Opinion Magazine
Number of visits: 9448977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોબાઇલમાં મોદીસરકારનો આતંક?

ભરત મહેતા|Opinion - Opinion|31 July 2021

‘હરહર મોદી, ઘરઘર મોદી' સૂત્ર તો સાંભળ્યું હતું, પરંતુ હવે મોબાઇલ મોબાઇલ મોદી સાંભળવા મળે તો નવાઈ નહીં!

અત્યારે માધ્યમોમાં પેગાસસ પ્રોજેક્ટ ગાજી રહ્યો છે. મોદીસરકારની દશા આપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે. એ હા કે ના કંઈ જ બોલી શકતા નથી. અત્યાર સુધી તો એ પેલાં ફિલ્મી સંવાદની માફક ‘મન કી બાત’ કરતા હશે કે ‘મેરે પાસ પેગાસસ’ છે, પણ દુનિયાના મોટા માધ્યમ સમૂહોએ મળીને એક ઘટના પર્દાફાશ કરી છે, જેણે દુનિયામાં ભારે વિવાદ સજ્ર્યો છે. ૧૮ જેટલા માધ્યમ સમૂહો જેમાં ‘ગાર્ડિયન’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ વગેરે છે, એમણે દિવસો સુધી કામ કરી, અનેક મોબાઇલની ફૉરેન્સિક તપાસ કરી એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે, જેમાં લગભગ પચાસ હજાર મહત્ત્વની વ્યક્તિના ફોનમાં આ વાઇરસ મળી આવ્યો છે! પત્રકારનું લૉકેશન જાણીને ખૂન થયું હોય કે ફાતિમા જેવી આંદોલનકારીને બ્લૅકમેઇલ કરાયાના વૈશ્વિક દાખલા છે. જેનો એક રેલો ભારત સુધી પણ આવી પહોંચ્યો છે. ભારતમાં ત્રણ હજાર વ્યક્તિઓની યાદી બહાર આવી છે! બાકી તો રામ જાણે કેટલા હશે!

માનવ-અધિકાર અને લોકતંત્ર પરનો હુમલો એ મોદી સરકારનું જાણીતું લક્ષણ છે. બસ, હવે સમયાંતરે એમ જ નવાં ઉદાહરણો ઉમેરાતાં જાય છે. જે ઇઝરાયેલની કટ્ટરતાવાદી સરકાર સાથે સંઘ-ભા.જ.પ.ને સુદીર્ઘ સમયથી સુંવાળું સંવનન ચાલે છે એના નવજાત સમાચાર આ પેગાસસ પ્રોજેક્ટ રૂપે મળ્યાં છે. ઇઝરાયલની NSO કપનીનું આ સૉફ્‌ટવેર છે. જે પચાસ વ્યક્તિઓના મોબાઇલના છઠ્ઠા માલિક તમને ૬૦ કરોડમાં બનાવી આપે છે. સરકાર કહે છે કે અમે આ જાસૂસી કરાવી નથી, તો આટલા પૈસા કોણ ખર્ચી શકે? તો સરકાર કહે છે કે એનો જવાબ આપવો દેશની સુરક્ષા માટે જોખમ છે! અરે! ભાઈ તો આટઆટલા કર્મશીલોનું જીવન ધૂળધાણી કોણ કરી શકે? એ માટે નિષ્પક્ષ તપાસપંચ નીમો, તો સરકાર એ પણ સ્વીકારતી નથી! શું આ વાત જ દેશની સુરક્ષા પર ખતરો નથી? વળી, યાદીમાં મોટા ભાગનાં વ્યક્તિઓ મોદીવિરોધી છે. તેથી પ્રતિરોધ કરનારને દબાવવાનો એમાં દાવ છે, જેમાં રાહુલ ગાંધી, પ્રવીણ તોગડિયાથી માંડી મોદીનો વિરોધ કરનાર ચૂંટણી કમિશનર અશોક લવાસા પણ છે! કેટલાક નેતાના રસોઇયા કે ડ્રાઇવર સુધ્ધાં છે. જો આ અંગે સરકાર કશું ન કરે તો સુપ્રીમ કોર્ટે તાકીદે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવી રહી.

યાદીમાં મોટા ભાગની વ્યક્તિઓ એવી છે કે જેમણે જિંદગીમાં ય એક ગુનો નથી કર્યો. જ્યારે ગ્રેટા થનબર્ન કે રિયાનાએ કિસાન આંદોલન વિશે હરફ સરખો જ ઉચ્ચાર્યો, ત્યારે અંધભક્તો, પત્રકારોથી માંડી સેલિબ્રિટિઝે આ દેશની અંદરની વાત છે, એમ કહીને ગોકીરો મચાવેલો, એ અત્યારે ચૂપ છે. આ પેગાસસ વાઇરસની માહિતી આપનાર એડવર્ડ સ્નોડેને આ વાઇરસને કોરોના કરતાં પણ વધુ સંક્રામક ગણાવ્યો છે. એની સામેની રસી લોકજાગૃતિ સિવાય બીજી કોઈ નથી, એમ કહ્યું છે. આ વાઇરસ વૉટ્‌સએપ દ્વારા કમ્પ્યૂટર, લૅપટૉપ, મોબાઇલમાં ઘૂસી શકે છે. તરત જ તમારી સઘળી માહિતી લઈને સામે પહોંચાડે છે. મિત્રો સાથેની વાતચીત, ફોટોગ્રાફથી માંડી નાણાકીય વિગતો પણ, પાસવર્ડ જાણી લે છે. એ અર્થમાં આ ખતરનાક સાઇબર વાઇરસ છે. નવી માહિતી ઉમેરી પણ દે છે! ભીમા કોરેગાંવના કર્મશીલોના કમ્પ્યૂટરમાંથી કે ઉમર ખાલિદના લૅપટૉપમાંથી એ જણાતાં ન હોય તેવાં દસ લાખ દસ્તાવેજો મળ્યા હતાં. એનો મૂળ કલાકાર આ વાઇરસ હોઈ શકે.

સુધા ભારદ્વાજ, સ્ટેઇન સ્વામી કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર આ યાદીમાં છે એ જ બતાવે છે કે સરકાર પોતે નિર્દોષ હોવાની વાત કરે છે તે સ્વાભાવિક જ શંકાસ્પદ છે! ભા.જ.પ.ના નેતા સુબ્રહ્મમણ્યમ્‌ સ્વામી કહે છે કે સરકાર નિષ્કલંક હોય તો NSOને કોને પૈસા આપ્યા એ બતાવી દે! ચોકીદાર ચોર વિશે કંઈ જ ન બોલે તો ચોકીદાર ચોર હોવાનું માની ન શકાય? આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્ર સરકાર મગનું નામ મરી પાડતી નથી, ત્યારે વિજય રૂપાણી કે યોગી આદિત્યનાથ ‘આંતરરાષ્ટ્રીય કાવતરું’ ગણાવી બચાવમાં લાગી ગયા છે. ભાઈ! આંતરરાષ્ટ્રીય કાવતરું જ છે, પણ કાવતરાખોર કોણ? NSOની માલિકી શિરી દોલોવ કહે છે કે અમે માત્ર સૉફ્‌ટવેર વેચીએ છીએ. જુદાં-જુદાં રાષ્ટ્રોની ગુપ્તચર એજન્સીઓ ખરીદે છે. અત્યાર લગી પપ રાષ્ટ્રોએ આ સૉફ્‌ટવેર ખરીદ્યું છે. આતંકવાદીઓ અને અપરાધીઓને પકડવામાં સરળતા રહે એ માટે આ સૉફ્‌ટવેર છે. જ્યારે એમેઝોનના માલિક જેફ વિઝોઝના ફોનમાંથી જ્યારે આ વાઇરસ મળી આવ્યો. ત્યારે પણ શિરી દોલોવે આ જ કહેલું, ‘અમે જાસૂસી કંપની નથી. અમે ટેક્‌નોલૉજી વિકસાવી છે. જવાબદારને પકડી સજા કરો.’ તો આ શિરી દોલોવ ભારત વિશે અધિકૃત નિવેદન ક્યારે આપશે ?

‘ગાર્ડિયન’ સંપાદકીયમાં આ પ્રોજેક્ટને સરકારી આતંકવાદની સંજ્ઞા અપાઈ છે. કંપની આ સૉફ્‌ટવેરમાંથી કરોડો નાણાં મેળવે છે અને સરકારો પ્રતિરોધ કરનારને દબાવી દેવા માટે એને ઉપયોગ કરે છે! મોદી ઍન્ડ કંપની જેમને ‘આંદોલનજીવી’ ગણાવે છે, એમના તરફનો રોષ આ શબ્દોમાં પ્રગટ થયો છે એ આનો ઉપયોગ ન કરે તો જ નવાઈ! સંસદને વંદન કરનાર વડા પ્રધાન હવે સાબિત કરે કે આ સૉફ્‌ટવેર એમણે નથી વાપર્યું અને કોણે વાપર્યું છે. પ્રતિ મહિને ૯,૦૦૦ ફોન પર સરકારી તપાસ ચાલી રહી છે, એ આવી રીતે બધાને દબાવી દેવાનો જ ખેલ ગણાય. ક્ષણ માત્રમાં હવે તમારા ફોનમાં માહિતી નાંખી તમને દેશદ્રોહી સાબિત કરી શકશે. આ યાદીમાં ભારતના ૪૦થી વધુ અત્યંત નોંધપાત્ર પત્રકારો પણ છે. તમે રસીનું રજિસ્ટ્રેશન કરાવો, આરોગ્યસેતુ એપ નાંખો અને તમારામાં પણ પેગાસસ વાઇરસ મોકલવો હોય, તો મોકલી શકાય. વાઇરસ તમારાં ફોનમાં ઘૂસી કૅમેરા, માઇક ઑન પણ કરી શકે છે. એમેઝોનના માલિક પરેશાન થયા ત્યારે ‘આ ઘટના અમારા માટે કલંક છે’, કહેનાર NSO ભારતમાં આ કલંક કરનાર કોણ છે, તે શોધવામાં મદદ કરે! મને તો અત્યારે પેલું ગીત યાદ આવે છે – ‘દો જાસૂસ, કરે મહેસૂસ, દુનિયા બડી ખરાબ હૈ!’

સવેળા તપાસ કરી મોદી સરકારે જાસૂસ સરકાર નથી, એ સાબિત કરવું પડશે.

°°°

પગેરું અને પરિણામો

આજે પેગાસસ વાઇરસના સમાચારોની ગડગડાટી મીડિયા-આકાશમાં વીજળીના ચમકારા સાથે સંભળાઈ રહી છે. સરકાર એટલી ગભરાઈ રહી છે કે આ ઘટનાનો પર્દાફાશ કરનાર મીડિયાસંસ્થા પર છાપા મારી રહી છે. જે ‘ભાસ્કર’ જૂથે મોદી ઉદયમાં ફાળો આપેલો એ જૂથ પર (મોતના સાચા આંકડા બદલ) ઠેર-ઠેર દરોડા ચાલુ થતાં એને અચ્છે દિનનો અર્થ સમજાઈ રહ્યો છે. દુનિયાની જે સમાચાર સંસ્થાઓએ મળીને આ ઘટનાને ઉઘાડી પાડી એમાં ભારતની વાયરસંસ્થા છે. તરત જ ‘ધ વાયર’ પર પણ સરકારી છાપા ચાલુ થયા છે. સરકારની બદ્દ દાનતનો પુરાવો એક બાબતમાંથી મળે છે જે પેગાસસનું પગેરું ગણી શકાય.

રાષ્ટ્રીય સુરક્ષાપરિષદના એક વિભાગમાં બજેટ એકાએક દસ ગણું કરાયું છે! બધી જ બાબતોમાં આર્થિક કાપ મૂકતી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાપરિષદની એક શાખા સાયબર-સંશોધન શાખાને એકાએક ૩૩૩ કરોડ રૂપિયા મંજૂર કરે છે, જે કોઈ આઈ.આઈ.ટી.ને પણ આજ લગી અપાયાં નથી. આ પરિષદનું ૨૦૧૧-૧૨માં બજેટ ૧૭ કરોડ, ૨૦૧૨-૧૩માં ૨૦, ૨૦૧૩-૧૪માં ૨૬, ૨૦૧૪-૧૫માં ૪૪, ૨૦૧૬-૧૭માં ૩૩ કરોડ હતા. ૨૦૧૭માં આ પરિષદમાં નવો વિભાગ સાયબર-સંશોધન ખોલ્યો. આ નાના વિભાગને અપાયા ૩૩૩ કરોડ ! ૨૦૨૧-૨૨માં મંજૂર થયા છે ૨૩૦ કરોડ ! કોરોનાકાળમાં દવા-રસી કે ઑક્સિજનની અછત હોય ત્યારે સરકારને એવું કેવું સંશોધન કરાવવાનું હશે? લાગે છે કે પેગાસસે આપેલી માહિતીનું વિશ્લેષણ થતું હશે.

આનું પરિણામ જુદા-જુદા સમાચારોમાં જોઈ શકાય છે. માત્ર ‘ધ વાયરે’ ૧૩૬ ફોનની ફૉરેન્સિક તપાસ કરી એમાં પેગાસસનું આક્રમણ દર્શાવ્યું છે. પત્રકારોને રક્ષણ આપતા સંગઠને આ વાઇરસના દુરુપયોગ બાબતે તત્કાલીન આઈ.ટી. મંત્રીશ્રી રવિશંકર પ્રસાદ અને આઈ.ટી. સંસદીય સમિતિના ચૅરમેનશ્રી શશી થરૂરને પત્ર લખ્યો છે જેમાં માંગ થઈ છે કે આની સવેળા તપાસ થાય અને જવાબદારને સજા થાય એમાં આટઆટલા પત્રકારો અને કર્મશીલો જ કેમ છે? દિલ્હી-રમખાણોમાં જવાબદાર કેમ નથી? પુલવામામાં કેમ ભીનું સંકેલાયું? અપરાધી અને આતંકવાદીને પકડવા માટેનું સૉફ્‌ટવેર નિર્દોષ વ્યક્તિઓ પાછળ કોણે કાર્યરત કર્યું ? શું નાગરિકોને પીડા આપતી આ યોજનામાંથી સરકાર કેવળ હાથ ખંખેરીને ઊભી રહે એ સરકાર કહેવાય દેશની આટલી બધી વિગતો વિદેશ ચાલી જાય, ત્યારે રાષ્ટ્રવાદી સરકાર હવાતિયાં મારે છે, એમાં ભૂંડી લાગે છે. જેણે જજ પર દુષ્કર્મનો આરોપ મૂક્યો છે એ બહેનના આખા કુટુંબના ફોનમાં ય વાઇરસ? આ કાયરોનું કામ છે. મોટાં બરાડા પાડનાર અંદરથી કાયર છે. એને દુશ્મન જ નહિ, મિત્ર પ્રત્યે પણ શંકા હોય છે. મોદી સરકારનાં બે વર્તમાન મંત્રીશ્રીઓ, સ્મૃતિ ઈરાનીના અને વસુંધરા રાજેના અંગત સચિવ પણ છે! છતાં સરકાર હાથ જોડીને બેસી રહે, તો એ સરકારે સવારસાંજ રાષ્ટ્રવાદનો રાગ આલાપવો બંધ કરવો જોઈએ.

ભારતીય લોકતંત્ર અત્યારે સહુથી વધુ અસુરક્ષિત છે. ઇન્ટરનેટના આગમન પછી અભૂતપૂર્વ અસુરક્ષા ઊભી થઈ છે. સંચારક્રાંતિ પ્રતિક્રાંતિમાં પલટાશે એનો અંદાજ કોઈને ય નહીં હોય. જે ટ્‌વિટર ફેસબુક વૉટસપમાંથી મોદીછબિ ઊભી થઈ એ જ મારશે. જે પોષતું એ મારતું એ ક્રમ દીસે છે! ખોટા કેસ ફટકારવામાં જે મોદી સરકાર આનંદ લેતી હતી, એ દમનકારી શાસકના પગ નીચે રેલો આવ્યો છે, તેથી હવે નવ્યસંચાર – માધ્યમો હવે એમને નથી ગમતાં.

એમના મિત્ર ટ્રમ્પ કે સંબિત પાત્રાનાં એકાઉન્ટ જે-તે કંપનીએ બંધ કર્યાં એ શરમજનક છે.

સંસદથી, જનતાથી તમે ક્યાં સુધી જુઠ્ઠાણું છુપાવશો ? વિજ્ઞાનનો આવો અવિવેકી ઉપયોગ નાગરિક-અધિકારોના હનન માટે ન કરાય. મોટા માફિયા, લલિત – નીરવ મોદી કે દાઉદ નથી પકડાતા, પણ જે.એન.યુ.ની વિદ્યાર્થિનીઓ જે વાજબી માંગણી કરતી હોય એને જેલમાં ગોંધી રાખી ? કોઈ ઉત્તરપૂર્વનો આતંકવાદી, કોઈ ખાલિસ્તાની પકડ્યો ? સરકારો ઉથલાવી, વિપક્ષને તોડ્યા! અરે વર્કર્સ યુનિટીના ગરીબ અને નિષ્ઠાવાન પત્રકારોને નથી છોડ્યા !

NSO સાથેના આ સીધો કરારભંગ છે. અપરાધી અને આતંકવાદી માટેનું હથિયાર આ રીતે આંદોલનકારી સામે ન વપરાય. આ વિપક્ષનું કાવતરું છે, એમ કહી મોદી સરકાર છટકી ન શકે. ન્યુઝક્લિપ, વાયર, ભાસ્કર-જૂથ અને ભારતસમાચાર ટી.વી. ચૅનલ જે દોઢ વર્ષથી જનતાના દબાવમાં સરકાર વિરોધી વલણ લીધું છે, એના પર દરોડા પડી રહ્યા છે, એ બતાવે છે કે બાર માથાંળી સરકાર સુધરવા માંગતી નથી.

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 03-04

Loading

31 July 2021 admin
← કવીશ્વર દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ
જિંદગી એક જ મળી છે ત્યારે કયો માર્ગ અપનાવશો? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved