Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અજય પાઠક

ડંકેશ ઓઝા|Opinion - Opinion|17 May 2021

છેલ્લાં વર્ષોમાં અજય પાઠકની ઓળખ ડંકેશભાઈએ નોંધ્યું છે તેમ – અને મેં અજયસિંહ ચૌહાણની આ અંગેની (કદાચ સર્વપ્રથમ) મુખટપાલ(ફેસબુક પોસ્ટ)માં પણ જોયું તેમ – હેવાલલેખક તરીકે સતત સામે આવતી રહી, પછી તે અસ્મિતા પર્વ હોય કે પરિસદ સત્ર. જો કે અજય વિશે મારી શરૂઆતની સાંભરણ અને સળંગ છાપ એક સહૃદય સમીક્ષક વ્યક્તિત્વની. પાંચેક દાયકા પર પહેલીવાર મળવાનું થયું ત્યારે સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રની અમદાવાદ શાખામાં બદલી થઈ આવેલા એ ‘નિરીક્ષક’ના લેખકની શોધમાં હતા. પછી તો, તરતમાં, હું ‘વિશ્વમાનવ’ના સંપાદનમાં સંકળાયેલો અને એમાં અજયે ‘કાન્ત’ વિશે કોઈ મુદ્દો કર્યો હશે તેથી ખેંચાઈ ઑફ ઑલ ધ પર્સન્સ મુ. નગીનદાસ પારેખે મને પરિચયપૃચ્છા કર્યાનું સાંભરે છે. થોડા વખત પર વાત થઈ (હજુ ૨૪મી એપ્રિલે તો એમણે ટૂંકાક્ષરી મુખટપાલ મૂકેલી કે ‘ઠીક છે.’) ત્યારે ઈશ્વરલાલ ર. દવે વિશે વિગતે લખવા માટે સામગ્રી એકત્ર કર્યાનું કહેતા હતા. ઈ.ર.દ.ના છાત્ર તરીકે એક અભ્યાસીની હૈયાઉલટ એ હતી. આ સંદર્ભમાં સુદીર્ઘ અભ્યાસલેખ કરવો, પરિષદ-વ્યાખ્યાન તૈયાર કરવું ને ‘નિરીક્ષક’ લાયક નોંધ એવી ત્રિવિધ હોંશ એમને હવેના મહિનાઓ માટે હતી. પરિષદ પરત્વે કોઈ મહત્ત્વાકાંક્ષી ગોઠવણ વગર સ્વયંસેવી સંપૃક્તતા એ એમનો વિશેષ હતો. વિષમ સંજોગોમાં મંત્રી તરીકેનું દાયિત્વ આવ્યું તો વિવિધ વ્યાખ્યાન આયોજનનો આખો બૅકલૉગ એમણે એવો તો સુપેરે પાર પાડી આવ્યો હતો કે … ગમે તેમ પણ, વ્યક્તિગત સ્નેહસંબંધ ઉપરાંત ‘નિરીક્ષક’ના ૧૯૬૮થી સળંગ વાચક તરીકે તે શું વિચારે છે, શું સૂચવે છે એનું મને હંમેશ ખેંચાણ રહ્યું એ આ ક્ષણે વિશેષરૂપે સંભારું છું.

— “નિરીક્ષક” તંત્રી

અજય પાઠક, ભાવનગરના પ્રશ્નોરા નાગર અને નિવૃત્ત અધિકારી, સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર. એંસી આસપાસની ઉંમરે આઠમીને શનિવારે કોરોનાગ્રસ્ત થઈને શહેરની સર તખ્તસિંહજી હૉસ્પિટલમાં અવસાન પામ્યા. સાહિત્યવ્યાસંગી અને કલાનુરાગી એવા અજય પાઠક છેલ્લાં વર્ષોમાં સાહિત્ય પરિષદનાં અધિવેશન અને જ્ઞાનસત્ર તથા સદ્‌ભાવના પર્વના અહેવાલલેખનકાર તરીકે ઘણાને યાદ આવશે.

બૅંકના અધિકારી હોવા છતાં એમનો સાહિત્યરસ પાકો અને ઊંડો હતો. યશવંત દોશીના પુસ્તક સમીક્ષાના માસિક ‘ગ્રંથ’ના શરૂઆતનાં વર્ષોના અંકોમાં તેઓ ટૂંકાં અવલોકનો લખતા. પાછળના એમના લાંબા અહેવાલોના સંદર્ભમાં આ નોંધવા યોગ્ય લાગે છે. પરિષદની મધ્યસ્થ સમિતિમાં તો જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ ઉમેદવારી કરતા રહ્યા. ક્યારેક ચૂંટાયા – હાર્યા અને તત્કાળ પૂરતો મંત્રીનો હવાલો સોંપાયો, ત્યારે પરિષદ વ્યાખ્યાનમાળાના આયોજનમાં મોટી ઉંમરે પણ નાનાં કેન્દ્રો સુધી દોડીને તેમણે સારું કામ બજાવ્યું. પરિષદના અધિવેશનમાં અને જ્ઞાનસત્રોમાં તેઓ છેક ૧૯૬૦થી લગભગ નિયમિતપણે જતા.

‘નિરીક્ષક’, ‘વિ. વિદ્યાનગર’, ‘સદ્‌ભાવના ફોરમ’, ‘પરબ’ વગેરેમાં તેઓ લખતા રહ્યા. યાદ આવે છે દક્ષાબહેન પટ્ટણી વિશે તેમણે ‘નિરીક્ષક’માં જે અંજલિલેખ લખેલો તે પછીથી ‘નવનીત સમર્પણ’માં પણ પુનર્મુદ્રિત થયેલો. અંજલિલેખો લખવા એ અહેવાલ લેખનની જેમ એમનું મનગમતું કામ હતું. આશ્ચર્યજનક રીતે તેઓ ફેસબુક ઉપર પણ સક્રિય હતા. ત્યાં પણ ટૂંકી સ્મૃતિઅંજલિ મૂકવામાં તેમને આનંદ આવતો.

વયોવૃદ્ધ માતાપિતાની આનંદથી સેવા કરી, જ્યારે તેમની પોતાની ઉંમર અને તબિયત સેવા લેવાની હકદાર હતી. સાંભળ્યા મુજબ, એમની દીકરી શૈલા તેઓ હૉસ્પિટલમાં માંદગી બિછાને હતા ત્યારે અવસાન પામી, જેના સમાચાર પણ તે સમયે અજયને આપી શકાય તેમ ન હતા. બીજી દીકરી હેમા ભાવનગર જ છે. હવે  રંજનબહેને આ બધું સંભાળવું રહ્યું.

શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યાનું તેમને ગૌરવ હતું. કોઈ અધ્યાપક લાંબી રજા પર હોય કે જગ્યા ખાલી રહી હોય, ત્યારે આપદ્‌ ધર્મ, તરીકે તેમણે અધ્યાપનકાર્ય પણ કર્યું, જેનો તેમને અનહદ આનંદ હતો. ભાવનગરની ‘ગદ્યસભા’ સહિતની જે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિઓ હોય તે સાથે તેમનો લગાવ કાયમી રહ્યો. વ્યવસ્થિત રીતે અધ્યયન કરવું, વાંચતાં રહેવું એ તેમની શિસ્ત હતી. વિનોબાના રમેશ સંઘવી સંપાદિત પંચામૃત સંપુટનું અત્યારે તેઓ અધ્યયન કરી રહ્યા હતા. તે અંગે લખાય અને છપાય એવી મોકળાશની શોધમાં હતા.

મારો અજય સાથેનો પરિચય દિલીપ ચંદુલાલને કારણે. તેઓ પ્રકાશભાઈ, હરિકૃષ્ણ પાઠક, માધવ રામાનુજ વગેરેના અંતરંગ પરિચયમાં હતા. પછી તો એમાં ઘણા ઉમેરાયા, ગુરુકુળ મહુવા ખાતે મોરારિબાપુના સાંનિધ્યમાં કાર્યક્રમોમાં સામેલ થવું એમને ખૂબ ગમતું. ત્યાં સવારની વહેલી અને પહેલી ચા સાથે જે ચર્ચાઓ ચાલતી તે પણ હવે સ્મૃતિશેષ. વિજય પંડ્યા, સતીશ વ્યાસ, અજય અને અમે ચાય પે ચર્ચાનો જે આનંદ લૂંટ્યો છે, એ તો માત્ર અમારો જ. સ્મરણસ્થ અજય પાઠક ભુલ્યા ભુલાય તેમ નથી. મારી આદરાંજલિ.

અડાલજ – ૩૮૨ ૪૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 11

Loading

17 May 2021 admin
← ભારતની કોવિડ-૧૯ કટોકટી
યાદ રહે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved