Opinion Magazine
Number of visits: 9556547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદ દેશમાં આઝાદ મનુષ્ય જોઈએ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 August 2025

હેમન્તકુમાર શાહ

આજના સ્વતંત્રતા દિન નિમિત્તે દેશની સ્વતંત્રતાની ઉજવણી કરાય છે. પણ સ્વતંત્ર દેશ શા માટે જોઈતો હતો? વિચાર્યું છે ખરું કદી? 

દેશ સ્વતંત્ર એટલા માટે જોઈતો હતો કે એમાં મનુષ્યો આઝાદ હોય. મહાત્મા ગાંધીએ ૧૯૦૯માં લખેલા પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં એ સાવ સ્પષ્ટ કરેલું. તેમણે કહેલું કે, “મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.” શું આવું સ્વરાજ લાવવા તરફ આપણે આગળ વધીએ છીએ કે પછી દેશી-વિદેશી મહાકાય કંપનીઓની મિલીભગત સાથે ચાલતી સરકારોની ગુલામી તરફ આગળ વધી રહ્યા છીએ? 

યાદ કરો જરા. એક ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી અને આપણે ગુલામ બની ગયા હતા. આજે ૫,૪૦૦થી વધુ વિદેશી કંપનીઓનાં ભારતમાં કારખાનાં ચાલે છે અને ઓફિસો ધમધમે છે. દેશના શેરબજારમાં ૧૧,૨૦૦થી વધુ વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે. શું આપણે ભ્રમમાં તો નથી ને કે આપણે આઝાદ છીએ? કેટલીક ગુલામી નરી આંખે દેખાતી હોતી નથી.

ભારતના બંધારણના આમુખમાં એક ઉદ્દેશ તરીકે મનુષ્યની આઝાદી સ્પષ્ટ કરવામાં આવી છે. એ આઝાદી છે વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, માન્યતા અને ઉપાસનાની સ્વતંત્રતા. 

સવાલ એ આપણી જાતને પૂછવો જોઈએ કે આમુખમાં લખવામાં આવેલી સ્વતંત્રતા આજે કેટલી છે? એમાં જે ધોવાણ થયું છે તે કેટલું છે, એ કોણે કર્યું છે અને એ શા માટે એણે કર્યું છે? શું આપણે નાગરિકની એ સ્વતંત્રતા માટે લડવું છે ખરું? 

આઝાદ દેશમાં ગુલામ નાગરિકો હોય છે જ. ચીન અને રશિયા એનાં આજે સૌથી મોટાં ઉદાહરણો છે. ભારત આઝાદ જ છે, એ હવે જે રીતે અંગ્રેજોએ ગુલામ બનાવ્યો હતો તે રીતે કદી ગુલામ બનવાનો નથી. ઇતિહાસનું એવું પુનરાવર્તન નહીં થાય. એટલે દેશની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે જ નહિ. ચિંતા તો એની કરવાની જરૂર છે કે આઝાદીનું આંદોલન કેમ ચાલ્યું હતું? એ આઝાદી આપણે શા માટે મેળવેલી? એ તો દરેક માણસની આઝાદી માટે ચાલેલું. 

મોટે ભાગે એની ચિંતા થતી જ નથી. તિરંગા યાત્રા આઝાદીનું પ્રતીક છે કે પછી સરકારો આદેશ આપે અને સ્કૂલો અને કોલેજો તિરંગા યાત્રાઓ કાઢે એ ચૂંટાયેલી સરકારો દ્વારા લાદવામાં આવતી ગુલામીનું પ્રતીક છે? જરા, વિચારજો. 

આવી અનેક નાની નાની ગુલામી આ દેશના નાગરિકોના દિમાગમાં ઘૂસી રહી છે. સરકારની નીતિ કે કાર્યક્રમની કે નેતાના વર્તનની ટીકા કરનારાને અર્બન નક્સલ કે દેશદ્રોહી કહેવામાં આવે એ પણ ગુલામીની માનસિકતા દૃઢ કરવા માટેનો માર્ગ છે. રાજકીય સત્તાનો ઇરાદો હંમેશાં મનુષ્યોને ગુલામ બનાવવાનો હોય છે. એવી ગુલામીમાંથી બહાર નીકળવા માટે મથીએ તો જ તિરંગો લહેરાવવાનો, તિરંગાને સલામી મારવાનો અને રાષ્ટ્રગાન કરવાનો કશો અર્થ છે. બાકી તો આ બધું સત્યનારાયણની કથા જેવી એક વિધિ બની રહે છે, એથી વિશેષ કશું જ નહીં. 

માત્ર રાજકીય આઝાદી પૂરતી નથી. એકેએક મનુષ્ય ધાર્મિક, સામાજિક અને આર્થિક રીતે પણ આઝાદ હોય એ ભારતની સ્વતંત્રતાનો હેતુ હતો એ યાદ રાખીએ અને એને માટે લડીએ. ગુલામીમાં જ આનંદ અને સુખ ભોગવતાં થઈ જઈએ એ પહેલાં જાગીએ. 

સ્વતંત્રતા દિન, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 August 2025 Vipool Kalyani
← વિશ્વાસ
અમેરિકન ભારતીયો કોને વફાદાર?  →

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved