Opinion Magazine
Number of visits: 9446519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હ્યુમન લાઈબ્રેરી : મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 April 2021

"પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે”, એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના  કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની, શિક્ષણની, જરૂરિયાતની, ટાઇમ-પાસની વસ્તુ છે. કોઈને કોઈ સ્વરૂપે પુસ્તક આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ પડાવોને પ્રભાવિત કરતું રહે છે. પુસ્તકોનો આવિષ્કાર થયો, ત્યારથી લઈને માનવ જીવનમાં તેની ઉપયોગિતા પર અનેક જ્ઞાની લોકોએ ખૂબ બધા વિચારો કર્યા છે, ખૂબ બધું લખ્યું છે.

આધુનિક રાજકીય ચિંતન અને રાજકીય વિજ્ઞાનના જનક ઇટાલિયન નિકોલો મેકિયાવલી આમ તો નિષ્ઠુર વિચારક હતો, પરંતુ તેના વ્યક્તિત્વમાં અમુક નાજૂક બાબતો પણ હતી. એમાં પુસ્તકોનો સમાવેશ થાય. તત્કાલીન રોમમાં ફ્લોરેન્ટીનના રાજદૂત અને અંગત મિત્ર ફ્રાંસેસ્કો વેટ્ટોરીને ડિસેમ્બર ૧૫૧૩માં લખેલા પત્રમાં મેકિયાવલીએ તેના વાંચનના શોખ અંગે લખ્યું હતું –

"સાંજ પડે હું નિવાસે પાછો ફરું છું અને પુસ્તકોના મારા કમરામાં જાઉં છું. દરવાજે હું દિવસનો મારો મેલોઘેલો પહેરવેશ ઊતારીને ટાંગી દઉં છું, અને દરબારી વસ્ત્રો ધારણ કરીને પ્રાચીન જ્ઞાનીઓના દરબારમાં પ્રવેશ કરું છું. મને પ્રેમથી આવકાર આપવામાં આવે છે. ત્યાં મારા માટે આહાર તૈયાર હોય છે. હું તેમની સાથે વાતો કરું છું અને તેમના આચરણ વિશે હું સવાલો પૂછું છું. તેઓ નમ્રતાથી મને જવાબો આપે છે. ત્યાં ચાર કલાક સુધી મને  કંટાળો નથી આવતો, હું દરેક દુઃખ ભૂલી જાઉં છું, મને ગરીબી, મોતનો ડર નથી લાગતો. હું મારી જાતને સંપૂર્ણપણે તેમને સમર્પિત કરી દઉં છું."

મેકિયાવલી તેનાં પુસ્તકો સાથે વાતો કરતો હોય એ કલ્પના કેટલી જબરદસ્ત છે. એ સાચી પણ છે. આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ, ત્યારે આપણે તેની સાથે એવી રીતે સંવાદ કરીએ છીએ, જાણે એક મિત્ર સાથે વાત કરતા હોઈએ!  ૨૦૦૬માં, હોલીવૂડની એક ફિલ્મ 'નાઈટ એટ ધ મ્યુઝિયમ' આવી હતી. તેમાં રોજ રાત પડે મ્યુઝિયમમાં શો-કેસમાં મુકવામાં આવેલાં જનાવરો જીવતાં થાય છે!

ધારો કે મેકિયાવલીની લાઈબ્રેરીનાં પુસ્તકો જીવતાં થઈને જે તે લેખકનું સ્વરૂપ ધારણ કરે અને મેકિયાવલી સાથે સંવાદ કરે તો? આમ ભલે ફિલ્મી કલ્પના લાગે (કોઈએ આવો પ્લોટ વિચારવા જેવો છે), પણ ડેન્માર્કમાં પ્રતિવર્ષ યોજાતા રોસકિલ્ડે મ્યુઝિક ફેસ્ટિવલમાં સન ૨૦૦૦માં રોની અબેરજેલ નામના એક સ્થાનિક લેખકને એવો વિચાર આવ્યો હતો કે જેમ પુસ્તકોની લાઈબ્રેરી હોય છે, તેવી માણસોની લાઈબ્રેરી હોય તો કેવું?

આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસની સાથે માણસોએ એકબીજા મળવાનું અને સંવાદ કરવાની ઓછું કરી દીધું છે, ત્યારે માણસો એકબીજાંને 'પુસ્તક' તરીકે મળે, તેવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ એવો વિચાર આ રોનીભાઈને આવ્યો હતો. એ વિચાર એટલો સશક્ત હતો કે આજે ૨૦ વર્ષ પછી ૮૦ દેશોમાં આવી લાઈબ્રેરી ચાલે છે, જેમાં માણસો 'પુસ્તક' બનીને એકબીજાને મળે છે. એ પ્રવૃત્તિનું નામ છે ‘હ્યુમન લાઈબ્રેરી’ એટલે કે માણસોની લાઈબ્રેરી.

આઈડિયા એવો છે એમાં જે વ્યક્તિ ‘મેમ્બર’ બનવા માગતી હોય, તે ‘પુસ્તક’ બને, અને ‘વાચકો’ માટે ઉપલબ્ધ રહે. એટલે ધારો કે હું ‘પુસ્તક’ તરીકે પેશ થવા તૈયાર થાઉં, તો કોઈ નિશ્ચિત જગ્યાએ કોઈ મને ‘વાંચવા’ આવે. એ મને મારા જીવન વિશે, વ્યવસાય વિશે, સફળતા-નિષ્ફળતા વિશે, દુઃખ-દર્દ વિશે પૂછે. ભારતમાં પણ અનેક શહેરોમાં આવી લાઈબ્રેરીઓ ચાલે છે.

જેમ પરંપરાગત લાઇબ્રેરીમાં વિષયવાર પુસ્તકો હોય છે, તેવી રીતે આ ‘હ્યુમન લાઈબ્રેરી’માં પણ કેવા પ્રકારના લોકો ‘પુસ્તકો’ રૂપે ઉપલબ્ધ છે, તેની સૂચિ બને છે. એટલે ધારો કે કોઈ ‘વાચક’ને સેરેબ્રલ પાલ્સીનું પુસ્તક ‘વાંચવું’ હોય, તો લાઈબ્રેરીમાં તે એવા રોગનો અનુભવ હોય તેવી વ્યક્તિને ‘વાંચવા’ માટે પસંદ કરી શકે. વ્યક્તિઓ સામેથી ‘પુસ્તક’ બનવા તૈયાર થઇ હોય, એટલે તેમને ‘વાચકો’નો કોઈ પણ સવાલનો જવાબ આપવાની શરમ ન હોય.

ધ હ્યુમન લાઇબ્રેરી ઓર્ગેનાઈઝેશન નામની નહીં નફો-નહીં ખોટના ધોરણે ચાલતી સંસ્થા આ લાઇબ્રેરીને ચાલવે છે. આ સંસ્થા ઊભી કરનાર રોની અબેરજેલ કહે છે કે અગાઉ તેણે અને તેના સહયોગીઓએ શહેરી વિસ્તારોમાં થતી હિંસા સામે સ્ટોપ ધ વાયોલેન્સ નામની ચળવળ સાત વર્ષ ચલાવી હતી. તે વખતે તેને પ્રશ્ન થયો હતો કે લોકો સાવ અજાણ્યા માણસો પર હિંસા કેમ કરતા હશે? તેને લાગ્યું કે તેનું એક કારણ એ છે કે તેમની વચ્ચે ભૂતકાળમાં કોઈ સંબંધ ન હતો. રોની કહે છે કોઈ વ્યક્તિ પસંદ ન હોય પણ તેની સાથે એક સામાજિક સંબંધ હોય, તો હિંસા ઘટી શકે.

આ વિચારમાંથી હ્યુમન લાઈબ્રેરીનો જન્મ થયો હતો, જેનો મૂળ હેતુ અજાણ્યા લોકો સાથે ઓળખાણ સ્થાપિત કરવાનો છે. આપણે અત્યંત ધ્રુવીકરણવાળા સમયમાં રહીએ છીએ, જેમાં જે ‘આપણા’ જેવા ન હોય અથવા આપણાથી ‘જુદા’ હોય તેવા લોકો પ્રત્યે આપણને બહુ બધા પૂર્વગ્રહો હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ જેલની સજા કાપીને આવી છે અથવા ધારો કે સમલૈંગિક છે. આપણે જ્યાં સુધી તેને જાણતા નથી, ત્યાં સુધી આપણામાં તેના વિશે ઘણીબધી ગેરમાન્યતાઓ હોય છે. તેમાંથી જ નફરત અને ઘૃણા પેદા થાય છે. હ્યુમન લાઇબ્રેરીમાં આવા વિષમ લોકોને ખુલ્લા થવાનો અને પૂર્વગ્રહો દૂર કરવાનો મોકો મળે છે.

જુદા હોવું એટલે એકલા હોવું. જે સમાજ એક સરખા જોડા સીવતો હોય અને બધાને તેમાં ફીટ કરવાનો પ્રયાસ કરતો હોય, ત્યાં ‘નાના-મોટા પગવાળા’ માણસો તરછોડાય છે અને ભેદભાવનો શિકાર બને છે. આપણે નાના હતા ત્યારે આપણા વડીલો આપણને ઘણીવાર કહેતા હતા કે ‘આ પુસ્તક તારાથી ન વંચાય.’ આપણે સ્વતંત્રત થઈને ન વાંચવાનાં પુસ્તકો વાંચતા થયા, પછી આપણને ખબર પડી કે એ પુસ્તકોમાં તો કશું અસાધારણ ન હતું. બલકે, આપણે તે વાંચ્યા ન હતાં એટલે આપણે અધૂરા હતા. મોટા થઈને આપણે બહુ બધાં પુસ્તકો વાંચ્યાં, પછી ખબર પડી કે કોઈ પુસ્તક સારું કે ખરાબ નથી હોતું. પુસ્તક સારી રીતે લખાયેલું અથવા ખરાબ રીતે લખાયેલું હોય છે.

માણસોનું પણ એવું જ છે. આપણે તેને ‘વાંચીએ’ નહીં ત્યાં સુધી તે આપણને ખરાબ જ લાગે. શાહરુખ ખાનની ‘બાઝીગર’ ફિલ્મમાં ગીતકાર રાની મલિકે એટલે જ લખ્યું હતું;

કિતાબે બહોત સી પઢી હોંગી તુમને
મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

22 April 2021 admin
← બેજુબાનોની જુબાન : જાહેરહિતની અરજી
અનિશ્ચિતતા અને અરાજકતા વચ્ચે જીવવાનું અઘરું થઈ ગયું છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved