Opinion Magazine
Number of visits: 9449017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુંદનિકા કાપડિયાઃ પરમ સમીપેની યાત્રા પહેલાં અસંખ્ય જિંદગીઓને પરમનો માર્ગ દર્શાવનારાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 May 2020

કુંદનિકા કાપડિયાનું જવું એટલે એક એવી મશાલનું ઓલવાઇ જવું જેણે સતત પ્રગટ રહી બીજી અનેક જિંદગીઓને અજવાળી, રસ્તો બતાવ્યો અને અમુકને તો ચાલતાં સુધ્ધા શીખવ્યું.

ગુજરાતી ભાષાની વાત કરીએ ત્યારે ચોમાસાંનાં દેડકાંની માફક આજકાલ તો બધાં જ કૂદી પડે છે પણ ભાષા, વિષય, તેનું વજન અને તેનો પ્રભાવ એ કેટલો ઘેરો રહે છે, કેટલો ટકે છે તે જ કોઇ પણ સર્જકની સજ્જતાનું સાચું અને નક્કર પરિણામ હોય છે. કુંદનિકા કાપડિયા, એક નામ જે બોલાય એટલે મને યાદ આવે કે લાઇબ્રેરીમાં કે ઘરમાં ક્યાંક પડેલું એક પુસ્તક જેમાં નીચે કંઇક વાડ જેવું છે, પુસ્તકનું નામ સાત વાર લખેલું છે, ઉપર એક પંખી છે અને ધોળું ચકરડું છે જેને સૂર્ય કે ચંદ્ર કંઇ પણ ધારી શકાય અને એવું બધું. હું ઘણાં એવા લોકોને જાણું છું જેમણે વલસાડ જઇને, નંદીગ્રામની મુલાકાત પણ લીધી, જેઓ કુંદનિકાબહેનને મળ્યાં છે. મારા કિસ્સામાં ક્યારેક સમયનો અભાવ અને મોટે ભાગે અહોભાવનો ભાવ આ બન્નેના પાપે મને ત્યાં જવાનો મોકો ન મળ્યો. કુંદનિકા કાપડિયાનું જવું એટલે એક એવી મશાલનું ઓલવાઇ જવું જેણે સતત પ્રગટ રહી, બીજી અનેક જિંદગીઓને અજવાળી, રસ્તો બતાવ્યો અને અમુકને તો ચાલતાં સુધ્ધા શીખવ્યું.

‘સાત પગલાં આકાશમાં’, આ નવલકથા પરથી સિરિયલ પણ બની હતી અને મને હજી યાદ છે કે સાસુનો વસુધાને ટોણો કડવા અવાજે એક્ટ્રેસ કલ્પના દીવાન બોલતાં, “વસુધા થાંથી બહુ”, અંતે થાંથી વસુધા પોતાનો જુદો રસ્તો જ શોધી લે છે. ‘સાત પગલાં આકાશમાં’ એક એવો માઇલસ્ટોન છે જેને લીધે ગુજરાતમાં નારીવાદ, સ્ત્રી સ્વંતત્રતાના વિષય પર ચર્ચાઓ થતી થઇ. સ્ત્રીને પોતાનું અસ્તિત્વ હોવું જોઇએ તેવું ભાન ઘણી સ્ત્રીઓને એ પુસ્તક વાંચવાને લીધે જ થયું હશે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમનાં લખાણોમાં હેન્રિક ઇબ્સનનાં ડૉલ્સ હાઉસની ઊંડી અસર વર્તાઇ છે, તેમણે પોતે કબૂલ્યું છે કે તેઓ એ નાટકથી બહુ પ્રભાવિત હતાં. નાની વયે તેમને અસ્તિત્વનાં, પોતાના હોવા અંગેના અને પોતે શું છે તે પ્રકારનાં પ્રશ્નો થયા હતા. મકરંદ દવે સાથેનું તેમનું સહચર્ચ બહુ નાજુક રોમાંચથી ભરપૂર અને એકબીજાંની પ્રતિભાને પૂરક રહે તે પ્રકારનું રહ્યું.

ભાવનગર અને વડોદરામાં અભ્યાસ દરમિયાન સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેવો, ટૂંકા સમય માટે જેલવાસ પણ ભોગવવો જેવા અનુભવોથી ઘડાયેલા તે પેઢીનાં કુંદનિકાબહેન આજની પેઢી કરતાં ય ઘણું આગળનું વિચારતા. તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ પણ કર્યો. ‘નવનીત'નાં સંપાદનનું સુકાન તેમણે 1962થી 1980 અને તે પહેલાં ‘યાત્રિક’નું સંપાદન 1955થી 1957 સુધી સંભાળ્યું હતું.

તેમનું પહેલું સર્જન તો ‘મારા પ્રેમનાં આસું’ની વાર્તા હતી, જેને વિશ્વ વાર્તા સ્પર્ધામાં બીજું ઇનામ મળ્યું પણ ત્યાંથી જે સફર શરૂ થઈ તે આકાશનાં બધા આયામો પાર કરીને પરમ સુધી પહોંચી. સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતાનું છોગું પ્રાર્થનાઓનું અદ્ભુત સંકલન કરનાર કુંદનિકાબહેન માટે કદાય ક્યારે ય અગત્યનું નહીં રહ્યું હોય. મોટા ભાગની નંદીગ્રામની તસવીરોમાં તેમના ઘરની તસવીરોમાં મકરંદ દવેની મોટી તસવીર, હીંચકો, ચોપડીઓ આંખે ઊડીને વળગે તેવાં હોય છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ લીધેલો તેમનો ઇન્ટરવ્યુ જોઇએ ત્યારે ડૉક્ટર પિતા, ગોધરાનું બાળપણ, વાંચનનો શોખ વગેરેની વાત કરે ત્યારે પિતા સાથે દીકરીનાં નૈકટ્યનું એક સત્ય છતું કરે તો પ્રકૃતિના સાયુજ્યનો અને એકાંતનો તેમનો મોહ પણ સ્પષ્ટ થઇ જાય. તેમની કૃતિઓ જેમાં વાર્તાઓ, નવલકથા, અનુવાદોની યાદી લાંબી છે પણ તે ટાંકવામાં શબ્દો વેડફવાનો અર્થ નથી કારણ કે ચાહકોએ તેમને વાંચ્યા છે પચાવ્યા છે. તમામ વાચકો જાણે છે કે કોઇ એક ચિનગારી તેમનાં સર્જનોમાં સતત લબકારા કરતી અને તે અંગારાની આગ અને ઉષ્મા બહુ સાહજિક રહેતા. 

બીજાઓ માટે જીવવું, બીજામાં જીવાડવું, જીવંત કરવું એ જ ખરું જીવન તેમ માનનારા કુંદનિકા કાપડિયાએ અંતે આકાશ તરફ પગલાં ભર્યાં અને ઘણાં જીવનને આકાશ જીવી શકાય છે અને જીતી શકાય છેનો સંદેશો આપીને ગયાં.

બાય ધી વેઃ

મકરંદ દવેની એક પ્રખ્યાત કૃતિ છે તેનું નામ છે ‘ચિરંતના’; હું કુંદનિકાબહેનને મળી હોત તો મારા નામને કારણે ય મને સ્હેજ વ્હાલ વધારે મળત એવું ધારી લેવાની ભૂલ કરું છું. અંતે તો સત્ય એ છે કે કોઇનું જવું હંમેશાં આપણમાંથી કંઇક લઈ જતું હોય છે. ગયું અઠવાડિયું એકથી વધારે હિસ્સા લઈ ગયું. ફિલ્મ ઉદ્યોગના બે સિતારા ઋષિ કપૂર અને ઇરફાન ખાનનું ખરી જવું અને કુંદનિકા કાપડિયાનું નિધન ત્રણેય સમાચાર આઘાતજનક રહ્યા. એમાં ય કોરોનાનું સંકટ તો હજી પોતાનું જોર ઘટાડવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે આવા ઘેરા સંજગોમાં ‘પરમ સમીપે’માં સંકલિત કરાયેલી અનેક પ્રાર્થનાઓમાંથી થોડી પંક્તિઓ જીવવાથી રાહત મળે તેવી આશા સાથે અહીં મુકું છું. 

“તારી કને આ મારું છેલ્લે નિવેદન છે – મારા અંતરતમ ઊંડાણમાંથી મારી સઘળી દુર્બળતા
દૃઢ બળે છેદી નાખ, મારા પ્રભુ !
સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં
બધાં દુ:ખ ભૂલીને હું રહીશ.
કરુણા કરીને તારે પોતાને હાથે તેનું એક  બારણું
નિશદિન ખુલ્લું રાખજે.”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 04 મે 2020 

Loading

4 May 2020 admin
← બેંકોનું મર્જર કે મર્ડર?
સુપ્રીમ કોર્ટના વલણથી હું નિરાશ છું : નિવૃત્ત જસ્ટિસ લોકુર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved