Opinion Magazine
Number of visits: 9446502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 September 2022

દેશમાં પ્રવર્તતા વિકરાળ સામાજિક-આર્થિક ભેદ ઘણીવાર જીવનના સાવ જ અકલ્પનીય લાગે તેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિની ઉંમર અને ઊંચાઈ તેની સામાજિક-આર્થિક સ્થિતિ મુજબની હોય છે તેવું માનવું અઘરું છે. પરંતુ સંશોધનો પરથી પુરવાર થયું છે કે ઉંમર અને ઊંચાઈને પણ ભેદ નડે છે.

આઝાદી મળી ત્યારે, ૧૯૪૭માં, ભારતીયોનું સરેરાશ આયુષ્ય માત્ર ૩૨ વરસ હતું. આજે તે બમણા કરતાં વધુ એટલે કે ૬૯.૭ વરસનું છે. પરંતુ તમામ ભારતીયોને માટે આ સાચું નથી. સમાજના છેવાડાના વર્ગો કે જેમના માટે આમે ય જીવન દોહ્યલું છે તેમની આવરદા પણ ટૂંકી હોય છે. યુ.એન. વુમન રિપોર્ટ ૨૦૧૮માં સમાવિષ્ટ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ દલિત સ્ટડીઝ’ના ૨૦૧૩ના મહિલાઓ સંબંધી અભ્યાસ મુજબ કથિત ઉચ્ચ વર્ણની મહિલાઓ અને દલિત મહિલાઓની સરેરાશ ઉંમર વચ્ચે મોટો ફરક હોય છે. દલિત મહિલાઓ સમાજની ઉચ્ચ વર્ણીય મહિલાઓ કરતાં લગભગ સાડા ચૌદ વરસ વહેલી મરી જાય છે. કથિત સવર્ણ મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૨૦૧૩માં ૫૪.૧ વરસ હતું જ્યારે દલિત મહિલાઓનું ૩૯.૫ વરસ હતું ! શા માટે દલિત મહિલાઓ ઓછું જીવે છે તેનાં કારણો જગજાહેર છે. કુપોષણ, દલિતથી અદકી દલિત હોવું, જીવનની જદ્દોજહદ અને સંઘર્ષોને કારણે તેમનું આયખું અન્ય મહિલાઓ કરતાં ટૂંકુ હોય છે.

દલિત મહિલાઓ સહિત સમાજના દલિત, આદિવાસી, પછાત અને મુસ્લિમ જેવા વંચિત સમુદાયની સરેરાશ આવરદા પણ કથિત ઉજળિયાત વર્ણ અને આર્થિક સમૃદ્ધ વર્ગ કરતાં ઓછી હોય છે. જાણીતા અર્થશાસ્ત્રી વાણીકાંત બરુઆના ૨૦૧૮માં પ્રકાશિત સંશોધન, ‘કાસ્ટ, રિલિજિયન એન્ડ હેલ્થ આઉટકમ્સ ઈન ઇન્ડિયા, ૨૦૦૪-૧૪’માં ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચેના ભારતીયોના મૃત્યુ સમયના સરેરાશ આયુષ્યનું અધ્યયન, નેશનલ સેમ્પલ સર્વે(૨૦૦૪-૨૦૧૪)ના આધારે, કરવામાં આવ્યું છે. આ અધ્યયનના તારણો પ્રમાણે ૧. આદિવાસીઓ બહુ ઓછું જીવે છે. દેશમાં સૌથી ઓછું સરેરાશ આયુષ્ય આદિવાસીઓનું છે. ૨. આદિવાસી પછીના ક્રમે ઓછું આયુષ્ય દલિતોનું છે. ૩. આદિવાસી અને દલિત પછીના ક્રમનું સરેરાશ આયુષ્ય પછાત વર્ગના લોકોનું છે. અને ૪. કથિત ઊંચી જ્ઞાતિના લોકો દલિત-આદિવાસી-પછાત કરતાં વધુ જીવે છે.

વંચિતો અને સમાજના ઉપલા વર્ણોના લોકોના આયુષ્ય વચ્ચે મોટું અંતર છે. ૨૦૧૪માં ભારતના આદિવાસીઓની મૃત્યુ સમયની ઉંમર ૪૩ વરસ, દલિતોની ૪૮ વરસ, પછાત મુસલમાનોની ૫૦ વરસ, પછાત બિનમુસ્લિમોની ૫૨ વરસ હતી. જ્યારે આ વરસે ઉપલા વર્ણના હિદુઓની ૬૦ વરસ અને બિનપછાત મુસલમાનોની ૪૯ વરસ હતી. ૨૦૦૪માં ઉપલા વર્ણના હિંદુઓ સરેરાશ ૫૫, બિનમુસ્લિમ પછાત ૪૯, પછાત મુસલમાન ૪૩, બિનપછાત મુસલમાન ૪૪, દલિતો ૪૨ અને આદિવાસીઓ ૪૫ વરસનું સરેરાશ આયુષ્ય ભોગવતા હતા. ૨૦૦૪માં ૪૨ વરસનું સૌથી ઓછું સરેરાશ આયુષ્ય ધરાવતા દલિતોના આયુષ્યમાં ૨૦૧૪માં ૬ વરસનો વધારો થઈને ૪૮નું થયું હતુ. પરંતુ ૨૦૦૪માં ૪૫ વરસની આવરદા ધરાવતા આદિવાસીઓની જીવન રેખા ૨ વરસ ઘટીને ૪૩ થઈ ગઈ હતી! ૨૦૦૪ અને ૨૦૧૪ના સરેરાશ આયુષ્યમાં સર્વાધિક ૭ વરસની વૃદ્ધિ પછાત મુસલમાનોમાં જોવા મળી હતી. તેમની સરેરાશ ઉંમર આ દાયકામાં ૪૩ વરસથી વધીને ૫૦ વરસની થઈ હતી.

ભારત રાજ્યોનો સંઘ છે. પરંતુ તમામ રાજ્યોનો વિકાસ એકસરખો નથી. તેથી વિકસિત અને અવિકસિત રાજ્યોના લોકોનું સરેરાશ આયુષ્ય પણ એકસરખું નથી. અવિકસિત રાજ્યોના લોકો વિકસિત રાજ્યોના લોકો કરતાં સાત વરસ વહેલાં મરે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ૨૦૧૫-૧૯ના ડેટા પરથી જણાય છે કે દેશમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય દિલ્હીના લોકોનું છે. દિલ્હીના પુરુષો સરેરાશ ૭૪.૩ વરસ અને સ્ત્રીઓ ૭૭.૫ વરસ જીવે છે. સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢના લોકોનું (પુરુષો ૬૫.૩ અને સ્ત્રીઓ ૬૩.૭ વરસ) છે.

વ્યક્તિની ઊંચાઈ જેનેટિક કન્ડીશન પર આધાર રાખે છે. પણ ભારતમાં સામાજિક-આર્થિક સ્થિતિ પણ વ્યક્તિની ઊંચાઈ પર અસર કરે છે. ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈના, પાંચ વરસ કરતાં ઓછી વયના, સૌથી વધુ બાળકો ભારતમાં છે. દુનિયાના ઓછી ઊંચાઈનાં કુલ બાળકોમાં એકતૃતીયાંશ બાળકોના હિસ્સા સાથે ભારત ઠીંગણાં બાળકોનું ઘર ગણાય છે. ભારતમાં જ્ઞાતિ અને સામાજિક-આર્થિક કારણોની બાળકોની ઊંચાઈ પર સારી-નરસી અસરો તપાસતા સંશોધન “ધી મિસિંગ પીસ ઑફ પઝલ : કાસ્ટ ડિસ્ક્રિમિનેશન એન્ડ સ્ટન્ટિંગ’ના તારણો ચોંકાવનારા છે. હાઈડેલબર્ગ યુનિવર્સિટી, જર્મનીના રાજેશ રામચન્દ્રન અને અશોકા યુનિવર્સિટી, નવી દિલ્હીના અશ્વિની દેશપાંડેનો અભ્યાસ જણાવે છે કે દલિત બાળકો સામાજિક ભેદભાવનો સૌથી વધુ ભોગ બને છે. સામાજિક સમાનતા અને સામાજિક સલામતીની દૃષ્ટિએ તેઓ સૌથી વધુ અસુરક્ષિત હોઈ તેમની ઊંચાઈ ઉપલા વર્ણનાં અન્ય બાળકોની તુલનામાં ઓછી જોવા મળે છે. દલિતો અને ઉપલા વર્ણનાં બાળકોની ઊંચાઈનો આ તફાવત આભડછેટ અને સામાજિક ભેદભાવના કારણે છે. દેશના જે જિલ્લાઓમાં અસ્પૃશ્યતાનું ચલણ વધારે છે તે જિલ્લાનાં દલિત બાળકોની ઊંચાઈ ઓછી રહી જવા પામે છે. જ્યારે જે જિલ્લાઓમાં આભડછેટ ઓછી છે તે જિલ્લાનાં બાળકો  પ્રમાણમાં સામાન્ય ઊંચાઈ ધરાવે છે.

ઊંચાઈના આ તફાવતનું કારણ આભડછેટ ઉપરાંત શૌચાલય સહિતની સ્વચ્છતાનો અભાવ, કુપોષણ, માતાનું ઓછું શિક્ષણ, પરિવારનું મોટું કદ અને નબળી આર્થિક સ્થિતિનાં કારણે છે. અભ્યાસ હેઠળનાં દલિત માતા સરેરાશ ૫.૨૬ વરસ અને અન્ય માતા સરેરાશ ૯.૪૭ વરસ શાળા શિક્ષણમાં  ગાળતાં જોવાં મળ્યાં છે. કથિત અવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૫૧ ટકા જેટલો નીચો અને સવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૮૩ ટકા જેટલો ઊંચો છે તેની અસર બાળકોના લાલનપાલન પર પડે છે. સામાજિક પરિવેશમાં ફરક પણ આ ઊંચાઈના તફાવતના મૂળમાં રહેલો છે.

ઉંમર અને ઊંચાઈની બાબતમાં જોવા મળતા તફાવતનું સામાન્યીકરણ કરવાની જરૂર નથી. વંચિત વર્ગના બાળકોનાં ઠીંગણાપણાના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે તેમ જ્યાં આભડછેટનું આચરણ વધુ છે ત્યાં સામાજિક અસલામતીથી દલિત બાળકોનું કદ ઓછું છે પણ તેમના પ્રત્યે આભડછેટ આચરનારા વર્ગના બાળકોનું કદ કંઈ વધારે નથી. એ જ રીતે સામાજિક-આર્થિક વંચિત સમુદાયના બધા જ ભારતીયો ઓછું જીવે છે અને તેનાથી વિપરીત સ્થિતિના બધા જ લોકો હંમેશાં લાંબુ જ જીવે છે તેવું નથી હોતું. સહિતો અને રહિતો વચ્ચેનો આ ભેદ દેશમાં કેવી ભયાવહ સામાજિક-આર્થિક અસામનતા પ્રવર્તે છે અને તે કેવી કેવી અસરો જન્માવે છે તે દર્શાવીને સર્વસમાવેશી એવા સૌના વિકાસની જરૂરિયાત ચીંધે છે.

(તા.૨૪.૦૮.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com

Loading

13 September 2022 Vipool Kalyani
← “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૮)
સારી ન દેખાતી વ્યક્તિ સારી હોઈ શકે છે …  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved