હિમાલયે વિહરતા પેલા અશ્વત્થામાની જેમ
લોકવાયકા પ્રમાણે
હનુમાનજીનીયે જેમ –
રાજા દશરથના મહેલની મંથરા દાસી
હજી આજે ય જીવે છે … મંથરા …
હા, એ નથી વનમાં –
નથી હિમાલયમાં –
નથી કોઈ-કોઈ કોતર-કંદરાઓમાં
કે નથી રહસ્યમય ગુફાઓમાં –
એ તો છડેચોક
હાજરાહજૂર છે આ મહાનગરોમાં –
ઘરોને ખંડેર કરતી,
ભવ્ય મહાલયોને ઉજાડતી,
ગામડાંઓની ગલીઓમાં રઝળતી,
આખું જગત માથે લીધું છે તેણે!
શું ? નથી દેખાતી તમને મંથરા?
અરે … અરે … તમારામાંથી આરપાર દોડી ગઈ
ને તમને દેખાઈ પણ નહીં !
આર્ષદૃષ્ટા કવિ ઉમાશંકરે એની વાણીનો
ફુસફૂસાટ સાંભળેલો ને નોંધેલી એ વાત :
‘કાલે જો સૂર્ય કાળોમેશ ન ઊગે તો કહેજો મને !’
– અને જુઓ …
એ મંથરાએ શી દશા કરી.
સીધું સરળ … સપાટ ચાલતું’તું જીવન
એને કરી દીધું ખરબચડું … ગાંઠોવાળું … બરછટ
હા, એ જ ફરે છે રાજકારણના રણમાં
બહુરૂપી થઈ.
સમયની પળેપળને કરે છે તરબતર થઈ …
એની આધુનિક હિંમત તો જુઓ …
મૂંગાં પ્રાણીઓને મારવા સુધી
વિના વાંકે પેલો સુલતાન ગયો …
વિના વાંકે ગાય વઢાઈ!
બસ, આ જ છે –
આ રાજકારણના રણમાં
હણાય નિર્દોષો
વધારાય પશુ-પંખી-ગરીબડાં
માણસ નામથી ગંધાય છે દેવસ્થાનો
હે ઈશ્વર!
જો તું હોય, તો
હવે મંથરા નામનું હથિયાર
જે ફરે છે
તેને લઈ દબાવી દે
– જો તારામાં હિંમત હોય તો …
– તો બધું સમુંસૂતરું થાય
જીવવાનો
હવે તો એ જ માત્ર ઉપાય !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 05
![]()



મુદ્દો ‘ભારતનો ભૂતકાળ કેવો ભવ્યો હતો’ એનું ગીત ગાવાનો નથી. મુદ્દો એ છે કે જો ભારતીય સંસ્કૃિત અને પરંપરા આ નથી તો કેવી રીતે સેક્સની શરમ, પાબંદી, દકિયાનૂસી, પાપી અને અપરાધી માનસિકતા આપણી સંસ્કૃિત અને પરંપરા બની ગઇ? 2005માં દક્ષિણની અભિનેત્રી ખુશ્બૂ સામે 24 કોર્ટ કેસ થયેલા જે સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા. કેમ? કારણ કે ખુશ્બૂએ એઇડ્સ સામે જાગૃતિ કેળવવાના આશયથી સુરક્ષિત સેક્સની વાત કરેલી.
લેસ્ટર નગર સ્થિત જાણીતાં ગુજરાતી વાર્તાકાર/નવલકથાકાર નયના પટેલને બોલવા માટે પ્રથમ પહેલાં મંચ પર આવવા આમંત્ર્યાં હતાં. નયનાબહેને સૌ પ્રથમ યજમાન સંસ્થાને બિરદાવતાં જણાવ્યું: "1976માં શરૂ થયેલી ગુજરાતી સાહિત્ય અકાદમી, સાહિત્યની અસ્મિતાને ટકાવી રાખી, ચાળીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે, તો સૌથી પહેલાં એ સંસ્થાને અભિનંદન. એ જ અરસામાં ઝામ્બિયા દેશના મુફલીરાથી આવેલા ને લેસ્ટરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઉદ્દ્બોષક રહેલા તેમ જ ‘શ્રુતિ આર્ટ્સ'ના સ્વપ્નદૃષ્ટા ચંદુભાઈ મટાણીના આંગણે આવીને, અકાદમી ચંદુભાઈને સન્માને એવું ગૌરવ બીજું કયું હોઈ શકે?


