નથી કશું ય અદકેરું સૌન્દર્ય આ વસુંધરા પાસે એથી વધુ
ખરે જ હશે માંહ્યલો લાગણીશૂન્ય, જે ચાલ્યો જાય છે
મનોહારી આ દૃશ્યને વિણ જોયે,
નગર આ ભાસે જાણે કોઈ વસ્ત્રપ્રાવરણ સમું.
પ્રાતઃકાળનું માધુર્ય: પ્રશાંતરમણીય અને સ્ફુટ,
આ નૌકાઓ, મિનારા, ગુંબજો, વિલાસભવનો ને દેવમંદિરો
પામ્યા છે સુદૂર પ્રસ્તાર પેલ્લાં હરિયાળા મેદાનો અને ક્ષિતિજે ઝળુંબતા અવકાશ સુધી
રેલાતી આ નિર્ધૂમ લહેરખીઓમાં છે સઘળું ય ઝળાંઝળાં.
ન કદીયે અવતર્યો હશે સૂર્ય આટલો કુમાશથી
ઉપત્યકા, શિલા કે ટીલા પરે તેજનાં અંબારે
ને કદીયે ના નિહાળી, અરે ! અનુભવી ના કદીયે આવી નિતાંત નીરવતા.
વહે છે સરિતા તેની મનોનીત મધુર-શી ચાલે
ઓ પ્રભુ ! આ નિંદ્રાધીન ભાસતી પ્યારી-શી ઈમારતો
ને નગરનાં પુરુષાર્થી હૃદયો છે હજુ મહીં પોઢેલાં !
— વિલિયમ વર્ડઝવર્થ
મૂળ અંગ્રેજી સોનેટ :

Earth hath not anything to show
more fair:
Dull would he be of soul who could pass by
A sight so touching in its majesty:
This City now doth, like a garment, wear
The beauty of the morning; silent, bare,
Ships, towers, domes, theatres and temples lie
Open unto the fields, and to the sky;
All bright and glittering in the smokeless air.
Never did sun more beautifully steep
In his first splendor, valley, rock, or hill;
Ne'er saw I, never felt, a calm so deep!
The river glideth at his own sweet will:
Dear God! The very houses seem asleep;
And all that mighty heart is lying still!
William Wordsworth: Poems in Two Volumes: Sonnet 14
http://ishanbhavsar.blogspot.in/2013/05/blog-post_13.html
![]()


Turning 60 in March, the crusader for peace and amity typically spent his birthday at yet another seminar on ethnic conflict in the entire South Asian region in New Delhi. Reflecting on 38 years of struggle against bigotry and unreason, Engineer travelled down memory lane with Communalism Combat, from the time when the Awaaz–e–Biradaran (Voice of Brotherhood) was born after the first, post–partition communal riot at Jabalpur in 1961 to the threat of communalism in South Asia in 1999, at the turn of this century.
આ કામ કિશોર દેસાઈ છેલ્લાં પચ્ચીસ વર્ષથી કરતા રહ્યા છે. અહીંનાં સામયિકોના સંપાદકોને પણ સતત એક સરખી ઊંચી ગુણવત્તાવાળાં લખાણો મેળવવામાં મુશ્કેલી પડે છે, અને તેમણે બાંધછોડ કરવી પડે છે. તો અમેરિકામાં રહીને આવું સામયિક પ્રગટ કરવાનું તો વધારે મુશ્કેલ હોય. પણ એવી મુશ્કેલીઓ વટાવીને જ્યારે ગુર્જરી ડાયજેસ્ટે પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેના બધા અંકોમાંથી ચૂંટેલાં લખાણો પુસ્તકરૂપે પ્રગટ થયાં છે. ‘આનંદયાત્રા’ નામના આ પુસ્તકનાં ૫૯૩ પાનાંમાં આ સામયિકમાંથી સારવેલું નવનીત મળી રહે છે. સામયિકનું સંપાદન ભલે એક હાથે થતું હોય, પણ પુસ્તક અંગે એક સારી વાત એ થઈ છે કે કિશોરભાઈએ સંપાદનના કાર્યમાં બીજાઓનો સાથ પણ લીધો છે. વાર્તા વિભાગમાં રજની પી. શાહ અને હરનિશ જાનીનો, કવિતા વિભાગમાં નવીન શાહ અને પન્ના નાયકનો, નિબંધ વિભાગમાં અશોક વિદ્વાંસ, નિયતિ પંડ્યા, નીતા દવે, અને જયંત મહેતાનો સાથ-સહકાર લીધો છે. અલબત્ત, છેવટની પસંદગીમાં પોતાનો અવાજ રાખ્યો છે. પહેલા વિભાગમાં ૩૬ વાર્તાઓ છે. કવિતા વિભાગમાં સૌથી વધુ કૃતિઓ છે – બાવન ગીત-ગઝલ, સાત છંદોબદ્ધ કાવ્યો, ૩૨ અછાંદસ કાવ્યો, અને નવ હાઈકુ/મુક્તક. નિબંધ વિભાગમાં ૩૧ લખાણો છે, જેમાંના કેટલાક નિબંધો છે તો કેટલાક લેખો છે. આ ઉપરાંત ‘અભ્યાસીલેખો’ એવા મથાળા નીચે છપાયેલા આઠ લેખોમાં ઉમાશંકર જોશી, ધવલ મહેતા, નિરંજન ભગત, અને રઘુવીર ચૌધરી જેવા વિદેશવાસી નહીં તેવા લેખકોના લેખો પણ સમાવ્યા છે. છેલ્લા ‘પ્રતિભાવ વિભાગ’ માટેની પસંદગી કિશોર દેસાઈ ઉપરાંત મનુ નાયક અને શૈલેશ દેસાઈએ કરી છે. તેમાં પણ વિદેશવાસી નહીં એવા પંદરેક લેખકોનાં લખાણો જોવા મળે છે.