Opinion Magazine
Number of visits: 9446914
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિચારવલોણું’ખ્યાત સુરેશ પરીખની વિદાય

રજની દવે|Opinion - Opinion|12 August 2020

જુલાઇ 28, 2020નો મંગળવાર પ્રો. સુરેશ પરીખની વિદાયના અમંગળ સમાચાર લઈને આવ્યો. છેલ્લાં થોડાં વર્ષોમાં બીમારીને કારણે તેમના ઊભા થવાની આશા નહીંવત્ હતી. સુરેશભાઈ તેમના સ્નેહી મિત્ર ડૉ. અશોક ગોહિલને કહેતા, ‘ઈશ્વર આવે ને કહે ચાલો, તો સાથે ચાલી નીકળીએ, એવી આપણી તૈયારી હોવી જોઈએ.’

છેક ૧૯૭૭માં તેમણે વિચારવલોણું ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેના મુખ્ય ઉદ્દેશોમાં બૃહદ સિદ્ધાંતો ઉપરાંત પુસ્તકો-પુસ્તિકાઓ-સામયિકોનું પ્રકાશન મુખ્ય હતું. આ ઉપરાંત, અભ્યાસવર્તુળો અને શિબિરોનું આયોજન પણ ખરું. તેમનું બીજું સર્જન હતું : ’ક્રેસ્ટ એસોસિએટ્સ’ – ઉત્સાહી, સંવેદનશીલ, પ્રતિભાવાન વ્યક્તિઓનું સંગઠન. આ સંગઠન વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ગ્રામ વિકાસના કામમાં વાપરે તેવો પણ ઉદ્દેશ હતો. સુરેશભાઈનું ત્રીજું સર્જન એટલે ‘માનવવિકાસ કેન્દ્ર’. છેલ્લે તેમણે વર્ષ 2010માં ‘વિચારવલોણું પરિવાર ટ્રસ્ટ’ની અમદાવાદ ખાતે નોંધણી કરાવી. ઉપરાંત, તેમની કર્મભૂમિ વલ્લભ વિદ્યાનગરમાં પુસ્તકપ્રેમી પરિવાર પણ સ્થાપ્યો હતો.

પોતાનો પરિચય આપતાં એક વાર તેમણે કહ્યું હતું, “વર્ષો સુધી લોકો વાંચતા-વિચારતા થાય તેમ જ વાંચીને જીવન ગોઠવવાનો પ્રયત્ન કરતા હોય તેને મદદગાર થવું, તેવું કામ કરતો આવ્યો છું.” તે આજીવન સુરેશભાઈનો જીવનમંત્ર રહ્યો. ‘વિચારવલોણુ’નાં પ્રકાશનોની શરૂઆત વર્ષ 1985માં પુસ્તિકા ‘પામવું કે હોવું’(લેખકઃ ભુવનેશ ઓઝા)થી થઈ. અત્યાર સુધીમાં તે ઉપક્રમે આશરે 170 પુસ્તિકાઓ પ્રગટ થઈ હશે. "માણસ ગોઠવો તો દુનિયા ગોઠવાઈ જાય” તે પણ તેમનો કાર્યમંત્ર રહ્યો. વ્યક્તિપરિવર્તન અને વ્યવસ્થાપરિવર્તનમાંથી વ્યક્તિપરિવર્તન પર તેમની પસંદગી છેક સુધી રહી અને તે રીતે પ્રકાશનોની પસંદગી થતી રહી.

યુવાવસ્થામાં સુરેશભાઈ વિમલાબહેન ઠકારના સંપર્કમાં આવેલા. ઉપરાંત, ગાંધીવિચારના સંસ્કાર પરિવારમાંથી મળ્યા હતા. ક્યારેક તેમની વાણીમાં ગાંધી પ્રગટે, કયારેક ઓશો આવી જાય અને ક્યારેક જે. કૃષ્ણમૂર્તિ. આ બધા વચ્ચેની ભીતરી સમાનતા છે કે નહીં તે નક્કી કરવાનું સાંભળનારા પણ છોડી દે. જે વખતે જેવો માર્મિક ઘા કરવાનો હોય તેવો કરે. "હું કયાં કંઈ કામ કરવા આવ્યો છું.” તેમ વારંવાર કહેનાર કરનાર સુરેશભાઈ વણબોલ્યે એમ પણ જણાવતા લાગે કે “હું ક્યાં તમારા મનનું સમાધાન કરવા આવ્યો છું?” તે વારંવાર સ્કૂલના ઘંટનું ઉદાહરણ આપીને કહેતા, “ઘંટ વાગે અને સૌ આઘાપાછા થાય, ઘંટ ત્યાંનો ત્યાં જ રહે.”.

રાજપીપળામાં સન 1933માં જન્મેલા સુરેશભાઈ સુરત-મુંબઈ ભણીને એન્જિનિયર બન્યા અને વલ્લભ વિદ્યાનગરમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી. થોડો સમય મુંબઈમાં સરકારી નોકરી કરી, લોકભારતી (સણોસરા)માં ગ્રામટૅક્નોલોજીનું શિક્ષણ આપ્યું. વિનોબાની ભૂદાન-યાત્રામાં થોડા વખત માટે સક્રિય રહ્યા. સુરત તેમ જ વલ્લભ વિદ્યાનગરમાં એન્જિનિયરિંગના અધ્યાપક તરીકે ૩૩ વર્ષ સુધી કામ કર્યા પછી, ૧૯૯૧માં તે નિવૃત્તિવય કરતાં ત્રણ વર્ષ વહેલા નિવૃત્ત થયા. હૈદરાબાદનાં સુશીલાબહેન સાથે ૧૯૭૦માં તેમનાં લગ્ન થયાં. ૨૦૦૯માં સુશીલાબહેનના અવસાન પછી પણ સુરેશભાઈએ ખંતપૂર્વક તેમનું વિચારવલોણું ચાલતું રાખીને ગુજરાતના વૈચારિક જીવનને સમૃદ્ધ કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 16

Loading

12 August 2020 admin
← “ઈતિહાસની ઘટનાઓનો બદલો લેવાની વૃત્તિ સભ્ય સમાજ માટે સારી નથી”
ઉત્તમ કવિ અને ઉમદા ડોક્ટર દિલીપ મોદીની દુખદ વિદાય →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved