Opinion Magazine
Number of visits: 9482511
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસને સ્વેચ્છા-મૃત્યુનો અધિકાર હોવો જોઈએ ?

અજિત પોપટ|Opinion - Opinion|22 July 2014

ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત શાયર મરીઝ સાહેબનો એક સરસ શેર છે ઃ મોત વખતની આ અય્યાશી નથી ગમતી મને મરીઝ, કે હું પથારી પર રહું ને ઘર આખું જાગ્યા કરે …'

ખૂબ યોગ્ય સમયે આ શેર યાદ આવી ગયો. દેશની સુપ્રીમ કોર્ટે યુથેનેસિયા (શાબ્દિક અર્થ દયા કે અનુકંપાથી અપાતું મોત, ભાવાર્થ સ્વેચ્છા-મૃત્યુ) વિશે વિચારવાનું કહીને ચર્ચા છેડી. યોગાનુયોગે બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઑફ લોર્ડઝ્ – ઉમરાવ સભામાં પણ આ જ મુદ્દે લોર્ડ ફાલ્કનર નામના સભ્યે ચર્ચા શરૂ કરી હતી. આપણા દેશમાં દોઢસો વરસ બ્રિટિશ રાજ હતું અને આપણા મોટા ભાગના કાયદા બ્રિટિશરોએ ઘડેલા છે એ પણ યાદ રાખવા જેવી વાત છે. યુથેનેસિયા વિશે આગળ વાત કરીએ એ પહેલાં વિશ્વવિખ્યાત ભૌતિકવિદ્ સ્ટીફન હૉકિંગને યાદ કરી લઈએ. સ્ટીફને પોતે એકરાર કર્યો છે કે જીવનના એક તબક્કે મેં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. સ્ટીફને યુથેનેસિયાનેા સ્વીકાર કરવાની હાકલ પણ કરી હતી. એ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ હિટ નીવડી. દુનિયાના ઘણા દેશોએ એનો બાકાયદા સ્વીકાર કર્યો છે. સૌથી પહેલો સ્વીકાર ૨૦૦૨ના એપ્રિલમાં નેધરલેન્ડે કરેલો. રૉયલ ડચ મેડિકલ એસોસિયેશનના જણાવવા મુજબ આ દેશમાં વરસે પંદર હજાર લોકો સ્વેચ્છા-મૃત્યુ દ્વારા જીવન સંકેલી લે છે. નેધરલેન્ડના પગલે બેલ્જિયમે પણ ૨૦૦૨માં જ યુથેનેસિયાને બહાલી આપી.

જર્મની અને સ્વીત્ઝર્લેન્ડમાં એને 'એક્ટિવ આસિસ્ટેડ સૂસાઇડ' જેવું રૂપાળું નામ આપ્યું છે. આ નામ જો કે વાજબી એટલા માટે છે કે જે વ્યક્તિ સાજી થવાની નથી અને તમામ તબીબી સહાય નિરર્થક બની રહી છે એ નિષ્ણાત ડૉક્ટરની સહાયથી જીવનનો અંત આણે છે. સવાલ એ છે કે આપઘાત અને યુથેનેસિયા વચ્ચેનો ફરક શી રીતે સ્પષ્ટ કરવો ? એક સત્યઘટના જણાવું. ગયા સપ્તાહે અમારા એક પાડોશી 'કાન્તિભાઈ'ને ઑફિસમાં જ લકવાનો એટેક આવ્યો. અડધું અંગ અચેતન થઈ ગયું. એમનાં પત્ની હયાત નથી. બે દીકરી પરણેલી છે, પોતપોતાને ઘેર છે. એક દીકરી અને એક દીકરો આઠમા-નવમા ધોરણમાં ભણે છે. માતા હયાત નથી અને પિતા બિછાનાવશ થઇ ગયા. હવે આ પરિવાર શું કરે ? બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ આ ચર્ચા કલાકો સુધી ચાલી. અમેરિકા અને યૂરોપના દેશોમાં યુથેનેસિયાનો પ્રબળ વિરોધ કેથોલિક ચર્ચ કરે છે. ચર્ચની દલીલ એવી છે કે જીવન મરણ માણસના હાથની વાત નથી. માટે યુથેનેસિયાને કાયદાનું પીઠબળ ન આપી શકાય. આ લખાતું હતું ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટના આખરી નિર્ણય વિશે જાણી શકાયું નહોતું.

પરંતુ એક વાત વિચારવાની છે. દુઃસાધ્ય બીમારીનો ભોગ બનેલી અને પોતાની સાથે આખા કુટુંબને સતત પીડાનો અહેસાસ કરાવતી વ્યક્તિ ઇચ્છે તો મોત કેમ ન માગી શકે ? પોતે ઊગરવાની શક્યતા નિષ્ણાત તબીબોની દ્રષ્ટિએ ઝીરો હોય તો આખા ય પરિવારને ઊજાગરા કરાવવાની અને ડૉક્ટરોનાં બિલ ચડાવ્યે રાખવાની કોઈ જરૂર ખરી કે ? જીવનથી કંટાળીને કે વેપાર-ધંધામાં ખમી ન શકાય એવું નુકસાન થવાથી નાસીપાસ થઇને આપઘાત કરવા જનાર વ્યક્તિની મનોદશા અલગ બાબત છે અને અસાધ્ય બીમારીનો ભોગ બનેલી વ્યક્તિની હતાશા (ડિપ્રેસન) અલગ બાબત છે. ખોટા લાગણીવેડા કે વેવલાવેડામાં સરકી ગયા વિના આ વાત વિચારવાની છે. ઘણા દેશોએ યુથેનેસિયા સાથે અમુક શરતો જોડી છે કે ઓછામાં ઓછા બે નિષ્ણાત ડૉક્ટરોએ સંબંધિત દર્દી વિશે અભિપ્રાય લેખિત આપવો જોઈએ. એ પછી જ યુથેનેસિયાનો અમલ કરી શકાય. આ જોગવાઈ હાસ્યાસ્પદ છે કારણ કે સુખી પરિવારો ડૉક્ટરના હાથ (ગજવાં એમ વાંચો) ભરી દઈને સર્ટિફિકેટ સહેલાઈથી મેળવી શકે. બીજા કેટલાક દેશોમાં એવી જોગવાઈ છે કે સંબંધિત દર્દી સભાન અને સમજદાર હોય તો પોતાની સંમતિ લેખિત આપી શકે. આ જોગવાઈ અતિ વૃદ્ધ અને બીમાર વ્યક્તિને શી રીતે લાગુ પાડવી ? અથવા સમજો કે પેશન્ટ કોમામાં છે તો એની સંમતિ શી રીતે મેળવવી ?

એક દાખલો યાદ આવે છે. મુંબઇની કે.ઈ.એમ. હૉસ્પિટલના એક વોર્ડ બોયે અરુણા શાનબાગ નામની નર્સ પર બળાત્કારનો પ્રયાસ કરેલો. એના પરથી જડ ચેતન નામે સુપરહિટ નવલકથા પણ લખાઈ. પેલી નર્સ પહેલાં બેભાન થઈ અને પછી કોમામાં સરકી પડી. હૉસ્પિટલના સ્ટાફે એના પ્રત્યેના માન-આદરના કારણે બે અઢી દાયકા એને પોતાના ખર્ચે જાળવી. પરંતુ ધારેા કે એના માટે યુથેનેસિયાનો નિર્ણય કરાય તો એની સંમતિ શી રીતે મેળવવી ? કાયદામાં પેશન્ટની સંમતિની જોગવાઈનો આ રીતે છેદ ઊડી જાય છે.

આપણી સુપ્રીમ કોર્ટે આ મુદ્દો હાથમાં લઈને બહુ સમજપૂર્વકનું પગલું ભર્યું છે. સમજદાર લોકોએ યુથેનેસિયાને ટેકો આપવો જોઈએ એવું આ લખનાર માને છે. આમાં ધર્મને કે પરંપરાને વચ્ચે લાવવાની કશી ય જરૂર નથી.

‘ટુ ધ પોઇન્ટ’, મંગળવાર, ૨૨ જુલાઈ ૨૦૧૪

સૌજન્ય : https://www.facebook.com/profile.php?id=100004646687887&fref=nf

Loading

22 July 2014 admin
← વેદ પ્રતાપ વૈદિકની હાફિઝ સાથેની મુલાકાત દાવો કરવામાં આવે છે એટલી નિર્દોષ નથી
સંગઠિત ધર્મ માનવસમાજ માટે ઉપકારક કરતાં અપકારક વધારે →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved