Opinion Magazine
Number of visits: 9449675
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે કશું નહીં કરીએ તો કાયમ માટે કેદ થઈ જઈશું

અરુંધતિ રૉય|Opinion - Opinion|27 May 2020

કોરોના વાઇરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદરૂપી મશીનનું એન્જિન ઠપ કરી દીધું છે.

પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડા સમય માટે પોતાના ઘરોમાં કેદ છે, ત્યારે પૃથ્વી પોતાની હાલત સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા, ત્યારે પણ પૃથ્વી બધું ખમ્યે જતી હતી તે વાસ્તવિકતા અચંબિત કરનારી છે. પરંતુ જે કામ જોરશોરથી ચાલુ છે તેને કેમ કરીને અટકાવીશું? ભારતનો દાખલો લઈએ, થોડા દિવસ પહેલાં વાઘ માટે સુરક્ષિત જંગલ વિસ્તારનો ઘણો મોટો ભાગ કુંભના મેળા જેવા એક વિશાળ ધાર્મિક આયોજન માટે લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો. ત્યાં કરોડો શ્રદ્ધાળુઓ આવશે. આસામમાં હાથીઓ માટેનો સુરક્ષિત જંગલ વિસ્તાર કોલસાના ખોદકામ માટે પસંદ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી હિમાલયના જંગલોની હજારો એકર જમીન જળવિદ્યુત મથક માટે બંધાનારા બંધમાં ડૂબી જશે. આ બધા વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પાછળ રહે? તેમણે ચંદ્ર પર ખોદકામ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે!

જેમ કોરોના વાઇરસ માણસના શરીરમાં દાખલ થઈને અગાઉની બીમારીને વધારી દે છે, તેવી જ રીતે આ વાઇરસે અલગ અલગ રાષ્ટ્રો અને સમાજોમાં દાખલ થઈને તેની નબળાઈઓ અને માંદગીને સામે લાવીને મૂકી દીધી છે. તેણે આપણા સમાજમાં વ્યાપ્ત અન્યાય, સાંપ્રદાયિકતા, રંગભેદ, જાતિવાદ અને સૌથી વધુ તો અસમાનતામાં વધારો કર્યો છે. સત્તાનાં વિવિધ અંગો કે જેમનો આમ તો ગરીબોનાં દુઃખ કે પીડા સાથે કોઈ સંબંધ રહ્યો નથી અને ઝાઝો સમય તેમણે ગરીબોના દાઝ્યા પર ડામ દેવાનું જ કામ કર્યું છે, તેમની સામે આજે એ પ્રશ્ન આવીને ઊભો છે કે આ બીમારી જો ગરીબોમાં ફેલાશે તો તે પૈસાદાર લોકો માટે જોખમી સાબિત થશે. અત્યાર સુધી આ બીમારીના ઉપચાર માટે કોઈ સુરક્ષિત ઉપાય નથી. પરંતુ શક્ય તેટલી ઝડપી કોઈને કોઈ ઉપાય મળી આવશે. જે મોટા ભાગે વેક્સિન સ્વરૂપે હશે. અને હંમેશની જેમ તેનો પહેલો કબજો જેમના હાથમાં સત્તા છે તેમની પાસે જ રહેશે. અને રમત ફરી એક વાર શરૂ થશે — વ્યક્તિ જેટલી વધુ પૈસાદાર તેની જીવવાની સંભાવના એટલી વધારે.

ભારતીય ઉદ્યોગજગત સરકાર પર શ્રમિકોના અધિકારોમાં જે થોડું ઘણું બચ્યું છે તે બદલવા દબાણ કરી રહી છે. જેમાં દિવસના 12 કલાકના કામને મંજૂરી આપવા સહિતની માગણીઓ કેટલાંક રાજ્યોએ સ્વીકારી પણ લીધી છે. રાજસત્તા અને તેનું તંત્ર હાલમાં મહામારીના પ્રકોપથી હલી ગયાં છે. એ તો હંમેશાં વિકાસ અને સંસ્કૃતિના પોતાના ખ્યાલો સાથે વિનાશના પથ પર જ પૂરજોશમાં ગાડી ચલાવી રહ્યાં હતાં. જ્યારે પરમાણુ, રાસાયણિક તેમ જ જૈવિક શસ્ત્રોનો વધુ ને વધુ ઘાતક વિકાસ તેમ જ સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે આ ગાડી બેફામ ગતિએ ચાલે છે અને જ્યારે આખા ને આખા દેશ પર એવા પ્રતિબંધ લદાય છે, જેને લીધે સમસ્ત જનતાને જીવનરક્ષક દવાઓથી વંચિત કરી દેવાય. ત્યારે આ ગતિ તેની ચરમ સીમાએ પહોંચે છે. આ એવી ગતિ છે, જેમાં પ્રકૃતિ-પૃથ્વીના નાશની ઝડપની સામે કોવિડ-૧૯થી થતું નુકસાન તો બાળકોની રમત જેવું લાગે! દુનિયા લૉક ડાઉનમાં રહી ત્યારે આ શતરંજની ચાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. સરમુખત્યાર સરકારો માટે, કોરોના વાઇરસ જાણે ભેટ બનીને  આવ્યો છે.

રોગચાળો ફેલાય એ કોઈ નવી બાબત નથી, પરંતુ ડિજિટલ યુગમાં આવું પહેલી વાર બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય આપદાના સમયમાં સ્થાનિક સરકારો અને આપદાના સમયે ફાયદો ઉઠાવતા મૂડીવાદીઓ તેમ જ ડેટા માઇનર(માહિતી ભેગી કરતાં લોકો-સંસ્થાઓ)ની પોતાના સ્વાર્થ માટે ઊભી થયેલી મિલીભગતના આપણે સાક્ષી બન્યા છીએ. આ બધું ભારતમાં પણ ઘણી ઝડપે થઈ રહ્યું છે. ફેસબુકે ભારતની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની જિઓ સાથે કરાર કર્યો છે, જેમાં તે તેના 40 કરોડ વોટ્સએપ વપરાશકર્તાઓની પાયાની વિગતોની આપ-લે કરી શકશે. બિલ ગેટ્સ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. તેમના આ શિષ્ટાચારની પાછળ નફો મેળવવાની વૃત્તિ હોય, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વડાપ્રધાનશ્રીની ભલામણથી અત્યાર સુધીમાં કરોડો લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. (આરોગ્ય માટે કે સરકાર ચાંપતી નજર રાખી શકે તે માટે?) આ સાથે, માટે રહસ્યમય પી.એમ. કેર ફંડ છે, જેનું જાહેર ઓડિટ થવાનું નથી તેમાં એક દિવસનો પગાર જમા કરવાનું ફરજિયાત કરાયું છે.

જો કોરોના પહેલાં આપણે કોઈ વિચાર કર્યા વિના ધીમે ધીમે સર્વેલન્સ (સરકારી દેખરેખ) તરફ આગળ વધી રહ્યા હતા, તો હવે આપણે તેના ડરને કારણે સુપર સર્વેલન્સ તરફ દોડી રહ્યાં છીએ. જ્યાં આપણી પાસેથી આપણી અંગતતા, આપણું ગૌરવ, આપણી સ્વતંત્રતા — આ બધું કોઈ બીજાના કાબૂમાં જશે. આપણા ઉપર નિયંત્રણ કરવાની અને આપણી નાની નાની બાબતો નક્કી કરવાની સત્તા આપણે બીજાના હાથમાં આપવાનું સ્વીકારી રહ્યાં છીએ. લૉક ડાઉન સમાપ્ત થયા પછી પણ જો આપણે ઝડપથી આ અંગે વિચારીને કશું કરીશું નહીં તો, એ નિશ્ચિત છે કે ભવિષ્યમાં આપણે કાયમ માટે કેદ થઈ જઈશું. આ એન્જિનને આપણે કાયમ માટે કેવી રીતે બંધ કે નકામું બનાવી શકીએ? એને વિશે વિચારીને પગલાં ભરવા તે આપણું કામ છે.

[‘પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ’]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020

Loading

27 May 2020 admin
← શું સ્થળાંતરિત શ્રમજીવીઓ અને તેમની સમસ્યાઓ જાહેર જીવનમાં હંમેશાં અણદીઠાં રહેશે ?
માનવપ્રેમ વિનાનો દેશપ્રેમ હોય તો તેને દેશપ્રેમ કેવી રીતે કહેવો ? →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved