ન પરણવાના ફાયદા
1. ડબલબેડનો ખર્ચો થતો નથી.
2. રોટલી બળતી નથી ને ડબલરોટીથી ચાલી જાય છે.
3. થિએટરમાં આખી ફિલ્મ જોવાય છે.
4 . સ્વતંત્રતા, સ્વાવલંબન અકબંધ રહે છે.
5. કોઈ કચરાપોતાં કરાવતું નથી.
6. સાળી, સાડી ને માળી ઘરમાં ઘૂસતાં નથી.
7. પૂરો સમય નોકરી થઈ શકે છે.
8. ઉજાગરા ઘટે છે એટલે વહેલાં ઊઠી જવાય છે.
9. વર-દાન, કન્યા-દાન ન રહેતાં ના-દાન રહે છે.
10. જાન નીકળતી નથી એટલે જાન બચે છે.
11. પાર્ટી પ્લોટ, રિસેપ્શન ને બૂફેથી બચાય છે.
12. છૂટાછેડાનો ભય રહેતો નથી.
13. સ્કૂટરની પાછલી સીટ કોઈને પણ માટે ખાલી રહે છે.
14. 'જૂઠ બોલે કૌઆ કાટે' સિલેબસની બહાર રહે છે.
15. કોઈ મોબાઈલ જોઈ લેશે એવો ભય રહેતો નથી.
16.. એડમિશન એ જ મિશન – એવું રહેતું નથી.
17. છેવટે કૈં હોતું નથી કે 'વિલ' કરવું પડે.
18 . કોણ, કોની સાથે કેવી વાત કરે છે એવી ચિંતા રહેતી નથી.
19. બીજી વાર લગ્નની તક રહે છે, કારણ પહેલીવાર કર્યાં નથી.
20. ગમે ત્યાંથી વાસણ આવવાની બીક લાગતી નથી.
21. અડધું અંગ હોતું નથી એટલે લકવો પણ અડધો જ થાય છે.
22. ઘરનું ખાવાથી તબિયત બગડતી નથી.
23. ઘરમાં જ સેફટી અને સેઇફ 'ટી' મળી રહે છે.
0
પરણવાના ફાયદા
1. ડબલબેડ સાસરેથી આવતો હોય છે.
2. ફૂલકાંથી ફૂલીને ફાળકા થઈ જવાય છે.
3. થિયેટરમાં શું જોયું એ યાદ જ આવતું નથી.
4. એકલપેટો જ સ્વતંત્ર, બાકી વિના સહકાર નહીં ઉદ્ધાર !
5. વાસણ ધોવાં કરતાં કચરાપોતાં કરવાં સહેલાં છે.
6. ઘર'વાળી' 'કાઢીએ' તો સાળી પણ અડધું ઘર'વાળી' કાઢે.
7. 'ઘરવાળી જ પૂરા સમયની હોય તો નોકરીનું કામ ખરું?
8. ઉજાગરા થતા હોય તો ઊઠી જવાનો ભય નથી રહેતો.
9. વરદાન, કન્યાદાનનો લાભ મળતાં ખાનદાન વિકસે છે.
10. જાન નીકળે છે તો 'જાન' આવે પણ છે.
11. પાર્ટી પ્લોટ જ બીજા ઘણા પ્લોટનું નિમિત્ત બને છે.
12. છેડા છૂટવાના ભયે છેડા ગાંઠવાના ય નહીં?
13. સ્કૂટરની સીટ પર એક પણ ન બેસે તે કરતાં એક તો બેસે !
14. જૂઠ બોલે કૌઆ હવે કાટતા નથી, ખાટે છે.
15. મોબાઈલ બીજું જોતું નથી, બીજાનું પણ કોઈ જોઈ લેને !
16. એડમિશનનું મિશન ન રહે તો બેડમિશનનું રહેશે.
17. વ્હેર ધેરીઝ એ 'વિલ' ધેરીઝ એ વે.
18. ખોટો રૂપિયો પાછો જ આવે. એની ચિંતા ન કરવી.
19. પહેલાં લગ્ન જ સાહસ છે, બીજાં દુસ્સાહસ !
20. ગમે ત્યાંથી આવે, વાસણ ખખડયાં વગર રહેતું નથી.
000
e.mail : ravindra21111946@gmail.com
(બુધવારની 'સંદેશ'ની કોલમ)
![]()


૨૭મી તારીખે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પાટીદારોના પ્રભુત્વવાળા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી પ્રચારનો શુભારંભ કરતાં, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “પાછલાં 8 વર્ષમાં ભૂલથી પણ એવું કશું થવા દીધું નથી, જેના કારણે તમારે કે દેશના કોઈ નાગરિકને શરમથી માથું ઝુકાવું પડે.” રાજકોટમાં ૪૦ કરોડના ખર્ચે બનેલી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે જનસભાને સંબોધતાં, મોદીએ એક રીતે તેમની સરકારનાં 8 વર્ષ પૂરાં થયાં તેની ઉજવણીનો પણ પ્રારંભ કર્યો હતો.