Opinion Magazine
Number of visits: 9448691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અિગ્નપરીક્ષા : વિશાળ દેશની વિકરાળ સમસ્યાઓ

નગીનદાસ સંઘવી|Samantar Gujarat - Samantar|28 May 2014

રાજવટ : દેશ અને સમાજની વિકટ સમસ્યાઓ રાજવી માટે આફત નથી, પણ લોકપ્રતિષ્ઠા મેળવવાનો રાજમાર્ગ છે

દેશમાં અને દુનિયામાં નરેન્દ્ર મોદીના જેટલા દોસ્ત અને જેટલા દુશ્મન હશે તે બધાની નજર દિલ્હીની આજની સાંજ પર ચોંટેલી છે. લોકપ્રિયતાની લહેર-સુનામી મોજાં પર સવાર થઈને મોદી આજે ભારતમાં રાજકીય સત્તાનાં શિખરે પહોંચ્યા છે. ત્યારે તેમની ખુશામત કરનારા અને તેમને શિખામણ આપનારાનો પાર નથી, પણ મોદી કોઈને પોતાનું પેટ કળાવા દેનાર નથી. પ્રધાનમંડળની રચના મોદી સામેનો પહેલો પડકાર છે અને આ કામમાં તેમને સો ટકા સફળતા મળવાની નથી. કારણ કે ભાજપનાં અને સાથી પક્ષોના બધા આગેવાનોની બધી અપેક્ષા સંતોષવાનું શક્ય નથી.

સત્તા અને સંપત્તિ ગમે તેટલાં મળે પણ ઓછા જ મળ્યાનો અસંતોષ માણસનો સ્વભાવ છે. ઊંચા દોર પર અડગ ચાલતા નટના જેટલી સમતુલા મોદીએ જાળવવાની છે. તેર વરસનો વહીવટી અનુભવ અને ત્રીસ વરસનાં રાજકીય જીવનની ચડાઉતરી નરેન્દ્ર મોદીએ ખરેખરા ખપમાં લેવી પડશે. આ વિજય ભાજપ કે ભાજપી મોરચાનો નથી, પણ નરેન્દ્ર મોદીએ એકલા હાથે મેળવેલો વિજય છે. પણ વિજયનાં ગાંડપણમાં વાસ્તવિકતાને વિસારે પાડવી ન જોઈએ. મોદીને લોકસભામાં બાવન ટકા બેઠક મળી છે, પણ મતની ટકાવારી તો માત્ર ૩૧ ટકા જ છે. મોદીએ લોકચાહનાની ટકાવારી વધારવા માટે ઘણી જહેમત કરવી પડશે.

ભાજપની સુવાંગ બહુમતીનાં કારણે ભાજપને સાથીઓની જરૂર છે તેના કરતાં સાથીઓને ભાજપની વધારે જરૂર છે. એટલે મોદીનું કામ વાજપેયી અને મનમોહનસિંઘ કરતાં થોડું વધારે સહેલું બને છે. પણ ભાજપનાં મોટાં માથાઓનો સમાવેશ ક્યાં કરવો તે મોદી માટે સૌથી મોટી સમસ્યા છે. બધાની ચર્ચા કરવાની જગ્યા નથી, પણ અડવાણી સૌથી મોટું ઉદાહરણ છે. અત્યારે ગમે તેવા ભેદભાવ હોય પણ વીસ વરસ (૧૯૯૦-૨૦૧૦) સુધી અડવાણીએ નરેન્દ્ર મોદીની રક્ષા કરી છે. તેમને માર્ગદર્શન આપ્યું છે અને તેમને યોગ્ય સ્થાને બેસાડયા છે. ૧૯૯પ-૨૦૦૧નો દેશવટો અને ૨૦૦૨માં ભાજપ કારોબારીની ગોવા બેઠક- આ બંને જીવલેણ ઘાણમાંથી મોદીને અડવાણીએ ઉગાર્યા છે. પણ અડવાણીને માનભેર બેસાડી શકાય તેવી જગ્યા જડતી નથી.

રાષ્ટ્રપતિનું સિંહાસન ખાલી નથી અને નીચા સ્થાન પર તેમને બેસાડાય નહીં. મોદીની અિગ્નપરીક્ષા આજથી શરૂ થાય છે. જિંદગી આખી મથ્યા કરો તો પણ ઉકેલી ન શકાય તેવા વિકટ પ્રશ્નો મોદીએ પાંચ વરસમાં ઉકેલી નાખવા તેવી અપેક્ષા તેમની પાસેથી રાખવામાં આવે છે. ભારત જેવા વિશાળ અને સંકુલ દેશની સમસ્યાઓ સમજવી સહેલી નથી. ભારત મહાન છે પણ તેની સમસ્યાઓ, તેનાં દૂષણો, તેની નબળાઈઓ પણ મોટી છે. આપણા રાજકીય અને સામાજિક પાપનો પાર નથી. સ્પષ્ટ બહુમતી અને ઝળહળતો વિજય આપીને મતદારોએ મોદી માટે તમામ છટકબારીઓ બંધ કરી દીધી છે. જે કંઈ થાય અથવા ન થઈ શકે તેની જવાબદારી મોદીએ એકલા જ ઉપાડવાની છે. વિશ્વનાથ પ્રતાપસિંહથી માંડીને તમામ વડાપ્રધાનો મોરચા રાજકારણ માથે દોષ ઠાલવીને છૂટી જતાં. મોદી માટે આ દરવાજો બંધ છે.

અતિશય ઘોર બદનામી અને વિડંબના પછી મોદીને સત્તા અને સન્માન મળે છે. અગણિત બુિદ્ધવંતો અને કર્મશીલો તેમના ટીકાકાર હતા અને છે. મોદી વડાપ્રધાન બનશે તો દેશનું સત્યનાશ વળી જશે અને પોતે ભારત છોડી જશે તેવું જાહેર રીતે બોલનાર મહાનુભાવોએ ફેરવી તોળવાની શરૂઆત કરી દીધી છે. મોદીએ ટીકાકારો કરતાં ખુશામતખોરોથી વધારે ડરવાનું છે. દિલ્હી ખુશામતખોરીની ભારતીય રાજધાની છે. જલાલુદ્દીન રૂમીએ ચેતવણી આપી છે કે ખુશામતખોરોની જીભ કાળોતરા સાપના ડંખ કરતાં ઘણી વધારે ઝેરી હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં મોદીએ પોતાની કાર્યશક્તિ અને પોતાની નસીબદારી પુરવાર કરી છે. આ વખતે પણ મોદીને સૌથી મોટો લાભ એ છે કે મોદીની પહેલાંની સરકાર અતિશય નિર્માલ્ય અને તદ્દન ભ્રષ્ટ હતી. તેથી મોદીનાં બધાં કામ આમજનતાની નજરમાં વધારે મોટાં દેખાશે.

મનમોહનસિંઘ જેવા પવિત્ર અને સંસ્કારી રાજપુરુષને મોરચાના ઓથારમાં અને કોંગ્રેસી ભીંસણમાં કચડાવું પડયું તે આ રાજવટનું મોટું પાપ છે. સંજય બારુનાં પુસ્તકનાં પાને પાને આવા દાખલાઓ અપાયા છે. મોદીએ મેળવેલા વિજય માટે તેમને અભિનંદન આપી શકાય, અને ભવિષ્ય માટે અતિશય ચિંતન કરી શકાય, પણ વખાણ તો પાંચ વરસ પછી જ કરી શકાય. ઊગતા સૂરજ સામે લળી પડનાર સત્તાલોભીઓના બોલની નોંધ ઇતિહાસમાં કદી લેવાતી નથી. નક્કર કામગીરીની કઠોર સરાણ-જતરડામાંથી કતરણ પડે તે જોયા પછી જ બોલવું ઠીક ગણાય. લોકપ્રિયતાની લાલચમાં પડયા વગર લોકકલ્યાણનાં કામ કરવા અને તે માટે જરૂરી પગલાં ભરવાની મોરારજી દેસાઈની પરંપરા નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી નિભાવી છે. સસ્તા ભાવે અથવા મહત્ત્વની વીજળી આપવાની પડાપડી થતી હતી ત્યારે મોદીએ વીજળીનો દર ત્રણ ગણો કર્યો.

વીજળીચોર વેપારીઓ અને ખેડૂતો સામે ૪૯,૦૦૦ કરતાં વધારે ખટલા દાખલ કરવામાં આવ્યા. લોકોને મફતિયો માલ (ફ્રિબીજ) આપવાની પરંપરા ગુજરાતમાં નથી. ભારતમાંથી નામશેષ કરી નાખવી ઘટે છે. 'ભીખનાં હાંડલા કદી શીંકે ચડતાં નથી’ તે ગુજરાતીઓ બરાબર સમજે છે, ભારતે સમજવું પડશે. મોદી કઠોર પરિશ્રમ કરવા માટે જાણીતા છે. હવે દેશને પરિશ્રમી બનાવવો પડશે. આમજનતા તો કામ કરવા તલપાપડ છે, કામ કોઈ શોધ્યું જડતું નથી, તેની જોગવાઈ થવી જોઈએ.

સામાન્ય માણસ થરથરી ઊઠે તેવી વિકરાળ સમસ્યાઓ મોદી સામે મોં ફાડીને ઊભી છે, તે મોદીનું સદ્દભાગ્ય છે. ઓસ્ટ્રિયાની મહિ‌માવંત સમ્રાજ્ઞી મેરાયા થેરીસાએ દીકરીને શિખામણનો કાગળ લખ્યો છે કે, દેશ અને સમાજની વિકટ સમસ્યાઓ રાજવી માટે આફત નથી, પણ કામ કર્યાનો આનંદ અને લોકપ્રતિષ્ઠા મેળવવાનો રાજમાર્ગ છે. ચીની લખાવટમાં આફત માટે બે પ્રતીક લખવાં પડે છે, એક પ્રતીક બોજા અને વિનાશનું છે. બીજું પ્રતીક વિજય અને વિકાસ માટે છે. મોદી ભારતીય રાજવટની સમસ્યાઓના બોજાથી કચડાઈ જશે કે પથ્થરમાં પાટુ મારીને પાણી કાઢશે તે હવે જોવાનું છે.

નગીનદાસ સંઘવી લેખક વરીષ્ઠ રાજકીય સમીક્ષક છે.

http://www.divyabhaskar.co.in/article/ABH-massive-problems-of-large-country-4625178-NOR.html

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 26 મે 2014

Loading

28 May 2014 admin
← Jawaharlal Nehru: Hero of his age, outcast of ours
The writer who beat horrific childhood experiences to become a best-selling poet and civil rights activist →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved