અજાણ્યાઓ આતંકવાદી હતા,
અને જાણીતાઓ ફસાદી હતા.
છતાં નોંધ એની છે ઇતિહાસમાં,
બનાવો ઘણાંએ વિવાદી હતા.
પ્રતિબંધને ક્યાંક પરવાનગી,
નશાના બધે લોક આદી હતા.
નહોતી રહી ક્યાં ય ન્યાયાલયો,
પ્રતિવાદીઓ સામે વાદી હતા.
નહીં સત્યને સત્ય પણ કહી શકે,
એ ડરપોક અથવા પ્રમાદી હતા.
"રામકૃપા", ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા જિલ્લો-અમરેલી