હતો એક ઝાડના જેવો, હવે એ ડગમગેલો છે
ન પૂછો, કેમ છો ‘દીપક’ ?! એ બિસ્તરમાં પડેલો છે
વસંતોનો એ રસિયો, રંગ-ખુશ્બૂનો હતો ભેરુ
હસી મોસમ તો હસ્યો, હંમેશાં મઘમઘેલો છે
પછી શું કામ ના ફરકે એ સોનેરી ધજા એની
ઘણાંયે ઘન વનો વીંધી એ પર્વત પર ચડેલો છે
કહીં લેટી ગયો ‘તો એ કોઈની ઝુલ્ફછાયામાં
કોઈને શોધવા માટે હવે એ નીકળેલો છે
હવે એ કોઈનો રોક્યો ન રોકાઈ શકે ‘દીપક’
કોઈનો દર્દભીનો સાદ, એણે સાંભળેલો છે

![]()


એની વચ્ચે ૧૯૫૭ અને ૧૯૬૨માં કૉન્ગ્રેસનો ભવ્ય વિજય થયો અથવા વિરોધ પક્ષોનો કારમો પરાજય થયો એ પછી તો વિરોધ પક્ષોની, ખાસ કરીને સમાજવાદીઓની હતાશાની કોઈ સીમા રહી નહોતી. સમવિચારી જ શા માટે? વિષમવિચારી પક્ષો વચ્ચે પણ કેમ ચૂંટણીજોડાણ ન થાય? ડૉ. રામ મનોહર લોહિયાએ આ થિયરી રાખી હતી જેને ગેર-કૉન્ગ્રેસવાદ તરીકે ઓળખાવવામાં આવતો હતો. વિષમવિચારી પક્ષો વચ્ચે જોડાણ કરવું હોય અને તેમાં પણ ફાસિસ્ટ વિચારધારામાં માનતા ભારતીય જનસંઘને સાથે લેવો હોય તો દેખીતી રીતે કૉન્ગ્રેસનું સત્તામાં હોવું એ ફાસિવાદના હોવા કરતાં વધારે ખતરનાક છે, એમ બતાવવું પડે. ડૉક્ટરસાહેબે એ જવાબદારી ઉઠાવી લીધી હતી. સિદ્ધાંતવિહોણા સમાધાનકારી રાજકારણ અને ખાસ પ્રકારની વિચારધારા આધારિત રાજકારણમાં જમીન-આસમાનનો ફેર છે, એ ત્યારે કૉન્ગ્રેસ સામેના પ્રચંડ રોષના કારણે ધ્યાનમાં આવ્યું નહોતું. આ લખનારને પણ ધ્યાનમાં આવ્યું નહોતું એની આજ કબૂલાત કરવી જોઈએ.