Opinion Magazine
Number of visits: 9448745
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્રોહનાં લેખિકા બાનુ મુશ્તાકને આંતરરાષ્ટ્રીય બુકર્સ પારિતોષ

નેહા શાહ|Opinion - Opinion|31 May 2025

નેહા શાહ

બાનુ મુશ્તાક અને એમની વાર્તાના અનુવાદક દીપા ભાસતીને ૨૦૨૫નું આંતરરાષ્ટ્રીય બુકર્સ પ્રાઈઝ મળ્યું. ભારત માટે આ ગૌરવની ઘડી છે. આ સાથે પહેલીવાર ટૂંકી વાર્તાના સંગ્રહને બુકર્સ ઇનામ મળ્યું અને પહેલીવાર ભારતની પ્રાંતીય ભાષામાં (કન્નડ) લખાયેલા સાહિત્યને આ સન્માન મળ્યું. ૭૭ વર્ષનાં બાનુ બુકર્સ જીતનારાં સૌથી વયસ્ક લેખિકા છે.

બાનુ જ્યારે આઠ વર્ષના હતાં ત્યારે તેમના પિતાજી તેમને મિશનરી સ્કૂલમાં દાખલ કરાવવા લઇ ગયા. ઘરમાં ઉર્દૂનો પ્રયોગ થતો હોઈ, તેઓ સરખું કન્નડ બોલી શકતાં ન હતાં. સ્કૂલ પ્રશાસને શરૂઆતમાં તો પ્રવેશ આપવાની ના પાડી, પણ ખૂબ આજીજી કર્યા પછી તેમને એ શરતે પ્રવેશ મળ્યો કે છ મહિનામાં એમણે કન્નડ લખતા અને વાંચતા શીખી જવું પડશે, નહીંતર તેમનો પ્રવેશ રદ્દ થશે. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે બાનુએ થોડા દિવસમાં જ કન્નડ વાંચતા લખતા શીખી લીધું. બાળપણમાં શિક્ષણનાં બીજ તેમના પિતાએ રોપ્યા અને તેમની લખવાની વૃત્તિને પ્રોત્સાહન આપ્યું. લગ્ન પછી પતિએ પૂરો સાથ નિભાવ્યો. અને આજે તેઓ એ મુકામ પર છે જ્યાં કન્નડ સાહિત્યના તેમના યોગદાન માટે વિશ્વ કક્ષાએ તેમની નોંધ લેવાઈ છે!

બાનુ મુશ્તાક

બાનુ મુશ્તાકના ઘડતરની શરૂઆત થઇ હતી ૧૯૭૦ અને ૧૦૮૦ના દાયકાથી જ્યારે કન્નડ સાહિત્યમાં ‘બન્દાયા’ એટલે કે વિરોધનું સાહિત્યની ચળવળ શરૂ થઇ. બાનુ એની સાથે જોડાયાં. આશરે બે દાયકા જેટલી ચાલેલી આ ચળવળ ખૂબ રસપ્રદ છે. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં કન્નડ સાહિત્ય પર ઉચ્ચ જ્ઞાતિ અને પુરુષોના વર્ચસ્વને પડકારી વૈકલ્પિક સાહિત્યની રચના શરૂ થઇ. સામાજિક પ્રશ્નો સાથે નિસ્બત ધરાવતા સાહિત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું. અન્યાયની સામે અવાજ ઉઠાવવા કવિતાનો એક સાધન બનાવ્યું. તેમનું મુખ્ય સૂત્ર હતું કે જો તમે લેખક છો તો તમે એક યોદ્ધા છો. આ ચળવળમાં સર્જાયેલું સાહિત્ય રાજ્ય અને સમાજના શક્તિશાળી વર્ગો પર સવાલ ઉઠાવતું રહ્યું અને જન-સામાન્યમાં લોકશાહીની આકાંક્ષા જગાવતું રહ્યું. ઘણાં મહિલા, દલિત તેમ જ લઘુમતી સમુદાયના લેખકો માટે આ થકી નવી દિશા ખૂલી. આ ચળવળ કર્ણાટકી સમાજમાં ઘણા સામાજિક સુધારા માટે નિમિત્ત બની હોવાનું કહેવાય છે.

