લૂંટાયેલી
એક કવિતા
જેની ચીરહરણની ચિચિયારીઓથી
ચકલીઓની ઊડાઊડનો ફફડાટ
અસ્તાચળના આખરી પ્રકાશમાં
ક્યારનો આથમી ચૂક્યો હતો
એની
પિંખાયેલી કડીઓ, ચૂંથાયેલી
દેહલતા મેલી
તૂટેલા મણકા:
વેધાયેલી જિહ્વા
પર
મૂંગી વેદનાનું લોહી ગંઠાઇ ગયું હતું
સીમની પેલે પાર
…
… પાદરે જામેલી મહેફિલમાં
અલંકૃત ગઝલના
ચૂંટાયેલા શેર
વાહવાઇના મદમાં દોહરાતા રહ્યા
કંઠસ્થ થતા ગયા.
…
કાગળ સમેત સળગી ચૂકેલી
એ કવિતાની ભસ્મ
અલોપ થઇ ચૂકી છે
ને કોઇ સભામાં
એની નોંધ પણ લેવાતી નથી
…
બાકી કવિતાઓ હજી ગવાયા કરે છે
ઘવાયા કરે છે …
![]()


From last three decades or so the debate comes up intermittently as to whether Congress and BJP are two sides of the same coin. Many political parties; time and over again; have been taking up this formulation as a justification for Third front, which is away from BJP and Congress both. In previous Bengal elections Congress-Left coalition did come up but could not muster a victory against Trinmool Congress. Currently such a choice is posed by many dalit parties and lately such a formulation is being proffered by AIMIM, Asaduddin Owaisi’s party.
મનુષ્યને માતાપિતા ને ધર્મ જન્મની સાથે જ મળે છે. એમાં સંજોગો અનુસાર પાછળથી માતાપિતા ક્યારેક બદલાય તો પણ, તેમાં સંતાનની પસંદગી કામ લાગતી નથી ને જન્મ આપનાર તો બદલાતાં જ નથી તે હકીકત છે. ધર્મનું એવું નથી. કોઈક તબક્કે કોઈ પુખ્ત વયની વ્યક્તિને લાગે કે જન્મથી મળેલો ધર્મ બદલવો છે તો તે તેમ કરી શકે છે, તો ક્યારેક લાલચ આપીને, ભયથી, છેતરીને પણ ધર્મપરિવર્તન કરાવાય છે. એનો હેતુ તો ધર્મ પ્રચારનો જ હોય છે, પણ એમાં ધર્મ સિવાય ઘણું હોય છે. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિ વર્ષો સુધી ચાલી ને આખી ને આખી જાતિનો ધર્મ બદલવામાં વિધર્મીઓ સફળ રહ્યા. એનું ભાન સંબંધિત સરકારોને થયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.