Opinion Magazine
Number of visits: 9449065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદુષી સન્નારી સુધા રમેશ વશી

અજય પાઠક|Opinion - Opinion|2 May 2018

સુધાબહેન વશીનું અમેરિકા ખાતે ૭૬ વર્ષની ઉંમરે અવસાન થયું. બે-એક વર્ષ પહેલાં ભાવનગરમાં અહિચ્છડા સંસ્કાર કેન્દ્રમાં એક શોકાંજલિ-પ્રાર્થના સભામાં સુધાબહેનને મળવાનું બનેલું. તેમનાં મોટાં બહેન ઉષાબહેન રામનારાયણ પાઠકે મને તેમનો પરિચય કરાવ્યો. તે પહેલાં સુધાબહેનના અનુવાદનું એક સુંદર પુસ્તક વાંચવાનો લાભ ઉષાબહેનના કારણે પ્રાપ્ત થયો હતો. તેથી સુધાબહેનના વ્યક્તિત્વનો પરોક્ષ પરિચય થયો હતો.

પાઠક કુટુંબનાં આ બંને બહેનોનાં બીજાં બે ભાંડુ તે (સ્વ.) ભારતીબહેન અને ડૉ. સતીશ પાઠક. પિતા રામનારાયણ નાગરદાસ પાઠક અને માતા નર્મદાબહેન. પિતા નૂતન બાલશિક્ષણ દક્ષિણામૂર્તિના ઉત્તમ શિક્ષક, સાહિત્યકાર અને ખેતીકાર્યમાં પ્રવૃત્ત, માતા ખેતી ક્ષેત્રે નિષ્ણાત. પતિ-પત્ની બંને ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાની હતાં. ગાંધીચીંધ્યા રાહે ગામડામાં જઈને બેઠાં હતાં. ચારેય સંતાનોએ પિતા તથા માતાનો સાહિત્ય અને ખેતીનો વારસો સાચવ્યો અને વિકસાવ્યો. વાળુકડ (ભાવનગર) ખાતેની તેમની ‘શબરી વાડી’ આજે ય ડૉ. સતીશ તથા ઉષાબહેન સંભાળે છે. ડૉ. સતીષ ખેતીનાં વિષયમાં અભ્યાસી તેમ જ અનુભવથી નિષ્ણાત છે. ઈ.સ. ૧૯૩૧માં રામનારાયણ ના. પાઠકે ‘પચાસ વર્ષ પછી’ નામની નવલકથા લખી હતી તેનાથી તેઓ પ્રસિદ્ધ થયા હતા. ‘બાલ શિક્ષણ પ્રણેતા ગિજુભાઈ’ પુસ્તક નૂતન બાલશિક્ષણમાં રસ લેનાર દરેકે વાંચવું જોઈએ. તેમણે ગાંધીજી અને સરદાર પટેલના જીવનચરિત્ર સહિત બીજું પણ ઘણું સાહિત્ય લખ્યું છે.

સુધા વશીએ આઈઝેક ડિનેસનના ખૂબ જાણીતા પુસ્તક ‘આઉટ ઑફ આફ્રિકા’નો અનુવાદ ‘અલવિદા આફ્રિકા’ નામે કર્યો છે. મીડિયા પબ્લિકેશન (જૂનાગઢ) દ્વારા પ્રસિદ્ધ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ માર્ચ-૨૦૧૬માં થઈ. આપણા અનુવાદ સાહિત્યમાં આ એક મૂલ્યવાન ઉમેરો ગણાશે.

સુધા વશી સ્વભાવે વૉરેશસ રીડર – અઠંગ વાચક – રહ્યાં હોઈને તેમના સિત્તેરમાં જન્મદિને તેમના નાના દીકરાએ ‘આઉટ ઑફ આફ્રિકા’ ભેટ આપ્યું અને કહ્યું ‘મૉમ, વાંચો, તમને ગમશે.’ આ પુસ્તકમાંથી પસાર થયા પછીની એક તકે ભાવનગરમાં જયંત મેઘાણી સાથે પોતાનો આનંદ વહેંચતાં જયંતભાઈએ ‘આઉટ ઑફ આફ્રિકા’નો અનુવાદ કરવાનું સુધાબહેનને સૂચવ્યું. સુધાબહેને ‘આઉટ ઑફ આફ્રિકા’ તથા ‘શેડોઝ ઑન ધ ગ્રાસ’ – આઈઝેક ડીનેસનનાં પુસ્તકોના અનુવાદ કર્યા. બંને અનુવાદો એક જ પુસ્તક ‘અલવિદા આફ્રિકા’ તથા ‘ઘાસ પરના પડછાયા’માં પ્રસિદ્ધ કર્યા. પુસ્તક સ્વતંત્ર અવલોકનનું અધિકારી છે. હાલ આટલો ઉલ્લેખ.

આઈઝક ડીનેસન તખલ્લુસ છે. લેખિકાનું નામ છે કેરન બ્લિક્સન. તેમનો જન્મ ડેન્માર્કમાં ૧૭ એપ્રિલ, ૧૮૮૫માં થયો હતો. ૭મી સપ્ટેમ્બર ૧૯૬૨ના રોજ ૭૭ વર્ષની ઉંમરે શાંતિપૂર્વક પોતાના નિવાસસ્થાને અવસાન પામ્યા હતાં. લેખિકા અત્યંત પ્રતિષ્ઠિત હતાં. તેમનું જીવન અને કાર્ય પ્રેરણાદાયી છે.

સુધા વશી જેવાં સંવેદનશીલ નારીને આ પુસ્તકોમાં રસ પડે તેવું જ રૂચિતંત્ર બાળપણથી રહ્યું. તેઓ બાળપણથી જ ખૂબ તરવરાટવાળાં, જેને તોફાની પણ કહી શકાય તેવાં હતાં. બા-બાપુજીનો સંસ્કારવારસો તો ખરો જ પણ ઘેર આવેલ કાઠી દરબાર મહેમાનની ઘોડી પલાણીને મોટી લટાર મારી આવે તેવાં હતાં. મોટાં થયા પછી વિદુષી નારી તરીકે દેશ-વિદેશમાં સભાઓ, પરિસંવાદોમાં વ્યાખ્યાનો આપી શ્રોતાસમૂહને મંત્રમુગ્ધ કરે તેવું વ્યક્તિત્વ નીખર્યું હતું. શ્રોફ પરિવારના એક્સલ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનને લગતા વિષયો પર અધિકારીની રુઈએ તેમને બોલવાનું પ્રાપ્ત થતું હતું. આ સંદર્ભમાં તેમને અનેક દેશોની મુલાકાતો લેવાનું બન્યું. ઇઝરાયેલમાં રહ્યાં તે દરમિયાન ત્યાંના નેતા યુસુફ બારાત્સને તેઓ રૂબરૂ મળેલાં; કિબુત્સમાં રહેવાનો અનુભવ પણ લીધેલો. યુસુફ બારાત્સનું પુસ્તક ‘અ વિલેજ બાઈ ધ જોર્ડન’નો ‘દગાનિયા’ શીર્ષકથી સુધાબહેને ૧૯૬૫માં અનુવાદ કર્યો હતો. ગમતા પુસ્તકનો અનુવાદ કરવો તે તેમનો શોખ હતો. અમેરિકાના વસવાટ દરમિયાન આબાલવૃદ્ધ સૌને રસ પડે તેવું ગાંધીજીનું જીવનચરિત્ર અંગ્રેજી ભાષામાં આપવાની ઇચ્છા થઈ. પોતાના પિતા રામનારાયણ ના. પાઠકના સરળ શૈલીમાં લખાયેલા પુસ્તક ‘ગાંધીકથા’નો તેમણે ઈ.સ. ૨૦૧૨માં અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.

જીવનમાં અંતિમ વર્ષોમાં સુધાબહેને રંગ અને પીંછી સાથે સંબંધ સ્થાપ્યો. કેટલાંક સુંદર ચિત્રો આપ્યાં. (ઉષાબહેન પાઠક પણ સાહિત્યવિદ્‌ અને ચિત્રકાર છે.) સુધાબહેનનાં લગ્ન રમેશ વશી સાથે ૧૯૬૭માં થયાં હતાં તેમનાં બે પુત્રો મેહુલ અને મિહિર સૌનો વસવાટ અમેરિકા.

સુધાબહેન જેવાં વિદુષી સન્નારી, પ્રતિભાવંત મહિલાને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવું છું.

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 13 અને 07

Loading

2 May 2018 admin
← મારો જીવડો ધીમે-ધીમે બળે છે!
થરૂરનું શબ્દ ભંડોળઃ લાલોચેઝિયા, વેબકૂફ અને રોડોમોન્ટેડ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved