ગરબડ 'ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે
ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ –
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
પ્રગટ : “નવનીત સમર્પણ”, સપ્ટેમ્બર 2020
![]()


ગાંધીજીનાં ચશ્માં એક જગવિખ્યાત પ્રતીક બની ગયાં છે. માત્ર બે દાંડલીઓ દોરે ત્યાં ગાંધીની પ્રતિમા ઊભી થાય. પરંતુ એ ચશ્માંમાંથી ગાંધી જે જોતા એ આપણે જોઈ શક્યાં છીએ ખરાં?


એક ઘરમાં કોઈ સભ્ય શરીર કે મનથી નબળો હોય તો તે ભૂખ્યો ન રહે, તો દેશનો નબળો વર્ગ ભૂખ્યો શે રહે? માનો કે સ્થાનિક સ્તરે જરૂરિયાત પ્રમાણે બધું જ પેદા ન થાય તો જેટલું થાય તેટલું પેદા કરવું, તો જ સ્થાનિક લોકોની શક્તિઓ વાપરી શકાય. સ્થાનિક કારીગરો અને મજૂરોના પેટ ભરાય અને એ લોકોને સ્થળાંતર કરવા વારો ન આવે. કોરોનાએ આપણને એક બીજાથી શારીરિક અંતર રાખવા મજબૂર કર્યા, તેમ આર્થિક બાબતોમાં પણ સ્વનિર્ભર થવા વિચારતા કર્યા. એ તો તો જ સંભવ બને જો રાજકીય માળખું પણ તેને અનુરૂપ હોય. ગ્રામ સ્વરાજ એ સ્વેચ્છાએ સ્વીકારેલ અંતર રાખવાંનો નમૂનો છે; એવી જ રીતે શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવી એ પણ સોશ્યલ ડિસ્ટન્સનું ઉદાહરણ છે. કદાચ આપણે સોશ્યલ સિસ્ટન્સને બદલે મહત્તમ નિકટતા (optimum nearness) લાવવાની જરૂર હતી. આપણી પાસે બ્રેડ માર્યાદિત છે, બે ભાઈઓમાંથી એક ભાઈ નવ ભાગ લઇ લે તે બીજો એક ભાગ બ્રેડ પર કેવી રીતે નભે? ભાઈચારો કેળવીએ અને વિશ્વનું સમાનકેન્દ્રી વર્તુળ રચીએ.
1916માં અલ્હાબાદમાં યોજાયેલ સંમેલનમાં ગાંધીને આર્થિક વિકાસ નૈતિક વિકાસમાં અડચણ રૂપ છે એ વિષે વક્તવ્ય આપવા નિમંત્રેલા. બુદ્ધિજીવીઓએ ગાંધીના વિચારોનો વિરોધ કરેલો. તે સમયે ગાંધીજીએ ભારતીય પ્રજાને અમેરિકન વિકાસના માર્ગને અનુસરવા માટે ચેતવેલ. પણ આપણે તેમનું કહ્યું ન સાંભળ્યું. કોઈ પણ દેશની સમૃદ્ધિની પારાશીશી તેની પાસે કેટલા લાખોપતિ છે એ નહીં પણ ત્યાં કેટલો ભૂખમરો છે અને ગરીબીની રેખા નીચે કેટલા લોકો જીવે છે એ છે. સ્વતંત્રતા બાદ ભારતે ઘણા કરોડાધિપતિઓ ઊભા કર્યા. અંગ્રેજોથી છુટકારો તો મેળવ્યો, પણ હવે ભારતની મોટા ભાગની પ્રજાને વિભાજીત કરનારા રાજકારણીઓ અને લાલચુ ઉદ્યોગપતિઓથી છુટકારો મેળવવો બાકી છે. ગાંધીજીએ એ માટેનો માર્ગ બતાવેલો. પરંતુ અફસોસ એ વાતનો છે કે રાજ્યબંધારણના ઘડવૈયાઓએ નજર સામે ગાંધીજીના સિદ્ધાંતો ન રાખ્યા. ગ્રામપંચાયત દ્વારા ગ્રામસ્વરાજની વાત તેમાં હતી જ નહીં. એ જાણીને “આ સ્વરાજ મારા સ્વપ્નનું નથી, એ હજુ મેળવવું બાકી છે.” એમ ગાંધીજીએ કહેલું. આપણે તેમના એ ઉદ્ગારો એકદમ વિસરી ગયા. એ વિચારધારાથી વિરુદ્ધ દિશામાં એટલા ઝડપથી ભાગ્યા કે આજે સમગ્ર માનવ જાતિનો વિનાશ નજર સામે દેખાય છે, ઘોર રજનીમાં માર્ગ નથી સૂઝતો.