બાનુ મુશ્તાકે આ જ સમય દરમ્યાન લખવાનું શરૂ કર્યું. બન્દાયા વર્તુળોમાં તેઓ ઘણાં સક્રિય હતાં, જ્યાં તેમની લેખન શૈલી ઘડાઈ. આ સાથે તેઓ રાજ્ય રૈથા સંઘ, દલિત સંઘર્ષ સમિતિ, પ્રગતિશીલ નાટ્ય પ્રવૃત્તિ અને ફેમીનીસ્ટ મુવમેન્ટ સાથે પણ સંકળાયેલા રહ્યાં અને ધર્મ, જ્ઞાતિ, વર્ગ કે લિંગના આધારે વિભાજીત કરતા પરિબળોનો વિરોધ કરતાં રહ્યાં. પહેલા પત્રકાર અને પછી વકીલ તરીકેના વ્યવસાયને કારણે લોકોનાં પ્રશ્નો અને પીડા તેમણે પ્રત્યક્ષ જોયાં. બન્દાયાની સક્રિયતા અને વ્યાવસાયિક અનુભવોને કારણે પ્રશ્નોની સમજમાં ઉંડાણ ઉમેરાયું. તેમની વાર્તાઓના કેન્દ્રમાં વંચિત સમાજની બહેનોની રોજીંદા જીવનના સંઘર્ષ છે, જે કર્ણાટકના મુસ્લિમ પરિવારો, તેમની ધાર્મિકતા, પિતૃસત્તાક વ્યવસ્થા, એમાંથી જન્મતા લીન્ગ ભેદ અને હિંસાના વિષય પર વણાયેલી છે. સામાન્ય મહિલાઓની સામાન્ય જિંદગીને સંવેદના સાથે આલેખવી એ એમની વાર્તાઓની ખાસ વાત ગણાય છે. બુકર્સ પારિતોષ જીતનાર પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ અગિયાર ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. આ વાર્તાઓ ૧૯૯૦થી ૨૦૨૩ દરમ્યાન લખાઈ છે, જે એમના છ વાર્તા સંગ્રહમાંથી પસંદ કરાઈ છે. વિવેચકોનું કહેવું છે કે આ વાર્તા માત્ર ભારતના જ નહિ પણ દુનિયાના દરેક ખૂણામાં પ્રવર્તતી પિતૃસત્તાક સંદર્ભે પણ એટલી જ પ્રસ્તુત છે. બુકર્સ જજની પેનલે ટિપ્પણી પ્રમાણે બોલચાલની જીવંત ભાષામાં લખાયેલાં એમના લખાણમાં વ્યંગ, ભાવુકતા અને તીવ્રતાનું અનોખું સંયોજન છે.

બાનુ કહેતાં હોય છે કે વ્યંગનો પ્રયોગ એ વિચારપૂર્વક પસંદ કરેલી શૈલી છે કારણ કે એ રીતે પિતૃસત્તા, ધર્મ અને રાજકારણથી ઊભા થતાં સત્તાના ઢાંચાને પડકારી શકે છે, જો ગંભીર શબ્દોમાં આ જ વાત કરવી હોય તો એના પ્રત્યાઘાત માટે તૈયાર રહેવું પડે. વર્ષ ૨૦૦૦માં તેઓ ફતવાનો સામનો કરી ચુક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ માટે મસ્જીદમાં પ્રવેશ કરવાનો ઇસ્લામમાં નિષેધ નથી. આ પિતૃસત્તાક પ્રથા ગેરકાનૂની છે. તેમના આવા વિધાનથી ધર્મગુરુઓ નારાજ થયા અને તેમની પર સામાજિક પ્રતિબંધ મુકવામાં આવ્યા. એ કાળ એમને માટે કપરો હતો. પણ બાનુ અને અન્ય પ્રગતિશીલ લોકોએ ઉઠાવેલા પરિણામો આજે ઘણી મહિલાઓને મસ્જીદ પ્રવેશની મંજૂરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાર્તા પરિવર્તનનું સાધન બની શકે છે. વાર્તા થકી લોકોને તેમના અધિકાર અંગે જાણ થાય, એ પ્રત્યે સભાનતા ઊભી થાય, લોકો ચુપ્પી તોડીને બોલવાનું શરૂ કરે અને હક માટે સંઘર્ષનો રસ્તો અપનાવી શકે. આ ધીમું પરિવર્તન વાર્તા કે કોઈ પણ કળા દ્વારા આવી શકે છે.

એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે કહ્યું કે આ મારું વ્યક્તિગત સન્માન નથી, પણ એ બધા વંચિતોના અવાજનું સન્માન છે જે મારી વાર્તા થકી બોલે છે. એમણે એવોર્ડ પોતાના મુલ્ક – ભારતને તેમ જ દેશમાં શાંતિ અને અમન સ્થપાય એ ઉદ્દેશ્યને સમર્પિત કર્યો છે. ધરાતલના લોકોના સંઘર્ષની પ્રગતિશીલ કલમે લખાયેલું સાહિત્ય બુકર્સ સુધી પહોંચ્યું એ વાત એ ઘણી મોટી વાત છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

31 May 2025 Vipool Kalyani
← ગાઢ મૌનમાં પોઢેલા અગ્નિનો પ્રકાશ : ‘થિંકિંગ ઑફ હીમ’
કાશ્મીર : ખરા ખલનાયક હિંદુ રાજા હરિસિંહ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved