Opinion Magazine
Number of visits: 9448484
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત, આપણા પક્ષોની ને ઢોલનગારાની !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|7 September 2014

અલ કાયદા : બાંગ્લાદેશ, આસામ, ગુજરાત, કાશ્મીર … અને મુસ્લિમ બ્રધરહૂડ સ્ટેટ ('ઉમા’)

કબૂલ કે એ ઉદ્દગારોમાં એક તરેહનું સ્માર્ટિંગ છે. કંઈક ચાતુરી તો તત્કાળ ચમત્કૃિત પણ છે. 'દેશ જ્યારે ભડકે બળતો હતો, મોદી ત્યારે ઢોલ પીટતા હતા,’ અમેઠીની પુશ્તૈની બેઠકની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું છે. ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિ‌નામાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાહુલ ગાંધીના ખયાલમાં એટલી એક સાદી વિગત તો કમ સે કમ હોવી જોઈએ કે હજુ મે ૨૦૧૪ લગી એટલે કે પૂરા એક દાયકા લગી તો રાષ્ટ્રીય સ્તરે યુ.પી.એ.નું જ શાસન હતું. દેશમાં બધું ઠીકઠાક ન લાગતું હોય તો એનો સઘળો યશ કંઈ પહેલાં સો દિવસને જ ખતવી શકાતો નથી.

જો કે, ઉલટ પક્ષે, પહેલા સો દિવસમાં જ 'અચ્છે દિન’નાં વધામણાં રૂપે વૃિદ્ધ દરનો હવાલો અપાય છે ત્યારે એક સાદી વિગત ખયાલમાં રહેતી નથી કે આ વધારો વસ્તુત: જતી સરકારે લીધેલા અને અમલમાં મૂકવા માંડેલા કેટલાક નિર્ણયોને આભારી છે. જે ગાળાને આધારે વૃિદ્ધનો હવાલો અપાય છે તેનો ઠીક ઠીક હિ‌સ્સો યુ.પી.એ.ના ખાતામાં જાય છે. આબાદ વિગત તો ઘરઆંગણે ગુજરાતની છે. 'વાઈબ્રન્ટ’ ઈવેન્ટ આગમચ પડદા ઉઠાવ ઉર્ફે કર્ટન રેઝર જેવું જે બધું સાહિ‌ત્ય હાલ ફરી રહ્યું છે એમાં રાષ્ટ્રીય ચિત્ર જરી હુલાવીફુલાવીને રજૂ કર્યું છે. કદાચ, ગુજરાતમાં અને કેન્દ્રમાં આજકાલ એક જ પક્ષની સરકાર છે એનો આ જોસ્સો હશે. ભાઈ, કેન્દ્રના આ આંકડા તમે જે કાળે એનાં પર માછલાં ધોતાં હતાં તે કાળના જ છે એટલું તો વિચારો જરી.

મતલબ, વિચારધારાકીય ભેદમાં ન જઈએ તો રાષ્ટ્રીય સ્તરે તેમ રાજ્ય સ્તરે કેટલુંક સાતત્ય રહેલું છે. જે સવાલ છે એ ખરેખર તો બંને મુખ્ય પક્ષોએ નવી સ્થિતિને એટલે કે પરાજય અને વિજયને પચાવી જાણવાનો છે, અને પ્રાપ્ત નવી ભૂમિકાને અનુરૂપ પોતાને તૈયાર કરવાનો છે. આરંભે રાહુલ ગાંધીના જે ઉદ્દગારો સંભાર્યા એમાં પરાજયને પગલે પક્ષમાં પોતાને અંગે પણ જે પ્રશ્નો ઊઠયા છે એની ભીંસ સાફ દેખાય છે. એથી પણ વિશેષ તો, કોંગ્રેસ પક્ષે પોતાને વિપક્ષરૂપે સત્તાવાર સ્વીકૃતિ મળે તે માટે જે અરજઘોંઘાટ કર્યાં એ પણ ધ્યાન ખેંચે છે. પૂર્વે કોંગ્રેસ સત્તાપક્ષ હોય અને સામે પક્ષે પૂરતી સંખ્યા ન હોય ત્યારે સરકાર તરીકે પોતે જે તૈયારી દાખવી નહોતી તેની આશા હવે રાખી શકાય? અલબત્ત, ભાજપે સમુદાર ધોરણે નવો દાખલો બેસાડયો હોત તો ખોટું નહોતું. પણ એ અળગતની વાત છે.

બંને મુખ્ય પક્ષ પોતપોતાની નવભૂમિકામાં ગોઠાવાવા અંગે કાચીપાકી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે દેશનું બાકી ચિત્ર ખરે જ કેટલાક એવા મુદ્દા ઊભા કરે છે જેમાં ભારે મોટી જવાબદારી રહેલી છે. અલ કાયદાનો જે તાજો વીડિયો બહાર આવ્યો છે એ આવો જ એક મુદ્દો છે. બને કે અલ કાયદા પોતે અત્યારે એક ઓસરતી આણનો અનુભવ કરી રહ્યું હોય અને પ‌શ્ચિ‌મ એશિયાને બદલે દક્ષિણ એશિયામાં નવું પ્રભાવક્ષેત્ર જમાવવાનો એનો વ્યૂહ હોય. પણ એ જો દક્ષિણ એશિયામાં ગુજરાત સહિ‌તના વિસ્તારોમાં 'ઉમા’ કહેતાં મુસ્લિમ બ્રધરહુડ સ્ટેટને ધોરણે હિંસ્ત્ર હવા પ્રેરવા માગતું હોય તો એ એક મોટો પડકાર તો છે જ.

ધર્મ આધારિત રાષ્ટ્ર-રાજ્યનો ખયાલ પાકિસ્તાન અને બાંગલાદેશ પરસ્પર છૂટાં પડયાં તે સાથે બેશક ભોંઠો પડેલો છે. પણ ભારતમાં જેઓ ઝીણાના હિંદુ અડધિયા તરીકેની રાજનીતિ ખેલે છે એમને વિશે શું કહેવું? આ રાજનીતિ 'ઉમા’ અભિગમને ટક્કર કેવી રીતે આપી શકે? ઊલટું, એ તો દેશને હિંદુ અને મુસ્લિમમાં વહેંચવાને ધોરણે એને મદદરૂપ જ બની રહે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસ મુશવરતે અલ કાયદાને સમયસરની સલાહ આપી છે કે આ મુલકમાં તમારી ડખલની જરૂર નથી. તમે અમને (મુસ્લિમોને) ઊલટાનું નુકસાન પહોંચાડશો.

વળી આપણા પક્ષોની વાત કરીએ. 'લવ જેહાદ’નું જે રાજકારણ ચગાવાયું છે અને મુઝફફરનગર કાંડને વરસ વીત્યે પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને ભાજપ જે રીતે કોમી તનાવ મતદાનીય ધ્રુવીકરણની આશાએ ચાલુ રાખી રહ્યા છે એમાં ઘોર બેજવાબદારી નથી તો કશું નથી. તમે 'અલ કાયદા’ના પડકારને આ રીતે ન જ ઝીલી શકો. રાહુલ ગાંધી અને કોંગ્રેસકારણના બીજા આંતરિક મામલાઓમાં આ ક્ષણે ધારો કે ન જઈએ અને રાહુલ ગાંધીને કેમિયો અભિગમની કળ વળે એટલો એક આશાવાદ પ્રગટ કરીને અટકી જઈએ. પણ જાહેર જીવનમાં પોતાની નવભૂમિકા બાબતે તેઓ જો ખરેખર જ સભાન અને કૃતસંકલ્પ હોય તો એમણે સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા મળ્યા ન મળ્યાની ફરિયાદથી હટીને લોકોનાં વાસ્તવિક સુખદુ:ખના પ્રશ્નો જોડે સક્રિયપણે સંકળાવું જોઈએ. ઉપર 'વિકાસ-વિકાસ’નું એર કવરેજ અને નીચે કોમી ધ્રુવીકરણની રાજનીતિ ખેલતું પાયદળ, એ જે હાલની અનવસ્થા છે એનો કદાચ આ જ એક ઉગાર છે. જે સલાહ કોંગ્રેસને, તે જ બિહારમાં લાલુ-નીતીશ જોડાણને પણ આપવી રહે છે.

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 05 સપ્ટેમ્બર 2014

Loading

7 September 2014 admin
← ગઝલ
હિમાલયનો પ્રવાસ – કાકાસાહેબનો અને અશોક મેઘાણીનો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved