થોડાં વર્ષો પહેલા ઊંઝા જોડેના સમર્થક રામજીભાઈએ ગુજરાતી નામોમાં પ્રવેશેલા અંગ્રેજી અક્ષરો સામે વાંધો ઉઠાવ્યો હતો. એમના આગ્રહમાં તથ્ય હતું. જ્યંતીભાઈ પી. પટેલ, રમેશ બી. શાહ, પોપટલાલ વી. મહેતા વગેરેથી આપણે પરિચિત છીએ. આમાં પિતાના નામનો ફોડ પડતો નથી. તેનો અર્થ પ્રભાશંકર, પ્રવીણભાઈ, પરિમલભાઈ વગેરેમાંથી શું થતો હશે એ સમજાતું નથી, એ જ રીતે બીમાં કયા નામનો નિદેશ રહેલો છે એ સમજાતું નથી. એ બળવંતભાઈ, બળદેવભાઈ કે ભાઈલાલભાઈ, ભોગીલાલ વગેરેમાંથી કોઈ પણ હોઈ શકે.
રામજીભાઈએ એક પત્ર લખીને મને બી દ્વારા શું સમજવાનું છે એવો પ્રશ્ન કર્યો હતો અને આગ્રહ રાખ્યો હતો કે મારે પિતાનું નામ ગુજરાતીમાં જ લખવું જોઈએ. એ વખતે મેં એમને પ્રત્યુત્તર પાઠવ્યો હતો કે મારું નામ મારી ઓળખ છે. મારે કેવી રીતે ઓળખાવું એ હું જ નક્કી કરી શકું. પણ, મને ત્યારથી એક પ્રશ્ન રહ્યા કરતો હતો કે આપણે ગુજરાતીમાં પિતાના નામનો નિર્દેશ અંગ્રેજીમાં કેમ કરીએ છીએ.
સમય જતાં મને એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો. આપણી શિક્ષણ પ્રથામાં ખાસ કરીને, માધ્યમિક શિક્ષણની કક્ષાએ વિદ્યાર્થીઓનાં નામો અંગ્રેજીમાં લખવામાં આવે છે. એને કારણે અંગ્રેજી આદ્યાક્ષરનો ઉપયોગ પિતાના નામનો નિર્દેશ કરવા માટે પ્રચલિત બન્યો છે. પ્રાથમિક શાળાઓમાં નામો ગુજરાતીમાં જ લખતા હોય છે. જો કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નામો અંગ્રેજીમાં જ લખાય છે. માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય એવા લોકો પોતાના નામમાં પિતાનો ઉલ્લેખ અંગ્રેજીમાં કરતા નથી. પણ માધ્યમિક શાળાઓમાં નામો અંગ્રેજીમાં લખાય છે એને કારણે જે લોકો માધ્યમિક શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણ મેળવે છે તેમનાં નામોનું અંગ્રેજીકરણ થઈ જાય છે. મારા નામના આદ્યાક્ષરો આર.બી. શાહ થશે. એ જ રીતે જે.પી. પટેલ થશે. આ પ્રથા પ્રચલિત થવાનું કારણ કદાચ આપણે કક્કાવારીના ક્રમથી ટેવાયેલાં નથી એ છે. અંગ્રેજી કક્કો આપણો પાકો હોય છે. એટલે શાળાઓમાં વિદ્યાર્થીઓનાં નામો અંગ્રેજીના મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં સુગમ થઈ પડે છે. આ કારણે આપણાં નામોના અંગ્રેજીકરણથી આપણે શિક્ષણ દરમિયાન ટેવાઈ જઈએ છીએ અને પછી એ જ રીતે આપણાં નામો લખવાની આદત આપણને પડી જાય છે. આમ ગુજરાતી નામોનું અંગ્રેજીકરણ એ શિક્ષણ પ્રથાએ પાડેલી પરંપરાનું પરિણામ છે. એ પ્રથા બદલવી હોય તો આપણાં નામો શાળાકક્ષાએ ગુજરાતીમાં જ લખવાની પ્રથા પાડવી રહે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 04
![]()


ભારતના હિન્દુ સમાજમાં દહેજનો પ્રશ્ન વ્યાપક રીતે પ્રવર્તે છે. ગુજરાતમાં પણ સાસરિયાં દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપતાં હોય એવા કિસ્સા અવારનવાર અખબારોમાં ચમકે છે. પણ અહીં કેરળની ચર્ચા કરવી છે.
આજના કોરોનાના કપરા આર્થિક કાળમાં સાવર્ત્રિક તંગી વચ્ચે કોઈ સંસ્થાનો અહેવાલ સળંગ આર્ટપેપર પર છપાઈને આવે તો એ અચરજનો વિષય છે. ખેર, એમાં ય એના અધ્યક્ષશ્રીનો થયેલો મહિમા પણ અચરજ ઉપજાવે એવો છે. ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ચાર વર્ષની પોતાની યશસ્વી કામગીરીનો એમાં અહેવાલ આપ્યો છે. એમણે ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવી ત્યાં સુધી તો વાત બરાબર છે, પરંતુ સંસ્થાને સ્વાયત્તતાના મુદ્દા પર પ્રવેશ કરાવી સાથે-સાથે સદંતર અતાર્કિક મુદ્દાઓ ઉછાળ્યા છે જે તથ્ય અને સત્યથી વેગળા છે.