ઝંખું છું સમયથી સમયની સારવાર,
લોહીલુહાણ હાલત થયું મન તારતાર.
રહેવા દે એ મન અહિંસાની વાત ન કર,
શકના ઘેરામાં પડ્યા છે ગાંધીના વિચાર.
હાંસિયામાં મૂક્યા છે જો ઘાવ હવે તો,
એકાદ વિચાર નીકળે ટોળાંની આરપાર.
તૂટી રહ્યા શ્વાસ કોઈ તો સાંધવા આવે,
છોડી દે તું ચિંતા સાગર ઈશ્વરને દરબાર.
સમયનાં વર્તુળમાં રહી થાય કદી ના બેર,
ખુદને હૂંફ આપી કાયમી કરી સારવાર.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


પહેલાં સાવ એવું નહોતું. ગુજરાતી નાટ્ય વ્યવસાય એક જમાનામાં ઘણો વાઈબ્રન્ટ હતો, એટલું જ નહીં, જેને પારિવારિક કહી શકાય, મુદ્દા આધારિત કહી શકાય અને જેને અર્થપૂર્ણ કહી શકાય તેવાં નાટકો બનતાં હતાં અને તેના પરથી હિન્દી ફિલ્મો પણ બનતી હતી. એવી જ એક ફિલ્મ હતી “આરતી.” 1962માં આવેલી આ ફિલ્મમાં તે વખતની સુપરસ્ટાર મીના કુમારી આરતી ગુપ્તાની મુખ્ય ભૂમિકામાં હતી, અને તેની સાથે એટલા જ ખમતીધર અશોક કુમાર અને પ્રદીપ કુમાર હતા.