રેખાબહેને મંચ પર પધારતં પહેલાં જણાવ્યું કે, "મને માફ કરજો. હું અંગ્રેજીમાં બોલીશ. મારે ચંદુકાકાનો પરિચય આપવાનો છે. ચંદુકાકા મારા બાપુજીના ખાસ મિત્ર હતા. ઝાંબિયામાં તેઓએ ખૂબ નિકટતા કેળવી હતી. ચંદુકાકા સાથે મારા પિતાશ્રીનો પરિચય 1953ની સાલમાં થયો હતો. અને ત્યાર પછી બન્ને વૈપારિક સંબંધથી જોડાયા હતા. એ ઉપરાંત બન્ને મિત્રો સાહિત્ય, સંગીત, ધાર્મિક અને સામાજિક સમાન રસપ્રવૃત્તિઓએ બન્નેને વધુ નજીક લાવી મૂક્યા હતા. ઝાંબિયા મૂકી, અહીં આવ્યા પછી પણ એમની મૈત્રી ચાલુ રહી હતી. કલાકો સુધી એકબીજા ફોન પર વાતો કરતા. મારા બાપુજી કાકાને સપોર્ટ કરતા. મેગેઝિનમાં કોઈ સારું લખાણ આવ્યું હોય તો તેનું કટિંગ મારા બાપુજીને ચંદુકાકા મોકલી આપતા અને બાપુજી એ વાંચીને કાકાને ફોન જોડતા અને પોતાનો અભિપ્રાય જણાવતા.
"આ વકતવ્ય મારા મોટાભાઈ હેમન્ત, અને મારી બહેન દીના વતી રજૂ કરું છું. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મારા પિતાશ્રીને સન્માનિત કરવા માટે ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પ્રસંગ ખાસ યોજ્યો છે, જે માટે હું અકાદમીની આભારી છું. મારા પિતાજી ભારતથી આવીને થોડો સમય મલાવીમાં રહ્યા હતા અને ત્યાંથી ન્ડોલા અને ન્ડોલાથી શિફ્ટ થઈ મુફલીરા આવી વસ્યા હતા. એ પછી અમારો ત્રણ ભાઈબહેનનો ઝાંબિયામાં જન્મ થયેલો. ઝાંબિયામાં સ્થાયી થવામાં, ધંધાની શરૂઆત કરવામાં અને તેને વિકસાવવામાં મારાં મમ્મી-પપ્પાએ તનતોડ મહેનત કરેલી. પપ્પાનો સ્વભાવ મૂળે સેવાભાવી, એટલે ધંધો સંભાળવાની સાથે સાથે મુફલીરામાં લોક્સેવાનાં કામો પણ કરે, લોકોને મદદ કરવા દોડી જાય, એમનાં દુ:ખમાં ભાગીદારી કરે; આવાં કામથી એમને સંતોષ મળતો. એ સાથે પોતાના ગાવાના શોખને પણ પોષતા રહે, નવરાત્રીના દિવસોમાં ગરબા પણ ગવડાવે. સમાજસેવાનાં આવાં કામ એમને બહુ ગમતાં.
યોગેશ જોશી પોતાનો વાણીપ્રવાહ વહેતો મૂકતાં બોલ્યા : "1983માં શ્રુતિ આર્ટ્સ વિશેની એક સોચ, એક વિચાર, એક અભિગમ ચંદુભાઈએ એમના સાથી મિત્રો ડૉ. હીરાણી, ડૉ. વ્યાસ, પ્રતાપભાઈ જેવા સામે મૂક્યો અને સાથે મળીને પોતાની સંગીતની સૂઝ, પોતાનો સાહિત્યનો શોખ, જેને સંગીત ગળથૂથીમાં મળ્યું હતું એવા એક સક્ષમ ગાયક તરીકે ચંદુભાઈએ પોતાના શોખને આગળ વધાર્યો, જેમાં "શ્રુતિ આર્ટ્સ'' એક માધ્યમ બન્યું અને એક સારી સંસ્થાને એમણે જન્મ આપ્યો. શ્રુતિ એટલે બે સ્વર વચ્ચેની જગ્યા. જીવનમાં જ્યાં જરૂરિયાત પૂરી થાય છે અને આવશ્યક્તાની કદાચ ઇચ્છા પણ ના હોય ત્યારે એ બે વચ્ચેની જગ્યા એટલે સાહિત્ય, સંગીત વચ્ચેની જગ્યા. આવા સરસ નામે સંસ્થાની શરૂઆત કરી હતી.
ગૌતમભાઈએ ગુલાબદાસ બ્રોકરની એક કાવ્યપંકતિ ટાંકીને કહ્યું કે, "અમે 70ની સાલમાં આ દેશમાં આવ્યાં. ત્યાર પછી સાત આઠ વર્ષ પછી એક કચ્છી ભાટિયા સજ્જ્ન આફ્રિકાથી લેસ્ટર નિવાસ કરવા સારુ આવે છે. આજે તેની યશગાથા ગાવાનું મન થાય છે." એ પછી ગુજરાતી સાહિત્ય અકાદમીના વર્તમાન પ્રમુખ વિપુલ કલ્યાણીને સંબોધી એમણે વકતવ્ય આગળ ચલાવતાં જણાવ્યું: "વિપુલભાઈ, તમે વર્ષો પહેલાં આ નગરીને "નર્મદ નગર'' તરીકે ઓળખાવી હતી. આજે એ નગરીમાં એક સ્વરસાધક્નું બહુમાન થાય છે ત્યારે રમેશ ગુપ્તાની એક ખૂબજ સુંદર કવિતાની પંક્તિ હોઠે ચડી આવે છે:


