મરે નહીં ને માંદો થાય, આ સિત્તેરી ડોસો,
ઘરમાં અટવાતો દેખાય, આ સિત્તેરી ડોસો …
કામ કરે ના એકકે, એનાં કામ કરે છે સહુ,
એનું પાણી મૂકતાં, પાણી પાણી થાય છે વહુ,
ખાંસી, હાંસીમાં અટવાય, આ સિત્તેરી ડોસો …
વ્યાજ મળે ઓછું ને એમાં ટીડીએસ કપાતો,
સ્કિમ બધે રોકડની, સિનિયર માટે ખાલી વાતો,
રિટર્ન ભરતાં થાકી જાય, આ સિત્તેરી ડોસો …
લોન મળે ના વીમો, એને કામ ન આપે કોઈ,
હવે ટ્રેનમાં બેસે તો બેસે કન્સેશન ખોઈ,
જાય પછી પણ ના સમજાય, આ સિત્તેરી ડોસો,
મરે નહીં ને માંદો થાય, આ સિત્તેરી ડોસો …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


બીજા વિશ્વયુદ્ધમાં જે રીતે અનેક દેશોમાં સામાજિક તબાહી આવી, તેનો વિષય લઈને અનેક યુરોપિયન અને હોલીવૂડ ફિલ્મો બની હતી. આપણે ત્યાં વિભાજનની ભીષણતા પણ યુદ્ધથી ઓછી ન હતી, પણ આપણી ફિલ્મોએ તેનું જોઈએ તેટલું વિશ્લેષણ કર્યું ન હતું. ગણવા બેસો તો દસેક ફિલ્મો એવી નીકળે, જેણે ગંભીરતાથી વિભાજનની પીડાને પડદા પર બતાવી હોય. દર વર્ષે સ્વતંત્રતા દિવસ પ્રસંગે તમે આ બધી ફિલ્મોને એક યા બીજી રીતે યાદ કરતા રહેતા હશો. આપણે આજે એક એવી જ ફિલ્મની વાત કરીએ.
મૈસુર શ્રીનિવાસન સથ્યૂ એટલે કે એમ.એસ. સથ્યૂ મૈસુર અને બેંગ્લોરમાં સાયન્સ ભણ્યા હતા, પણ શોખથી ફિલ્મોમાં આવી ગયા હતા. ફિલ્મ નિર્માતા-નિર્દેશક ચેતન આનંદના એ સહાયક બન્યા હતા, અને તેમની ભારત-ચીન યુદ્ધ આધારિત 'હકીકત'માં બેસ્ટ આર્ટ ડીરેક્શનનો ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.
સાબરમતીનો ગાંધી આશ્રમ એના પુનર્નિર્માણની દરખાસ્ત / યોજનાને કારણે અત્યારે ચર્ચામાં છે. એમાં વિવિધ દૃષ્ટિકોણ રજૂ થયા છે. મારી વાત એક વધુ દૃષ્ટિકોણ રૂપે રજૂ કરું છું. (કોઈ વિગત અધૂરી કે અલગ હોઈ શકે. સ્મરણ પરથી લખું છું.)