Opinion Magazine
Number of visits: 9657608
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ગુજરાતના યુવાનો ડોબાઓ છે? કાપલિયાં છે?

રમેશ સવાણી|Opinion - Opinion, Samantar Gujarat|2 February 2023

રમેશ સવાણી

‘મરતા સુધી સત્ય ન છોડવું’ તેમ ગાંધીજીએ કહ્યું હતું. લોકપ્રિય લેખકો / મોટિવેશનલ લેખકો – વક્તાઓ ગાંધીજીથી ઊલટી દિશાનું વિચારે છે કે ‘મરતા સુધી સત્ય ન બોલવું !’

29 જાન્યુઆરી 2023ના રોજ, 9.53 લાખ યુવાનો જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષામાં આપવાના હતા. પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટી ગયું. લાખો માતા-પિતાઓનાં પોતાનાં દીકરા-દીકરીનાં ઊજળા ભવિષ્યની આશા પર પાણી ફરી ગયું ! ગુજરાતમાં પેપર ફૂટવાનો ‘સમૃદ્ધ ઇતિહાસ’ છે. સ્વાભાવિક છે કે ફૂટલા તંત્રની આલોચના થાય. લોકપ્રિય વક્તા સંજય રાવલે સરકારના / તંત્રના બચાવ માટે કહ્યું : “બેરોજગારી છે જ નહીં. 5,000ને લાવો હું નોકરી અપાવી દઉં. પણ યુવાનો ડોબાઓ છે. એને કંઈ આવડતું જ નથી. ભજિયાંની લારી કરે તો પણ રોજના 500 રૂપિયા કમાઈ લે !” લોકપ્રિય લેખક / વક્તા જય વસાવડાએ સરકારના / તંત્રના બચાવ માટે કહ્યું : “પેપર નથી ફૂટતાં, માણસો ફૂટતાં હોય છે. પરીક્ષા વખતે મા-બાપો કાપલી લઈને બહાર ઊભા હોય. ડિમાન્ડ છે તો સપ્લાઈ છે. તંત્રએ / નવી પેઢીએ / મા-બાપોએ શીખવાની જરૂર છે કે આપણે એવા છોકરા પેદા ન કરીએ જે ફૂટેલા પેપરથી અધિકારી થાય !”

થોડાં પ્રશ્નો :

[1] શું યુવાનો ડોબાઓ છે? આવડત વિનાના છે? કાપલિયાં છે? શું યુવાનો પરીક્ષાની તૈયારી કરતા નથી? શું ગુજરાતના યુવાનો ડોબાઓ / કાપલિયાં અને સરકાર / નેતાઓ દેવદૂત છે?

[2] 27 વરસથી એક જ પક્ષનું સળંગ શાસન છે; છતાં વારંવાર પેપર ફૂટે તેમાં યુવાનોનો વાંક કાઢી શકાય? ડિમાન્ડ છે તો સપ્લાઈ છે, તેમ કહીને સરકારનો બચાવ કરી શકાય? પેપર ન ફૂટે તેવી વ્યવસ્થા સરકારે કરવાની હોય કે યુવાનોએ? શું યુવાનો ઈચ્છે છે કે પેપર ફૂટે?

[3] ‘5,000ને લાવો હું નોકરી અપાવી દઉં’ એમ કહેવું એ સરકારની ચાપલૂસી નથી? શું સરકારનો કોઈ દોષ જ નથી? બધો વાંક યુવાનોનો છે? શું વાસ્તવમાં બેરોજગારી નથી?

[4] સ્નાતક / અનુસ્નાતક થઈને ભજિયાંની લારી કાઢનાર યુવાન સાથે કોઈ પોતાની દીકરીની સગાઈ કરવા તૈયાર થશે?

[5]‘આપણે એવા છોકરા પેદા ન કરીએ જે ફૂટેલા પેપરથી અધિકારી થાય !’ એમ કહેવું એ શબ્દોની ચાલાકી નથી? સરકારને આલોચનામાંથી ઉગારવાનો સભાન પ્રયત્ન નથી? છોકરાઓ કેવાં પેદા કરવા જોઈએ, એની ખબર છે; એને સરકારે અને વહીવટી તંત્રએ શું કરવું જોઈએ એની ખબર નથી !

[6] કોર્પોરેટ કથાકારો / ગુરુઓ / સ્વામીઓ / લોકપ્રિય લેખકો / મોટિવેશનલ વક્તાઓ ‘સત્તા’ની આલોચના કરવાને બદલે લોકોનો જ વાંક કેમ કાઢતા હશે? ‘સત્તા’ સાથે અદૃશ્ય ગઠબંધન હશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2 February 2023 Vipool Kalyani
← રાહુલ ગાંધીએ પદયાત્રા વડે ફરી કાઁગ્રેસની અસ્સલ જમીન મેળવી છે
મિલનની રૈના અને ‘અભિમાન’નો અંત →

Search by

Opinion

  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved