Opinion Magazine
Number of visits: 9446332
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ્ડ’ દેશ કેમ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 October 2021

આજે [10 ઑક્ટોબર 2021] વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે. ૨૦૧૭માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના કોન્વોકેશનમાં કહ્યું હતું કે ભારતમાં માનસિક આરોગ્યની મહામારીનો ખતરો છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ દેશ’ ઘોષિત કરેલો છે. તેણે અંદાજ આપેલો છે કે ભારતમાં સાતમાંથી એક વ્યક્તિનું માનસિક આરોગ્ય નબળું છે. અનેક અભ્યાસ પરથી આવેલા તારણ અનુસાર, ભારતમાં ૧૦ ટકા વસ્તી એવી બીમારીઓથી પીડાય છે જેને નિષ્ણાતની મદદની જરૂર છે. ભારતમાં માનસિક આરોગ્યને લઈને જાગૃતિની એટલી અછત છે કે ૧૩૬ કરોડ લોકોના દેશમાં ૯,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૨,૦૦૦ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છે, જ્યારે જરૂર છે ૩૦,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૩૮,૦૦૦ સાઇકોલોજિસ્ટની.

૨૦૨૦માં, મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે ‘આઘાત’ વ્યક્ત કર્યો હતો વિશ્વ આરોગ્ય સંગઠને જે દેશને ‘સૌથી ડિપ્રેસ’ કહ્યો છે, તેમાં કેન્દ્ર સરકાર માનસિક આરોગ્ય પાછળ પ્રતિ વ્યક્તિ દીઠ માત્ર ૨૦ પૈસા ખર્ચે છે. બેન્ચે કહ્યું હતું કે આટલા મોટા દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ નામની એક જ રિસર્ચ સંસ્થા છે, અને દેશમાં ૧૯૨૫ પછી આવી મહત્ત્વની બીજી સંસ્થા સ્થપાઈ જ નથી.

ભારતમાં આજે પણ માનસિક તંદુરસ્તીને શારીરિક તંદુરસ્તીથી અલગ ગણવામાં આવે છે અને મોટા ભાગે એમાં શરમનો ભાવ હોય છે એટલે તે છુપાવામાં આવે છે. આ કારણથી જ દેશમાં બાવાઓ અને ઊંટવૈદ્યો પાસે જેટલા લોકો જાય છે તેટલા સાઇકોલોજિસ્ટ પાસે નથી જતા. એટલા માટે જ સાઇકોલોજિસ્ટ બનવું એ ફિઝિશ્યનની સરખામણીમાં ‘ખોટનો ધંધો’ છે. જે લોકો સાઇકોલોજિસ્ટ બને છે તે પણ કોઈ જગ્યાએ બાંધ્યા પગારની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. પરિણામે, તમને ગલીના નાકે ડોકટરોનાં ત્રણ પાટિયાં દેખાશે, પણ સાઇકોલોજિસ્ટનું સરનામું શોધતાં દમ નીકળી જશે.

માનસિક આરોગ્યની બાબતમાં ભારત કેટલું ગંભીર છે તેનો પુરાવો એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા છે. ડિપ્રેસનથી પીડાતા આ તેજસ્વી અને આશાસ્પદ બોલીવૂડ એક્ટરે ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ આત્મહત્યા કરી, તે પછી લગાતાર બે મહિના સુધી આ દેશમાં મીડિયામાં એની ચર્ચા ન હતી કે આ એક્ટરની માનસિક તંદુરસ્તીના પ્રશ્નો શું હતા, પણ એની ચર્ચા હતી કે તેની ગર્લફ્રેન્ડે તેની હત્યા કરી છે કે નહીં અને બોલીવૂડના માધાંતાઓએ તેને પરેશાન કર્યો હતો કે નહીં.

ડિપ્રેસનથી પીડાતા દેશના લાખો લોકો મીડિયાનો આ તમાશો જોઈને હબકી ગયા હશે અને સાઇકોલોજિસ્ટોને દેશની દયા આવતી હશે. સુશાંત સિંહની પાછળ જે તમાશો થયો તે પછી કોને તેની બીમારી જાહેર કરવાની હિમ્મત આવે? આ એક જ કિસ્સાથી દેશમાં માનસિક આરોગ્યને લઈને ગંભીર વિચારણા થાય અને સરકારથી લઈને તેના નિષ્ણાતો આવનારા ભવિષ્યની ચિંતા કરતા હોત, તેના બદલે એ કિસ્સાને ‘કૌભાંડ’માં ફેરવી નાખીને આપણે દેશને પાછળ ધકેલી દીધો છે. જે બાબત વધુને વધુ જાહેરમાં આવવી જોઈતી હતી, તે હવે કાર્પેટ હેઠળ ધકેલાઈ ગઈ છે.

એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તેના ડિપ્રેસનનો સાર્વજનિક એકરાર કર્યો, તે પછી આમીર ખાનની 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર'થી લાઇમલાઇટમાં આવેલી ૧૭ વર્ષીય ઝાહીરા વાસીમે ટીનએજ ડિપ્રેસન સાથેના તેના દંગલનો એકરાર કર્યો હતો. ઝાહીરાએ તેમાં એ જ વાત લખી હતી જે લાખો પીડિતોની ભાવના હતી. તેણે કહ્યું હતું કે, "હું છેલ્લા ૪ વર્ષથી સખત ઉદ્વેગ (એન્ગઝાઇટી) અને વિષાદ(ડિપ્રેસન)થી પીડાઈ રહી છું એનો એકરાર કરવા આ લખી રહી છું. ડિપ્રેસનની વાત કરવી શરમજનક છે એટલા માટે આ કહેવાની મને બીક લગતી હતી એટલું જ નહીં, ડર એ પણ હતો કે લોકો તો એવા ય ટોણા મારે કે, "તું તો યુવાન છે, તને શેનું ડિપ્રેસન?" અથવા એવું કહીને એને ખારીજ કરી દે કે "આ તો ટાઈમબીઈંગ છે."

"ટાઈમબીઈંગ હોત તો સારું, પણ હું રોજ ૫ એન્ટીડિપ્રેસન્ટ લેવાની, એન્ગઝાઇટી એટેકમાં અડધી રાતે હોસ્પિટલ ભેગી થવાની, ખાલીપામાં જીવતા રહેવાની, અજાણ્યા અવાજો સાંભળવાની, સતત ઘોર્યા કરવાથી લઇને અઠવાડિયાં સુધી જાગતા રહેવાની, ખૂબ ખાવાથી લઈને ભૂખ્યા મરવાની, નર્વસ બ્રેકડાઉનની, જાત પ્રત્યે તિરસ્કારની અને આત્મહત્યાના વિચારોની સ્થિતિમાં આવી ગઈ છું. આ ટાઈમબીઈંગ નથી. મને આ બીમારીને સ્વીકારતાં ૪ વર્ષ લાગ્યાં છે. મારે બધાથી — મારા સામાજિક જીવનથી, કામથી, સ્કૂલથી અને ખાસ તો સોશ્યલ મીડિયાથી સંપૂર્ણ બ્રેક લેવો છે. હું રમઝાનના મહિનાની રાહ જોઉં છું જ્યાં હું મારી આ સ્થિતિ વિષે સરખું વિચારી શકું.”

ભારતમાં માનસિક આરોગ્યને લઈને તંદુરસ્ત ચર્ચા નહીં થવાનાં ત્રણ કારણો છે. એક ભ્રમ એવો પેદા થયો છે કે જે યુવાન છે, સફળ છે, પૈસાવાળા છે તેમને કોઈ માનસિક બીમારી નથી હોતી. માનસિક પ્રશ્નો બેકાર અને ઘરડા લોકોની સમસ્યા છે. બોલીવૂડના એક્ટરો અને અન્ય સેલિબ્રિટીઓ તેમની સમસ્યાઓની પ્રસંગોપાત વાત કરે તો પણ તેને એવું કહીને ખારીજ કરી નાખવામાં આવે છે કે આ લોકોને ‘નખરાં સૂઝે છે.’ માનસિક આરોગ્ય ગરીબ લોકોની સમસ્યા છે એવી એક વ્યાપક માન્યતા છે.

બીજો ભ્રમ એ છે કે ‘સામાન્ય’ લોકોમાં કોઈ સમસ્યા નથી હોતી. દાખલા તરીકે, આપણા ઘરમાં કામ કરતો નોકર, ડ્રાઈવર કે ઓફીસનો કર્મચારી કોઈ માનસિક બાબતોથી ઘેરાયેલો હોય તેવું આપણે સ્વીકારી જ નથી શકતા. એવા માણસો તો ‘ગાંડા’ હોય અને તેમના વર્તન પરથી જ તેમની ઓળખાણ થઇ જાય એવું આપણે માનીએ છીએ. એટલે કોઈ સામાન્ય વ્યક્તિ તેની માનસિક સ્થિતિની વાત કરે તો પણ તેની આસપાસના લોકો તેન હસી કાઢે છે અથવા ઉપેક્ષા કરે છે.

ચોથું, મોટા ભાગે પુરુષો તેમના ડિપ્રેસનની વાત કરતા નથી. 'મર્દ' હોવાની તેમની ભાવનાની આડે તે આવે છે. તેમની સરખામણીમાં સેલિબ્રિટી સ્ત્રીઓ, જેમ કે – દીપિકા પાદુકોણ, મનીષા કોઈરાલા, સમા સિકંદર, અનુષ્કા શર્મા, શાહીન ભટ્ટ, ઈલિના ડિક્રુઝે તેમના ડિપ્રેસનની ખૂલીને વાત કરી છે, કારણ કે તેમને ‘લોકો શું કહેશે’ની ચિંતા એટલી નથી સતાવતી જેટલી દેશની બહુમતી સ્ત્રીઓને સતાવે છે.

કોઇ પણ વિકસિત સમાજની સાબિતી એ નથી કે તે તેના મજબૂત લોકોનાં કેવાં આછોવાનાં કરે છે, પણ એ હકીકતમાં છે કે તે તેના કમજોર લોકોને કેવી રીતે જગ્યા આપે છે. ભારતે અસલી વિકાસ કરવો હશે તો આ ભેદભાવ ખતમ કરવો પડશે.

પ્રગટ : બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 ઑક્ટોબર 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

18 October 2021 admin
← આ મુશ્કેલ સમયમાં (63)
વિનોબા વાઙમયનું આચમન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved