Opinion Magazine
Number of visits: 9449693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના-કાળ વિકરાળ

સુમન શાહ|Opinion - Opinion|28 March 2020

= = = = આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે. = = = =

= = = = ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી – સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. = = = =

કોરોના-કાળ વિકરાળ બની રહ્યો છે અને ખાતરી છે કે વિકરાળથી વિકરાળ થવાનો છે.

ક્રૂર મજાક – બ્લૅક હ્યુમર – તો એ છે કે કોરોનાનો સીધો શિકાર થવા બહાર ભમો કે કોરોનાને ઘણું અઘરું પડે એ માટે ઘરમાં રહો.

ઘરમાં જ રહેવાય ને એમ જ જીવવું પડશે. અને એમ જીવવા માટે જરૂર છે, માત્ર ખોરાક-પાણીની. એ મળતાં રહે એથી મોટી જરૂરિયાત એકેય નથી. સ્વાભાવિક છે કે શરૂઆતમાં એ બાબતે દોડાદોડી થવાની. પણ ધીમે ધીમે એમ થવાનું કે ઘરમાં જેટલું છે એટલાથી ચલાવી લઈએ, ઓછું હશે તો ચાલશે, નહીં હશે તો પણ ચાલશે … મને-કમને ચિત્ત એ દિશામાં ઢળી જવાનું.

એવી મનોદશાને ‘લાચારી’ કહેવાય કે ‘આત્મસંતોષ’? જે કહેવાય એ; ભાષાની ભાંજગડમાં પડવાનું ય ક્રમે ક્રમે નહીં ગમે. આજે મને ‘રાજયોગીની દાદીજીનું અવસાન’ એમ વાંચવા મળ્યું. અર્થ એ કે કોઈ રાજયોગીની દાદીજીનું અવસાન થયું છે. ખરેખર તો, ‘રાજયોગિની’ દાદીજીનું અવસાન થયું છે. ‘ઇ’ નાની કે ‘ઈ’ મોટી-ની જરૂરી ચિન્તાઓ પણ ધીરે ધીરે નકામી લાગવાની.

જાતે સ્વીકારેલા અલગાવના આ કઠિન દિવસોમાં એ પણ સ્વાભાવિક છે કે આપણે ફિલ્મો જોઈએ, સીરિયલો જોઈએ; બચ્ચન, શાહરુખ, દીપિકા ને કૅટરિના પોતાનાં ઘરમાં શું કરે છે એ જાણવાની મજાઓ લઈએ. પણ થોડા જ દિવસોમાં એ ગતકડાં પણ સામાન્ય લાગવા માંડવાનાં. મેં સાહિત્યકૃતિઓની વાતો કરી, ‘વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ’-ની કે ‘ધ પ્લેગ’-ની, એથી સાન્તવના મળે, પ્રેરણા મળે, બળ મળે. પણ સાહિત્યકલાની એ બધી વાતોથીયે આ સમયમાં એક દિવસ તો એમ જ થવાનું કે સમજ્યા હવે, ઠીક છે, છોડો …

મહામારી નામે, કોરોના હોય કે પ્લેગ, ધીરે ધીરે માણસના મનનો કબજો કરી લે છે. પહેલા તેમ જ બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં જેઓ ઘરે હતા ને યુદ્ધમાં સક્રિય સ્વજનની યાદથી ઝૂરતા’તા એ લોકો પણ છેલ્લે તો મનથી નંખાઈ ગયેલા. એમનાં જીવનમાં સ્વજનોનાં મૃત્યુના સમાચાર મેળવવાથી વિશેષ કશું હતું નહીં. આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે.

જોવા જઈએ તો, આ અલગાવ એક પ્રકારની કૅદ છે. વિલક્ષણ રૂપની અસહ્ય એવી સંકડામણ છે. ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી -સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. સહભાગી હોય તે દૂર વસતું હોય, કે નજીક, પણ એને બોલાવાય નહીં, એને પણ એમ જ રખાય.

આમ તો, કોઈ પણ પ્રકારનો અલગાવ માણસને ક્યાં ગમે છે? હમેશાં દમે છે. કેમ કે, દરેક માણસ સહવાસ કે સાથસંગાથ – કમ્પેનિયનશિપ – ઝંખે છે. મનુષ્યનો એ મૂળેરો સ્વ-ભાવ છે. એના અસ્તિત્વનું એ મોટું રસાયણ છે.

પણ એ અલગાવ આમ કૅદ બની ગયો હોય, એ અસહ્ય સંકડામણ જ્યારે આમ સ્થિર એવી અકળામણ બની ગઈ હોય, ત્યારે માણસો, પહેલાં તો, સુસ્ત થવા માંડે છે, કામો કરવાનો એમનો ઉત્સાહ ઘટતો ચાલે છે, અને પછી એમને નાસીપાસી થાય છે કે – છોડ ને યાર, કશું નથી કરવું ! વ્યક્તિ પોતાને લો – ઢીલા – અનુભવે, વિડ્રો થઈ જાય એટલે કે સંકોચાઈને પોતાની અંદર વળી જાય. ટૂંકમાં, માણસ વધુ ને વધુ બંધ થવા માંડે છે. એટલે એ ચીડાઇ જાય છે, ઝકાઝકી કરે છે, ગુસ્સે થાય છે, તડાફડી કરે છે. અને એમ થવું એકદમનું સ્વાભાવિક છે. કરુણતા એ છે કે એ જાતના અપ-વર્તનની એ વ્યક્તિને ખબર નથી પડતી. આગળ જતાં, કેટલીક વ્યક્તિઓ સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનમાં પણ સપડાઈ જતી હોય છે. અને એમ એમની મુશ્કેલી ગહન થતી જાય છે.

આપણી હાલત હજી એટલી બધી નથી બગડી કે ઘર આપણને કૅદ લાગે, છતાં થોડા દિવસ પછી નહીં લાગે એમ પણ નથી. હા, જલસાવાદી કેટલાક કહેશે – કૅદ શેની? પણ મનોમન તો એમને ય ખબર છે કે એના સંભવની પૂરી શક્યતા છે. હું જાણું છું કે આ વાતો ન-ગમે એવી છે, અસ્વસ્થ કરનારી છે. પણ એ કરવાનો એક જ હેતુ છે કે આવનારા સમય-સંદર્ભમાં આપણે આજે છીએ એથી વધુ ને વધુ સાવધાન રહીએ.

આવું બધું કહ્યું, સાહિત્યકલાને ય ‘ઠીક’ ગણી, છતાં હું તો શબ્દધની જ છું ને સાહિત્ય સિવાય મારી પાસે શૅઅર કરવા જેવું ભાગ્યે જ કંઈ છે. એટલે આ કૅદની વાતે મને કામૂની નવલકથા ‘આઉટસાઇડર’-ના નાયક મ્યરસોની કૅદ યાદ આવે છે. એ દાખલાથી મારે એ દર્શાવવું છે કે કૅદને પણ મ્યરસો કેવાક સંવેદનથી જીવે છે, કેવાક દૃષ્ટિકોણથી જુએ છે. પરિણામે, કૅદ મ્યરસો માટે સહજ અને સહ્ય બલકે કિંચિત્ રસપ્રદ બની જાય છે, કૅદ તો નથી જ રહેતી.

પણ એ દર્શાવવા માટે મારે જરા વધારે વીગતે કહેવું પડે એમ છે. અને કશો ઉભડક ઉલ્લેખ કરીને ચાલી જવું મને ગમતું નથી. એટલે આ પછીના દિવસે વિસ્તારથી …

(March 28, 2020 : Ahmedabad)

Loading

28 March 2020 admin
← અધ્યયન વિના કામ આગળ નહીં વધે
કામૂની નવલકથા ‘આઉટસાઈડર’ : મ્યરસો કૅદમાં →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved