કારણ હોય તો પણ ઉકળતો નથી હું,
અને મીઠી વાતોથી પીગળતો નથી હું.
બિરદાવું છું સહુના પ્રયાસો-પ્રગતિને,
દ્વેષ કે ઈર્ષ્યાથી કદી સળગતો નથી હું.
ઈંધણ ખૂટે તો ગોપાઈ રહું અંધારામાં,
ઉધારનું તેલ લઈને પ્રજ્વલતો નથી હું.
રમૂજી છું હાસ્યના ફુવારા ફેલાવતો રહું,
ગમે ત્યાં ગમે તેની સામે રડતો નથી હું.
ઈશ્વરે આપ્યું છે જે પ્રસાદ જ સમજુ છું,
હાથ લંબાવી કદી ય કરગરતો નથી હું.
સાવ ઝિંદાદિલ અને અલ્લડ છું ‘મૂકેશ’,
મોત ના આવતા પહેલાં મરતો નથી હું.
e.mail : mparikh@usa.com
![]()



Khakhar, 51, is essentially known for her romantic poetry; political issues are not something she had earlier touched. She started her literary journey comparatively very late in life, after getting married, having had children and settled.
આમ થાય છે તે બેવડાં ધોરણોને કારણે. પ્રજા ભ્રષ્ટ છે, તો સરકાર પણ અપ્રમાણિક છે. બધાં જ સચ્ચાઈ દાખવી શકે, પણ કોઈ તેમ કરે એમ નથી, કારણ એમ કરવા જતાં હરામનો પૈસો જતો કરવો પડે ને એને માટે કોઈ તૈયાર નથી. પ્રજા દેખાડો કરે છે તો સરકાર સારું ચિત્ર આપવામાં માને છે. કોરોના આવ્યો માર્ચ, 2020માં. તે જોખમી છે એ વાતની ખબર બધાંને હતી, પણ પ્રમાણમાં કેન્દ્ર સરકાર વહેલી જાગૃત થઈ અને ક્યાં લાગુ કરવા જેવું છે એનો લાંબો વિચાર કર્યા વગર, આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધું. એની આર્થિક વિકાસ પર સીધી અસર પડી. એ પછી બીજી લહેરમાં જ્યાં ઝડપી ને પૂરાં લોકડાઉનની જરૂર હતી, ત્યાં છાશ પણ ફૂંકીને પીવા જેવું થયું. એમાં બીજી લહેર ઘાતક પુરવાર થઈ. લોકો ઓક્સિજનની, વેન્ટિલેટરની, ઈન્જેક્શન્સની કમીને કારણે મર્યાં ને સરકારે ઢાંકપિછોડો જ કર્યા કર્યો.