છંદવિધાનઃ હઝજઃ૨૮ માત્રા
નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.
ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.
નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!
વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.
નજીક રાખ્યા હતાં દિલની, થયાં અળગાં તમે જાતે,
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.
નહિ તો આ રમકડાં સ્ક્રીનનાં ક્યારે હતાં પ્યારાં?
સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.
હતી ઈચ્છા મળીને રૂબરૂ વાતોને વાગોળું.
પરાણે ‘ઝૂમ’ની સાથે જુગલબંધી કરી છે મેં.
e.mail : ddhruva1948@yahoo.com
![]()


દિશા રવિની ધરપકડના સમાચાર આવ્યા ત્યારે એક મિત્રે આ સવાલો પૂછેલા. ભારતભરમાં ઘણાં ઘરોમાં આ સવાલો પુછાયા હશે. પ્રથમ નજરે બૅંગાલુરુની આ યુવાન મહિલાની મનસ્વી ધરપકડ કરી પોલિસ કસ્ટડીમાં લેવી એ તર્ક, વિચારશક્તિ અને સામાન્ય બુદ્ધિની પકડ બહાર લાગતું હતું. કાયદા અને લોકતાંત્રિક સંવિધાન મુજબ ચાલતા કોઈ રાષ્ટ્રએ આવું વર્તન કરવું જોઈએ નહીં. પરંતુ ભારત રાષ્ટ્રએ આમ કર્યું. શા માટે?
સ્થાનિક સ્વરાજ બોડીમાં ચૂંટાયેલા આગેવાનો આજે ધાર્યું કરી શકતા નથી, પણ અંગ્રેજોના શાસન દરમિયાન 1924ના અરસામાં દેશભરમાં સ્થાનિક સ્વરાજની બોડીમાં દેશના આગેવાનોનો પ્રવેશ થયો હતો. જુદા જુદા પ્રાન્તોમાં દેશના આગેવાનોએ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કરીને સ્થાનિક સ્વરાજના કાર્યો હાથ ધર્યા હતા. અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુ, પટણામાં રાજેન્દ્રપ્રસાદ, કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ, મુંબઈમાં વિઠ્ઠલભાઈ પટેલ અને અમદાવાદમાં સરદાર પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આ તમામ આગેવાનોમાં સરદાર પટેલે કરેલાં કાર્યની નોંધ દેશભરમાં લેવાઈ હતી. જો કે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં 1917માં જ દાખલ થઈ ચૂક્યા હતા, પરંતુ તેમના હાથમાં પૂરી બાગડોર પ્રમુખકાળ દરમિયાન 1924માં આવી હતી. તેમણે આ અગિયાર વર્ષમાં કેટલાંક કામ ખૂબ ઝડપથી પૂર્ણ કર્યા અને શહેરની કાયાપાલટ કરી હતી. સરદારના આ કામનો ઉલ્લેખ તેમનાં બૃહદ્દ ચરિત્ર લખનાર રાજમોહન ગાંધી, રામનારાયણ ના. પાઠક અને યશવંત દોશીએ વિસ્તારથી લીધી છે.