંડ થશે. ત્રીજી વાર નિયમ ભંગ કર્યો તો બે લાખ રૂપિયાનો દંડ થશે. જો ચોથી વખત નિયમનો ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ થશે. દરેક બોર્ડની સ્કૂલને આ કાયદો લાગુ કરાશે અને વારંવાર દંડ છતાં સ્કૂલ ના માને તો દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ કરાઈ છે. આ કાયદાના અમલ માટે અલગ તંત્ર ઊભું કરાશે કે જે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવાય છે કે નહીં તેના પર નજર રાખશે. ગ્રાન્ટેડ સ્કૂલો ગુજરાતી ના ભણાવે તો તેમની ગ્રાન્ટ બંધ કરી દેવાશે.

ગુજરાતમાં ગુજરાતી મુખ્ય ભાષા છે અને ગુજરાતમાં રહેનારાં મોટા ભાગનાં લોકોની માતૃભાષા પણ ગુજરાતી છે. આમ છતાં ગુજરાતમાં ગુજરાતી ભાષાની કોઈ કિંમત જ નથી. સરકારી શાળાઓમાં તો ફરજિયાત ગુજરાતી ભણાવવી જ પડે કેમ કે મોટા ભાગની સરકારી સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ અપાય છે પણ બીજી સ્કૂલોમાં ગુજરાતી ભણાવાતું નથી. ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં મોટા ભાગની ખાનગી શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે શીખવાતી નથી.

આ સ્થિતિ શરમજનક કહેવાય ને ગુજરાત સરકાર આ શરમજનક સ્થિતિને દૂર કરવા માટે કાયદો બનાવે એ સારું જ છે. ગુજરાતીઓને માતૃભાષાનું શિક્ષણ આપવાના કોઈ પણ પ્રયાસ સરાહનીય જ કહેવાય પણ સવાલ પ્રયાસનો નથી, આ પ્રયાસની ગંભીરતાનો છે. સવાલ એ છે કે, કાયદો લાવ્યા પછી પણ ગુજરાત સરકાર ગુજરાતની શાળાઓને ગુજરાતી ભાષા ફરજિયાતપણે શીખવવાની ફરજ પાડી શકશે ખરી?

આ સવાલનો જવાબ કાયદો અમલમાં આવે પછી મળે પણ અત્યાર સુધીનો અનુભવ જોતાં શંકા છે. ગુજરાત સરકારે કાયદો તો અત્યારે બનાવ્યો પણ ગુજરાતની તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવાય એ માટેના પ્રયાસ તો વરસોથી ચાલે છે. છેક ૨૦૧૮માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને આદેશ આપેલો કે, રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ ૨૦૧૮માં ધોરણ ૧ અને ૨, વર્ષ ૨૦૧૯માં ધોરણ-૩, વર્ષ ૨૦૨૦માં ધોરણ-૪ અને એ રીતે ક્રમશ: ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવું પડશે.

તેથી રાજ્યની તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ પહેલા ધોરણથી ફરજિયાત કરવાનું ફરમાન કરી દીધેલું. રાજ્ય સરકારે ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ઠરાવ કરીને આ પરિપત્ર બહાર પાડેલો. ગુજરાત બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાઓમાં તો પહેલા ધોરણથી ગુજરાત ભણાવાય જ છે તેથી ત્યાં સવાલ નહોતો પણ સી.બી.એસ.ઈ., આઈ.સી.એસ.ઈ. અને ગુજરાત બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી ભણાવવું એવું આ પરિપત્રમાં ચોખ્ખા શબ્દોમાં કહેવાયેલું. આ પરિપત્રનો અમલ નવા સત્રથી એટલે કે જૂન, ૨૦૧૮થી કરી દેવો એવો આદેશ પણ અપાયેલો. આ પરિપત્રના આદેશ માટે વારંવાર રીમાઈન્ડ પણ અપાયા પણ તેમાં અમલ જ ના થયો.

આ પરિપત્રને સાડા ચાર વર્ષ થઈ ગયાં ને હવે આ કાયદો લાવવો પડ્યો છે. આ કાયદો લાવીને સરકારે પોતાની નિષ્ફળતા કબૂલી છે. હજુ ગુજરાતની તમામ પ્રાથિમક શાળાઓમાં પહેલા ધોરણથી ગુજરાતી ભાષા ભણાવાતી નથી એ વાત આ કાયદો લાવીને સરકારે પોતે સ્વીકારી છે. આશા રાખીએ કે, કાયદા દ્વારા સરકાર માતૃભાષાનું ગૌરવ સ્થાપિત કરવાના ઉદ્દેશને પાર પડવામાં સફળ થાય. કાયદાથી આ કામ થવા અંગે શંકા જ છે,  જો કે કોઈ પણ ભાષા કાયદાથી ના ટકે. તેને પ્રજા ટકાવી શકે ને કમનસીબી એ છે કે, ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને લોકોમાં માતૃભાષાનું ગૌરવ પેદા કરવામાં ગુજરાતીઓને પણ રસ નથી. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં લોકો ગર્વ અનુભવે છે. સરકારમાં બેઠેલા લોકો પણ મરાઠી જ બોલે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવાં મોટાં રાજ્યોમાં એ જ સ્થિતિ છે. દક્ષિણનાં રાજ્યોમાં તો તેમની ભાષાની અવગણના થાય તો લોકો રસ્તા પર આવી જાય છે ને આંદોલન પર ઉતરી આવે છે. આ રાજ્યોમાં સરકારમાં બેઠેલા લોકોથી માંડીને સામાન્ય લોકો સુધીના બધા પોતાની માતૃભાષા વિશે સભાન છે, ગૌરવ અનુભવે છે. ગુજરાતીઓમાં એ ગૌરવ નથી.

ગુજરાતીઓની માનસિકતા વિચિત્ર છે. આઘાતજનક વાસ્તવિકતા એ છે કે, ગુજરાતીઓ જ ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે. બહારની વ્યક્તિ સાથે ના આવડે તો પણ અંગ્રેજી કે હિંદીમાં બોલવામાં ગુજરાતીઓ બહાદુરી સમજે છે. માનસિકતા બદલાય તો જ ગુજરાતીનું ગૌરવ વધે, બાકી શાળામાં ભણાવવાથી કશું ના થાય. ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાને ટકાવવા પ્રયત્નો કરે તો કાયદાની પણ જરૂર ના પડે. ગુજરાતીને મહત્ત્વ આપવાનો અર્થ બીજી ભાષાઓને અવગણવાનો નથી.

બીજી ભાષા શીખો, બોલો, વાંચો પણ માતૃભાષાને ના અવગણો એ વાત ગુજરાતીઓ સમજતા થાય તો કશું ના કરવું પડે.        

[એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ]
સૌજન્ય : નોર્થ અમેરિકામાં વસતા વિચારશીલ અને કર્મશીલ માનવીઓનું પાક્ષિક “માનવ”; 01 માર્ચ 2023; પૃ. 30-32

Loading

15 March 2023 Vipool Kalyani
← ડાગદર બાબૂ : ધર્મેન્દ્ર-જયાની અધૂરી પ્રેમ કહાની
એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved