Opinion Magazine
Number of visits: 9448630
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગ્લાદેશની કૃષિક્રાંતિ અને તેને ઘરઘર સુધી પહોંચાડનારા શેખ સિરાજ

કિરણ કાપુરે|Opinion - Opinion|16 January 2022

ચીન, ભારત પછી બાંગ્લાદેશ એશિયાનું નવું માર્કેટ બનીને ઉભર્યું છે. વિશ્વમાં જે ગણ્યાગાંઠ્યા દેશો વાસ્તવિક ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’ આઠ ઉપર લઈ જઈ શક્યા છે, તેમાં બાંગ્લાદેશ પણ એક છે. ઝડપથી પ્રગતિ કરી રહેલાં દેશોમાં બાંગ્લાદેશ વિશ્વમાં પાંચમા ક્રમે છે. આર્થિક પ્રગતિમાં આવાં નિર્ધારિત માપદંડોમાં બાંગ્લાદેશ ઉપરના પાયદાન પર આવી રહ્યું છે અને બદલાયેલા બાંગ્લાદેશના આ ચિત્રની વાહવાહી આર્થિક નિષ્ણાતો પણ કરી રહ્યા છે. હાલમાં પચાસ વર્ષના થયેલાં બાંગ્લાદેશના કિસ્સામાં અનેક એવી કહાનીઓ લખાઈ જેના કારણે તેના વર્તમાનની વાત સુવર્ણ અક્ષરે લખાઈ છે.

બાંગ્લાદેશમાં ઉદ્યોગો વિકસ્યા તેમ ખેતીમાં પણ પરિવર્તન આવ્યું. બાંગ્લાદેશની ચાળીસ ટકાથી વધુ વસતી ખેતી પર અવલંબિત છે અને તેમાં આવેલા પરિવર્તનથી બેરોજગારી, ગરીબી અને અનાજની અછતની સમસ્યાને દૂર થઈ છે. બાંગ્લાદેશનું આ પરિવર્તન સદનસીબે વીડિયોમાં ઉપલબ્ધ છે અને તે ડોક્યુમેન્ટશન કરનાર વ્યક્તિનું નામ છે શેખ સિરાજ. સામાન્ય કિસ્સામાં કોઈ પણ આવી ઘટના બને છે પછી તેના વિઝ્યુઅલ કે તસીવર ડોક્યુમેન્ટ માટે ખાંખાખોળા કરવા પડે છે; પરંતુ બાંગ્લાદેશના કૃષિક્રાંતિમાં આવું કરવું પડ્યું નથી. દાયકામાં જે કંઈ બદલાવ આવતા ગયા તેને શેખ સિરાજ ડોક્યુમેન્ટ કરીને પ્રકાશિત કરતા ગયા.

શેખ સિરાજ પત્રકાર છે અને તેઓ 1982થી કૃષિ આધારિત કાર્યક્રમ કરી રહ્યા છે. સૌ પ્રથમ તેમણે બાંગ્લાદેશ ટેલિવિઝન માટે ‘માતી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં તેમણે કૃષિ આધારિત પ્રશ્નોને વાચા આપી અને તેના ઉકેલ પણ નિષ્ણાતો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડ્યા. બાંગ્લાદેશમાં તેમના કાર્યક્રમ જાણીતા બન્યા અને તેનાથી શિક્ષિત યુવાનો પણ ખેતી કરવા તરફ આકર્ષાયા. આવું બન્યું તેનું અગત્યનું કારણ શેખ સિરાજની પ્રસ્તુતી હતી, બાકી તો કૃષિ આધારિત અનેક કાર્યક્રમો આપણે ત્યાં પણ આવતા રહ્યા છે. પરંતુ તેમાં સંવાદ કરીને, નિષ્ણાતોની મુલાકાત લઈને, પ્રશ્નોના વાજબી ઉત્તર વાળીને શેખ સિરાજ લોકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત કરતા ગયા. પછીથી તેઓ અન્ય એક ખાનગી ચેનલ સાથે સંકળાયા અને ત્યારથી તેઓ ‘હૃદોયે માટી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમે પણ અગાઉના કાર્યક્રમ જેવી લોકચાહના મળી છે.

હાલમાં શેખ સિરાજની પ્રોફાઈલ ‘બી.બી.સી. હિંદી’ શબ્દોમાં મૂકી આપી છે અને તેમાં બાંગ્લાદેશના કૃષિવિકાસ અને શેખ સિરાજની અનુભવની વાત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં કૃષિને આધુનિક બનાવવાનો પ્રયાસ તેના જન્મ પહેલાં 1960ના અરસામાં કુમિલ્લા ગ્રામિણ વિકાસ અકાદમી દ્વારા કરવામાં આવ્યો હતો. તેના સંસ્થાપક અખ્તર હામિદ ખાન નામના વ્યક્તિ હતા. તેમણે જાપાનથી શ્રેષ્ઠ બિયારણ લાવી ખેતી કરવાની પહેલ કરી હતી. જો કે આ બિયારણમાં વખતે સિંચાઈની વ્યવસ્થા જરૂરી હતી તેથી ટ્યૂબવેલ નાખવાની શરૂઆત થઈ. શેખ સિરાજ કૃષિની આ પહેલ વિશે જણાવતાં કહે છે કે ગામડાંમાં જ્યારે ટ્યૂબવેલ નાંખવામાં આવ્યા ત્યારે લોકો ભયના માર્યે તે જગ્યાએથી ભાગી ગયા. તેમનું માનવું હતું કે જમીનમાંથી પાણી કાઢવાનું અલ્લાહના નિયમોથી વિરુદ્ધ છે. ખેડૂતોના આવા વલણથી સમજી શકાય કે આરંભના સમયે ચિત્ર કેવું હશે.

આજે એવું નથી. કૃષિ માટે સમય બદલાઈ ચૂક્યો છે અને બાંગ્લાદેશી ખેડૂત નવીન ટેક્નોલોજીને આવકારી રહ્યા છે, સાથે-સાથે તેવો આવકાર શેખ સિરાજને પણ મળે છે. બાકી જ્યારે તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રિય ટેલિવિઝન પર કૃષિ કાર્યક્રમ શરૂ કર્યો અને તેમને મોટા કેમેરા સાથે ગ્રામિણ વિસ્તારમાં જવાનું થતું, ત્યારે ગામડાંના લોકો કેમેરાને જોઈને ડરી જતાં. તેમને લાગતું કે આ તોપ છે. માઇક્રોફોનને તેઓ બંદૂકની નળી સમજતા હતા. તે સમયે સામાજિક રીતે ગામડાઓ પછાત હતા અને ગામડાંના લોકો એટલાં શરમાતા હતા કે કેમેરા સામે તેઓ આવતાં જ નહોતાં.

વિજ્ઞાન-ટેક્નોલોજીને આ રીતે જ્યારે પણ કોઈ નવા સમૂહમાં લઈ જવામાં આવે ત્યારે તે તરફ લોકો આવી જ પ્રતિક્રિયા દર્શાવે છે. આ સ્થિતિમાં નિષ્ફળતા સ્વીકારીને ત્યાંથી નિકળી જવાનો માર્ગ સરળ હોય છે પણ જેઓ આ પડકારને ઝીલીને ત્યાં ટકે છે તેઓ કશું નવતર કરી જાણે છે. શેખ સિરાજ આ સ્થિતિમાં ટકી રહ્યા. ટકવાનું કારણ પણ બાંગ્લાદેશમાં આવેલાં કૃષિક્ષેત્રનાં ઝડપી પરિવર્તન હતાં. આ પરિવર્તનોમાં મુખ્યત્વે વિજ્ઞાનીઓએ એક પછી એક ચોખાની નવી શ્રેષ્ઠ ઉપજ આપનારા બિયારણની શોધ કરી. ઉપરાંત કૃષિમાં નવી રીતભાત આવી અને આ બદલાવને પરિચય કરાવવાનો પ્રયાસ સરકાર તરફથી થયો. કૃષિમાં આ બધું થઈ રહ્યું હતું તેમાં શેખ સિરાજની ભૂમિકા પણ અગત્યની બની. કારણ તે સમયે યુવાન શેખ સિરાજ બાંગ્લાદેશની રાષ્ટ્રિય ચેનલમાં નવાસવા જોડાઈને કૃષિ ક્ષેત્રમાં રસ લઈ રહ્યા હતા.

શેખ સિરાજનો પ્રથમ કાર્યક્રમ તો આજે ભૂલાઈ ચૂક્યો છે તેનું નામ હતું ‘આમાર દેશ’. આ કાર્યક્રમ પચાસ મિનિટનો પાક્ષિક કાર્યક્રમ હતો. ત્યાર પછી તેમણે કાર્યક્રમનું નામ બદલીને ‘માટી ઓ માનુષ’ કર્યું. શેખ સિરાજ કહે છે કે તેમને લાગ્યું કે બાંગ્લાદેશના લોકોને મનોરંજક કાર્યક્રમના બદલે શિક્ષણ આપનારા અને ખેતીલાયક પ્રેરક કાર્યક્રમોની વધુ આવશ્યકતા છે. ખેડૂતોને નવા બિયારણ, નવી ટેક્નોલોજી, નવું કૌશલ્ય જો યોગ્ય રીતે સમજાવી શકાય તો કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવી શકાય. શેખ શરૂઆતમાં પોતાના દેશના લોકોની જરૂરિયાત સમજ્યા અને તેના અનુરૂપ કાર્યક્રમો નિર્માણ કર્યા. આશ્ચર્ય થાય એવી બાબત એ છે કે શેખ સિરાજની આ નાનકડી સફર આજે બાંગ્લાદેશમાં ખૂણખૂણે કૃષિ જાણકારી પહોંચાડવાનો એક માત્ર વિકલ્પ બની ચૂક્યો છે. અને તેની સાબિતી તો શેખ સિરાજને કાર્યક્રમના આરંભના સમય દરમિયાન જ મળી ચૂકી હતી. 1980ના દાયકામાં જ્યારે હજુ ટેલિવિઝન દરેક ઘરમાં પહોંચવાની વાર હતી ત્યારે લોકો દર શનિવારે સાંજે ગામડાંના બજારમાં અને સામુદાયિક કેન્દ્રોમાં ‘માટી ઓ માનુષ’ કાર્યક્રમ જોવા એકઠા થતા.

શેખ સિરાજ છેલ્લા ચાર દાયકાથી આ કાર્ય કરે છે અને તેથી તેઓ બાંગ્લાદેશના ખેડૂતોને સારી રીતે સમજી ચૂક્યા છે અને તે અનુભવને બયાન કરતાં કહે છે : “આજનો ખેડૂત અને ત્રીસ વર્ષ પહેલાં ખેડૂતમાં જમીન-આસમાનનું અંતર છે. તે વખતે જ્યારે કૃષિ પ્રચાર અધિકારી કામ કરતા હતા અથવા તો ટેલિવિઝન પર પ્રસ્તુતકર્તા જે કંઈ કહેતા, ખેડૂતો તેને આસાનીથી માનતા નહોતા. તેઓ વિચારતા કે અમે કૃષિ વિશે જે કંઈ માહિતી આપી રહ્યા છે, તેનાથી પાક સારો ન આવે તો? તેઓ સરળતાથી આ માહિતીથી પ્રેરિત નહોતા થતાં, તેઓ નવી ટેકનિક પણ સ્વીકારતા નહોતા.” આ વિશે એક ઉદાહરણ આપતાં તેઓ કહે છે : “જ્યારે હું એંસીના દાયકામાં વધુ ઉપજ આપનારા અનાજ વિશે જણાવતો તો ખેડૂતો એવું કહેતા કે અમે આ રબર જેવાં ચોખાને ખાઈશું નહીં. ત્યારે જે શોધ થઈ હતી તે પ્રમાણે એટલાં સારા ચોખા નહોતા. પકવેલા ચોખા રબર જેવા લાગતા અને તે ચોખા જો થાળીમાં ઉપરથી નાંખવામાં આવે તો તે રબરની જેમ નીચે પડતા હતા.” આ સ્થિતિમાં માર્ગ એક જ હતો કે વધુ ને વધુ નિષ્ણાતોને અને અનુભવને ખેડૂતો સામે લાવવો. શેખ સિરાજે તે કરે રાખ્યું અને આમ ધીરે ધીરે તેમની શાખ બનતી ગઈ.

બાંગ્લાદેશ વિવિધતાભર્યો દેશ છે. શેખ સિરાજનો કાર્યક્રમ જ્યારે વધુ લોકચાહના મેળવતો ગયો ત્યારે તેમણે કાર્યક્રમના કેટલાક માપદંડ નક્કી કર્યા. તેમાં સૌ પ્રથમ મુદ્દો ભાષાનો આવ્યો. શેખ સિરાજ કહે છે કે,  જ્યાં ગામડાંમાં શેખ સિરાજના કાર્યક્રમ જોવાતા ત્યાં બધે તેમની ભાષા સમજી શકતા નહોતા. અને ઘણી વાર ખેડૂતો કાર્યક્રમોમાં આવે તો તેઓ યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકતા નહોતા. આ માટે તેમણે ભાષા નિર્ધારિત કરી જેથી ખેડૂતો તેમની વાત સરળતાથી સમજી શકે. શેખ સિરાજે તેમની મૂળ ભાષામાં બદલાવ કર્યો અને લોકો સાથે તેમની જ બોલીમાં વાતચીત કરવાની શરૂ કરી.

અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદકમાં બાંગ્લાદેશ આજે સ્વનિર્ભર બની ચૂક્યું છે. હવે અનેક પ્રકારના પાક બાંગ્લાદેશમાં થઈ રહ્યા છે. મત્સ્ય પાલન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. બાંગ્લાદેશ હવે આ મામલે વિશ્વમાં ચોથા ક્રમાંકે છે. ગામેગામે ગાયોના ફાર્મ છે. પોલ્ટ્રી ફાર્મ છે. બાંગ્લાદેશનું કૃષિ ચિત્ર જોઈએ તો આ મહાન ક્રાંતિ છે અને તે ક્રાંતિને સૌ સુધી પહોંચાડનારા શેખ સિરાજ અને તેમની ટીમ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

16 January 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—128
અધર્મને ટકવા માટે ધર્મ સિવાય બીજું ઠેકાણું નથી … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved