શું શાંત?
હા, હું શાંત …
પણ તું …
બોલ ને તું …
કેમ તું શાંત?
નથી – ગોડફાધર, ગોડમધર કે ગોડબ્રધર
નથી – રંગબેરંગી પાઘડી, પાલવ કે ફીધર
સાચે જ સઘળું શું શાંત હોય છે?
અહીં પણ શું કાસ્ટિંગ કાઉચ હોય છે?
કાવ્યમહોર પહેલાં મીઠું આઉચ હોય છે!
કવિતામાં ભલી વાર ન હોય
પણ પૂંઠ પર ગ્રાન્ટેડનો થપ્પો જોઈએ ગાંધીનો
‘પ્રસ્તાવ’ ના હોય તો ‘પરિતોષ’ ના હોય આંધીનો
પરિતોષક પંપાળે પારિતોષિક સુધી.
કવિતા દેવી
કવિતા લેવી
કવિતા કહેવી
કવિતા સહેવી
મુદ્દામાં ચર્ચાય
મુદ્રામાં વેચાય
કવિતાનું એવું કદી કળી ખીલે કદી ફૂટે પાન
કોઈને પ લખી
કોઈને પા લખી
કોઈને પિ લખી
કોઈને પી લખી
એમ બારાક્ષર બસ લખી લખીને
ખીલે ને ખીલે બંધાય
શાહીમાં લોહી ગંધાય
એ પછી મનગમતો ઢાળ
એ પછી થનગનતી જંજાળ
કોને કોને કહેવું કે જરા સંભાળ
હાક થૂ … આવું હોવું કેવળ ગાળ
કવિની પેઢી કવિ જ ન હોય હંમેશાં
કવિને સીધી લીટીનો સદા ન હોય વારસદાર
પણ કવિને આકા હોય
કોઈને કાકી કે કાકા હોય
અને એ હોવાનાં ફાંકા હોય
અરે, કોઈ કોઈને તો ગજાં મુજબનાં ઉપવસ્ત્રનાં તાકા હોય
મંચ મુજબનાં, લંચ મુજબનાં, પ્રપંચ મુજબનાં
એક એવું વર્તુળ જેમાં ઘૂસ્યા કે બધું ધૂળ ધૂળ ધૂળ
હા, ધોળામાં ય ધૂળ પડે કે
કદી એટલે ઊંડું મૂળ સડે કે
ઓલ્યું આનંદ બક્ષીએ કહ્યું છે ને …
‘બાહર સે કોઈ અંદર ન જા સકે
અંદર સે કોઈ બાહર ન જા સકે’
કરવત ક્યાં જઈ મેલાવું તો જવાબ : કાશી
અવૉર્ડ કોને અલાવું તો ગુલાબ : માશી
જવાબ ઉત્તર
મૂતર મૂતર
કોઠાકબાડા છૂમંતર
બસ …
એવું જ કંઈ ચાલે છે હે ભ્રમિતા દેવી
સરસ્વતીજીનાં સાધકો અને લક્ષ્મીજીનાં આરાધકો વચ્ચે
કોઈ ચાલી રમે કે કોઈ દોટી રમે
કોઈ લખોટે રમે કે કોઈ લખોટી રમે
પણ રમે રમલમાં
આગવા અમલમાં
મંદાક્રાંતામાં
ધોમધખતા તડકામાં
મંદ મંદ શાતામાં
જેવી જેની હોંશ
જેવી જેની પહોંચ
બસ હોંચી હોંચી હોંચી
વારફરતી પડાવવાનું ઘોંચી
ઉંમરનાં ઊગતા પડાવે
ઉંમરનાં ઢળતા પડાવે
બસ પડાવે
કોઈને કોઈ પડાવે
કોઈને એકાવન અની
કોઈને બાવન બની
કોઈને ત્રેપન કની
મળતી રહે છે બેઠક
કોણ કોની કઠપૂતળી
કોની દોરી કોનાં હાથમાં
કોણ કોનાં સાથમાં
કોણ કોની બાથમાં
સાલ્લા, સવાલો … સવાલો … સવાલો …
કોણ કોનો દવલો ને કોણ કોનો વહાલો …
ખૈર,
શબ્દખાસડાંને થીંગડાં મારીમારીને સાંધી રાખવાના
કોઈને ખુલ્લા ઢાંકવાના તો કોઈને બાંધી ચાખવાના
અને રાહ જોયા કરવાની મૂર્ધન્ય શબ્દગીધની
જે ચૂંથે રાખે કવનશવ અંતિમ વસ્ત્રાહરણ સુધી
હવે
તું શાંત!
હું શાંત!
શું શાંત?
(‘અશ્કાનાં ચપ્પાં’, કટાક્ષકવિતાસંગ્રહ, પ્રકાશ્ય)
https://www.facebook.com/ashokchavdabedil/posts/3345700685454066
![]()


માત્ર મોદી નહીં, નેહરુના દરેક અનુગામી વડા પ્રધાન નેહરુને રેફરન્સ પોઈન્ટ કે ગોલપોસ્ટ તરીકે માનતા આવ્યા છે. બી.જે.પી.ની સરકારના પહેલા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો લોકસભામાં ઓન રેકર્ડ કહ્યું પણ હતું કે ‘યહાં પંડિતજી બૈઠા કરતે થે ઔર વહાં (સામે છેડે વિરોધ પક્ષની બેઠક તરફ ઈશારો કરીને) સે યહાં તક પહુંચનેમેં પચાસ સાલ લગે.’ ફરક એ છે કે બીજા વડા પ્રધાનો નેહરુ જેવા બનવા માગતા હતા જ્યારે, નરેન્દ્ર મોદી નેહરુને મિટાવીને તેમની કલ્પનાના નવા નેહરુ બનવા માગે છે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ નેહરુને રિપ્લેસ કરવા માગે છે. ઇતિહાસ આજે જે રીતે જવાહરલાલ નેહરુને યાદ કરે છે એ રીતે ઇતિહાસ નરેન્દ્ર મોદીને યાદ કરે.
ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ કદાચ ગાંધીના સહુ પ્રથમ આફ્રિકન-અમેરિકન ચાહક હતા. તેઓ અમેરિકાના મોટા બુદ્ધિજીવીઓમાંના એક, નાગરિક અધિકારો માટેના લડવૈયા અને શાંતિ સ્થાપવા સતત કર્મશીલ રહેનાર હતા. ગાંધીજીના જન્મ પહેલાં, 1868માં તેમનો જન્મ. ડુ બોઈએ પાન અમેરિકન ચળવળ કે જે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત હતી તે માટે નેશનલ એસોસિયેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પિપ્લ્સની સ્થાપના કરી. તેઓએ ફિસ્ક અને હાવર્ડ યુનિવસિર્ટી અને બર્નની હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખાના વિરોધનો સામનો કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સહુ પ્રથમ અશ્વેત વિદ્યાર્થી હતા.
હાવર્ડ થરમાનનો જન્મ 1899માં ગુલામીથી મુક્ત થયેલ પરિવારમાં થયો હતો. થરમાન ગરીબીમાં ઉછર્યા. જીવનમાં આગળ જતાં તેઓ એ સમયના એક મહાન થિયોલોજિયન બન્યા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના મુક્તિની થિયોલોજીના વિચારોનો પાયો નાખવા માટે નિમિત્ત બન્યા.
આ સવાલના પ્રત્યુત્તર રૂપે થરમાને 1949માં પોતાની એક મહાન કૃતિ Jesus and the Disinheritedમાં ચર્ચનો ધર્મ અને જીસસના ધર્મને ચિત્રિત કર્યો. એ પુસ્તકમાં તેમણે જેમના પર દમન કરવામાં આવતું હોય તેમને કેવા નર્ક જેવા ભયાનક ત્રાસ જેવા કે ભય, છેતરપિંડી અને ધિક્કારનો અનુભવ કરવો પડતો હોય છે, અને તેમની એક એક અનુભૂતિઓ કેવી આત્મઘાતક હોય છે તે વિષે વાત કરી છે. અંતમાં તેઓ એક વિવરણ આપતાં કહે છે, માનવના અસ્તિત્વના એક ભાગ રૂપે પ્રેમ એક સનાતન અને વૈશ્વિક બળ છે કે જેમાં દમન કરનાર અને દમિતને તેમના આધ્યાત્મિક ચૈતન્યને ઊંચે લઇ જઈને અને નવા પ્રકારની માનવ જાત સર્જીને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે.
માર્ટિન લ્યુથર કિંગ કદાચ ગાંધીજીના વિચારોને સહુથી વધુ નિકટથી સમજનાર અને તેનું યથાર્થ અર્ઘટન કરનાર તથા આફ્રિકન-અમેરિકનના મુક્તિ સંગ્રામના ખૂબ પ્રતિષ્ઠિત નેતા ગણાયા. 1929માં અટલાન્ટા જ્યોર્જિયામાં એમનો જન્મ. કિંગે 1955માં મોન્ટગોમરી બસ બહિષ્કારની આગેવાની લીધેલી, સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપને પણ નેતૃત્વ પૂરું પાડેલું, વોશિંગટન સુધીની કૂચ પણ તેમણે સંયોજી, વિયેતનામ લડાઈનો વિરોધ કર્યો અને ન્યાય અને શાંતિ સ્થાપવા હેતુ નિર્ધન પ્રજા માટેના અધિકારની ઝુંબેશ પણ ઉઠાવી. પોતાના વક્તવ્ય ‘મારી અહિંસાની યાત્રા’માં ડૉ. કિંગ પોતે પશ્ચિમના વિચારકો પ્લેટો, એરિસ્ટોટલ, રુસો, હોબ્સ અને Rauschenbausch વગેરેના વિચારો જાણ્યા બાદ તેઓ કરી રીતે ગાંધીની અહિંસક વિચારધારા અને તેના અમલ વિષે કઈ રીતે પરિચયમાં આવ્યા તેનું વર્ણન કરતા કહે છે,