Opinion Magazine
Number of visits: 9484940
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનુભાઈ મહેતા સ્મરણ ….

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|1 September 2023

મિત્રો, આજે થોડી હળવી પણ એક પણ ખોટો શબ્દ આગળ પાછળ કર્યા વિના, વિનુભાઈ મહેતાના હોઠે થયેલ વાત, કાને સાંભળેલું તે, તમારી સમક્ષ વિનુ સ્મરણ સાથે લખી રહ્યો છું.

વિનુભાઈને લોક સાહિત્યના કવિ કાગનું, એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરી, સન્માન કરવાની ઈચ્છા થઈ અને તેમણે આ કાર્યક્રમ ‘ચારણ ચોથો વેદના નામે કર્યો. આ કાર્યક્રમમાં, રાસબિહારી ગઢવી, રામભાઈ ગઢવી, હસુ દાન, હરસુખ દાન, જીતુદાન, મનુભાઈ અને નવોદિત ચેતન ગઢવી હાજર, સાથે ભીખુદાન ગઢવીનું સંચાલન. આ બધા દેવી પુત્રોમાં, વિનુભાઈને કવિમાં જેમ રમેશ પારેખ વ્હાલો, તેવી રીતે ગઢવીમાં ‘ભીખુ દાન’ પર અપાર પ્રેમ. ચારણ ચોથો વેદ કાર્યક્રમમાં કાગબાપુના દીકરા રામભાઈ ગઢવીનો આઈટમ રજૂ કરવાનો વારો આવ્યો. અને રામભાઈએ, લોકસાહિત્યના પાટા પરથી ઊતરી જૈન સ્તવન “નમો અરિહંતાણં …” રજૂ કર્યુ. એટલે કાર્યક્રમના બે ત્રણ દિવસ બાદ મેં વિનુભાઈને આ બાબતમાં પૂછ્યું તો મને એ કહે કે મફતકાકા પ્રથમ લાઈનમાં બિરાજમાન હતા એટલે કાકાને વ્હાલો થવા આ ભત્રીજાએ, લોકસાહિત્યની પ્રણાલિકા મૂકીને સ્તવન રજૂ કર્યું. રામભાઈને એમ કે કાકા એકબે કાર્યક્ર્મ અપાવશે કે કરશે. પણ આ ભાવનગરી ગઢવીને શું ખબર હોય કે આ કાકો હીરાનો વેપારી છે, તે પારખી લે કે આ પથ્થરો છે કે રતન … 

વિનુભાઈએ, બે વાર રમેશ પારેખને પાંચ લાખ રૂપિયાની થેલી અર્પણ કરીને સન્માન કર્યું. બીજી વાર સન્માન કરેલ તે કપોળ સમાજ દ્વારા. પ્રથમ વાર રમેશના સન્માન વખતે વિનુભાઈ અને અનિલ જોશી વચ્ચે મન દુઃખ થઈ ગયેલું. એ વખતે હું તો અમેરિકામાં, પણ વિનુભાઈએ મને પત્ર લખેલ તેમા એક વાક્ય લખ્યું હતું કે, હું ફલાણી તારીખે રમેશ પર્વ દ્વારા રમેશ પારેખનું સન્માન કરું છું અને આગળ લખ્યું હતું કે તને આ વાંચીને દુઃખ થશે કે રમેશના પરમ મિત્ર અનિલ જોશીએ રમેશના હવન કુંડમાં હાડકાં નાખવાનું કામ કર્યું છે.

મિત્રો, અહીંયા એક વાત સાચી કરું છું. આજે વિનુભાઈ નથી અને આપણા સાહિત્યકારો કેવું બે પ્રકારનું જીવન જીવતા હોય છે તેનો આ એક દાખલો આપુ છું. ’વિનુભાઈના, કફન ભાગીદાર દોસ્ત, ગુંણવંત શાહ થોડા વખત બાદ અમેરિકામાં આવ્યા હતા. તે વખતે રોચેસ્ટર મારા ઘરે ગુણવંતભાઈ જમવા આવેલા. ત્યારે મેં વિનુભાઈ અને અનિલ જોશી પ્રકરણ વિશે ગુણવંતભાઈને પૂછ્યું તો મને કહે આ વિશે તો અનિલે મુંબઈના છાપામાં ખૂબ લખ્યું. પછી મને કહે તને એક વાત કહું પણ તારે વિનુભાઈ અને કોઈને નહિ કહેવાની, તો જ હું તને કહું. મેં આ વાત આજ લગી વચન પ્રમાણે મનમાં સાચવી રાખી હતી. ગુંણવંતભાઈ મને કહે શંભુ, અનિલ જોશી ખરેખર સાચો છે … પણ જો આ વાત ગુણવંતભાઈ એ મિત્ર નાતે વિનુભાઈને કરી હોત તો આ તમાશો જાહેરમાં ન થયો હોત … એવું મારું માનવું હતું.

વિનુભાઈને ગુણવંતભાઈ પ્રત્યે અપાર પ્રેમ, અને ગુણવંતભાઈ પણ આ બાબતમાં પાછળ ક્યારે ય ન પડે. વિનુભાઈને મનમાં એક ઈચ્છા કે ગુણવંતભાઈને આ વાતની ક્યાંથી ગંધ પણ ન આવે તેમ તેના ઘરે બે પાંચ મિત્રો સાથે જઈ ગુણવંતભાઈને એક લાખ રૂપિયાની થેલી સાથે સન્માન કરવું. પણ વિનુભાઈને એક બાબતની ચિંતા હતી કે ગુણવંતભાઈને આ વાતની ખબર પડશે તો ગુણવંતભાઈ ચોખી ના પાડશે. આ વાત કરવા મને વિનુભાઈનો ફોન મુંબઈથી આવ્યો. મને કહે કે તું શું કરે છે? મેં કહ્યું કે મુંબઈથી જવાહર બક્ષી આવ્યો છે. અમે બેઠા છીએ. મને વિનુભાઈ કહે દીકરા, મારે તને એક વાત કરવી છે, પણ હવે માંડી વાળું છું. મેં પૂછ્યું તો કહે તારા ઘરે અત્યારે BBC આકાશવાણી આવીને બેઠું છે. તું ફોન મૂકે પહેલા મુંબઈ News વહેતા થઈ જશે … 

રમેશ પારેખ અમેરિકા આવ્યા ત્યારે તેમના મનમાં થોડો કોઈ પ્રકારનો તણાવ રહેતો. તેમને પ્લેનમાંથી ઉતરતાની સાથે મારા ઘરે જીદ પકડી કે મારે સવારે પાછું અમરેલી જતું રહેવું છે. વિનુભાઈને ચિંતા થાય કે આવું જ આઠ અઠવાડિયા રહ્યું તો કરશું શું? મને કહે કે દીકરા, આ ઘોડા દશેરાને દિવસે નહીં દોડે તો તે કયે દહાડે દોડશે? પછી કહે કે આ વિનોદને ખાસ સાથે લાવવાનું કારણ પણ આ કે જો રમેશ અવાક થઈને બેસી જાય તો વિનોદ પાસે તેનાં ગીત/કાવ્ય રજૂ કરાવવા …

એક સાંજે અમે ચાર અને ડો. અશોક શાહ મારી ઓસરીમાં બેઠા હતા. અને રમેશે તેનો કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર” ગિરનારી બાપુ અમરદાસ ખારાવાલાને કેમ અર્પણ કર્યો, તે વાત રમેશભાઈએ વિગતવાર કરી. એટલે વિનુભાઈ અમરશી બાપુની એક વાત કરી. કોઈએ પૂછ્યું કે બાપુ, તમે રામકથા કરો અને સીતા વિદાયમાં તમારી આંખો ઝરે કે નહિ. બાપુ કહે તે તો મને ખબર નથી પણ સાંજે આરતી માંડવામાં ફરીને પાછી ખાલી થાળી આવે ત્યારે મારી આંખો ચોધાર આંસુએ ઝરે …

એકવાર અમારા ઓશો ભક્ત વિઠ્ઠલ સ્વામી હું અને વિનુ બાપા, બપોરે પૂજા રેસ્ટોરન્ટમાં નિરાંતે બેઠા હતા. આ વિઠ્ઠલ સ્વામી તમને ઘણી વાર વિનુભાઈ સાથે જોવા મળી જાય. મને કહે કે થોડા દિવસથી આ વિઠલો, મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે કે મને તમે એક સરસ વ્યાખ્યાન બ્રહ્મચર્ય પર ગમે તે રીતે ગોઠવી આપો. દીકરા, તું આને સમજાવ. મેં તેને કહ્યું કે વિઠ્ઠલ, તું બ્રહ્મર્ચયની પતર ખાંડમાં. તું એમ કર એક વ્યાખ્યાન હસ્તમૈથુન પર ગોઠવી દે .. 

ઘણી વાતો વિનુભાઈની હૈયે છે, પણ એક તો આળસ અને બીજું સૈફ પાલનપુરી એક શેર જેવી છે.

વિરહની રાતે હસતા આ સિતારાને બુઝાવી નાંખુ પણ 

એક રાત નિભાવી છે આકાશને ને દુશ્મન કોણ કરે ?

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

1 September 2023 Vipool Kalyani
← नये संविधान की मांग आखिर क्यों?
હસી ફરી … →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved