Opinion Magazine
Number of visits: 9487756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીર કોણ હતા ? … મદનલાલ ઢીંગરા કે સાવરકર

રમેશ ઓઝા|Opinion - Opinion|2 December 2021

મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. I want to be hanged, for then the vengeance of my countrymen will be all the more keen. મદનલાલનું આ નિવેદન ફરી વાંચો. એમાં તેમણે બે મહત્ત્વની વાત કરી છે. એક, હું માફી નથી માગતો કે નથી ઇચ્છતો. હું તો દેહાંતદંડની સજા માગું છું. બે, હું (મારા/અમારા/ભારતીયો) ઉપરની તમારી સત્તાને સ્વીકારતો જ નથી. તમને (અંગ્રેજોને) અમારા ઉપર સત્તા ચલાવવાનો કોઈ અધિકાર જ નથી.

મદનલાલ ઢીંગરાએ ભારતીયોની ગેરહાજરીમાં અદાલતમાં આ જે નિવેદન કર્યું હતું અથવા સાવરકર કહે છે એમ પોલીસે ઢીંગરાના ખિસ્સામાં રહેલું એ લેખિત નિવેદન જપ્ત કરી લીધું હતું તો પછી એ આખેઆખું નિવેદન અક્ષરસ: અખબારો સુધી પહોંચ્યું કેવી રીતે? એ સાવરકરે પહોંચાડ્યું હતું, કારણ કે તે સાવરકરે પોતે તે લખ્યું હતું અને તેની એક કોપી તો તેમની પાસે હતી જ. સાવરકર શૌર્યપરક અતિશયોક્તિના રાજા હતા. સાવરકર લખે છે કે ઢીંગરાનાં એ નિવેદનને લઈને ઇંગ્લેન્ડમાં છાકો પડી ગયો હતો. અખબારોમાં ચીસો પાડતી હેડલાઈન હતી અને આખા ઇંગ્લેન્ડમાં ચોર ને ચૌટે ઢીંગરાનાં નિવેદનની જ વાતો થતી હતી. એ નિવેદને અંગ્રેજોના મસ્તિષ્ક ઉપર કબજો જમાવ્યો હતો. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે એ નિવેદનની ભરપૂર પ્રશસ્તિ કરી છે અને વારંવાર ઢીંગરાનું વાક્ય ટાંક્યું છે : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ કથનથી બિલકુલ સામેના છેડાનું કથન તેમણે પોતે કરવું પડશે. માફી પણ માગવી પડશે અને અંગ્રેજોની સત્તાનો સ્વીકાર પણ કરવો પડશે.

જ્યારે ઇંગ્લેંડમાં આ ઘટનાઓ બની રહી હતી અને સાવરકર ‘લંડનચી બાતમીપત્રે’માં તેનો ચિતાર આપતા હતા, ત્યારે એમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે ઢીંગરા તેમનો શિષ્ય હતો, સાવરકર માટે તેમના મનમાં ભક્તિભાવ હતો, ઢીંગરાએ ખૂન કરવાની આજ્ઞા માગી હતી અને સાવરકરે આજ્ઞા આપીને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં, પિસ્તોલ આપતી વખતે ‘ખૂન કરવામાં જો નિષ્ફળ નીવડે તો મોઢું નહીં બતાવતો’, એવી ચીમકી પણ આપી હતી, વગેરે. આ તો જાણે સ્વાભાવિક છે. કોઈ મૂર્ખ હોય એ જ એ સમયે આવું લખે અને સાવરકર મૂર્ખ નહોતા. સાવરકરે આવો દાવો અંગ્રેજોએ તેમને શરતી માફી આપી અને છૂટા થયા એ પછી પણ નહોતો કર્યો. સાવરકરે આવો દાવો દેશને આઝાદી મળી ત્યાં સુધી ક્યારે ય નહોતો કર્યો એ પણ જાણે સમજી શકાય એમ છે. સાવરકરે આનો ઉલ્લેખ તેમની આત્મકથામાં પણ નથી કર્યો. આઝાદી પહેલાનાં કોઈ લખાણમાં સાવરકરે વાઈલીના ખૂનનો શ્રેય લીધો નથી.

તો પછી આ વાત આવી ક્યાંથી? ધનંજય કીર નામના સાવરકરભક્તે ૧૯૫૦માં સાવરકરનું જીવનચરિત્ર લખ્યું હતું, જેનું શીર્ષક હતું; ‘સાવરકર એન્ડ હીઝ ટાઈમ’. નહીં, આ વાત એ સમયે, આઝાદી પછી લખાયેલા એ જીવનચરિત્રમાં પણ કહેવાઈ નથી. એનું કારણ એ હતું કે સાવરકર ગાંધીજીના ખૂનમાં એક આરોપી હતા. ગાંધીજીના હત્યારાઓને ઉશ્કેરવાનો અને મદદ કરવાનો તેમના ઉપર આરોપ હતો. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૯માં ગાંધી ખૂન કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. જરાકમાં બચી ગયા હતા અને કેટલાક લોકો આજે પણ કહે છે કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે અદાલતમાં બીજા આરોપીઓથી અલગ બેસવાની માગણી કરી હતી અને એ માગણી માન્ય રાખવામાં આવી હતી. અદાલતમાં તેઓ બીજા આરોપીઓ સાથે આંખ પણ મેળવતા નહોતા. આ સ્થિતિમાં ૧૯૫૦માં પ્રકાશિત થયેલી પહેલી આવૃત્તિમાં ઢીંગરા પર સાવરકરનો પ્રભાવ હતો અને વાઈલીના ખૂનમાં સાવરકરે ઢીંગરાને પાછળ રહીને મદદ કરી હતી એમ જો તેના ચરિત્રકાર લખે તો સાવરકર મુશ્કેલીમાં આવી શકે એમ હતા. આમ પણ સાવરકરની ઈમેજ પાછળ રહીને હત્યાઓ કરાવનારની હતી. સરકાર કે બીજું કોઈ ધનંજય કીરના જીવનચરિત્રમાં કહેવામાં આવેલી વાતનો ઉપયોગ કરીને અપીલમાં જાય તો? માટે આઝાદી પછી પણ સાવરકર અને તેમના ચરિત્રલેખક કહેતા નથી કે તેઓ ઢીંગરાના માર્ગદર્શક અને મદદકર્તા હતા.

ધનંજય કીરે સાવરકરના ચરિત્રની બીજી આવૃત્તિ સાવરકરના અવસાન પછી પ્રકાશિત કરી હતી જેમાં આ વાત કહેવામાં આવી છે. હવે સાવરકર હયાત નહોતા એટલે કોઈ વાતનો ભય નહોતો. તેમણે પ્રસ્તાવનામાં દાવો કર્યો છે કે તેમણે સાવરકરની દીર્ઘ મુલાકાત લીધી હતી અને નવાં પ્રમાણો ઉપલબ્ધ થયાં હતાં. જીવનચરિત્ર લેખકે ચરિત્ર નાયકની મુલાકાત પહેલી આવૃત્તિ વખતે પણ લીધી હતી. પણ ત્યારે સાવરકર કાં બોલ્યા નહોતા અથવા ચરિત્રલેખકે મુશ્કેલીના વખતે તેનો ઉલ્લેખ નહીં કરીને મદદ કરી હતી. ધનંજય કીર સાવરકરના જીવનચરિત્રની બીજી આવૃત્તિમાં કહે છે કે વાઈલીના ખૂનનો સંપૂર્ણ શ્રેય સાવરકરને જાય છે. તેમણે ઢીંગરાને નિકલ પ્લેટેડ રિવોલ્વર આપી હતી અને કહ્યું હતું કે, ‘જો આ વખતે નિષ્ફળ નીવડે તો તારું મોઢું મને બતાવતો નહી.’ ‘આ વખતે’ શબ્દપ્રયોગ પણ સૂચક છે. ઢીંગરા સાવરકરના કબજામાં હતો અને તેમના દ્વારા સંચાલિત યંત્રની માફક વર્તતો હતો. તે એમ માનવા લાગ્યો હતો કે તે ભારતની આઝાદી ખાતર પોતાનું બલિદાન આપી રહ્યો છે. ઢીંગરા સામેના ખટલા વખતે સાવરકર તેમનો જોસ્સો જાળવી રાખવા કહેતા હતા કે તે શહીદ તરીકે અમર નીવડવાનો છે અને સદીઓ સુધી ઇતિહાસ તેને યાદ કરવાનો છે. આ બધું ધનંજય કીરે સાવરકરનો હવાલો આપીને સાવરકરના મૃત્યુ પછી પહેલીવાર કહ્યું છે. એક બીજી બાત પણ નોંધવી રહી. ખરે ટાણે મૂંગા રહીને છ દાયકા પછી ઢીંગરાની બહાદુરીનો શ્રેય લેવો એ ઢીંગરા સાથે અન્યાય નથી? વીર ઢીંગરા કે સાવરકર?

ધનંજય કીરે સાવરકરના ચરિત્રમાં આ ઉમેરો સાવરકરના અવસાન પછી કર્યો હતો અને પુસ્તકનું નામ બદલીને ‘વીર સાવરકર’ કર્યું હતું. અનુકૂળતા મુજબ ફેરફાર કરવાની આ પ્રવૃત્તિ સાવરકર પણ કરતા હતા. તેમનાં પુસ્તકની બે આવૃત્તિ ભાગ્યે જ એક સરખી જોવા મળશે. જેમ કે ૧૮૫૭ના વિદ્રોહના ઇતિહાસની પહેલી આવૃત્તિમાં તેમણે મુસલમાનોના યોગદાનની ભારોભાર પ્રસંશા કરી છે, પરંતુ પાછળથી જ્યારે તેઓ મુસ્લિમવિરોધી હિન્દુત્વવાદી બન્યા એ પછીની આવૃત્તિમાં મુસલમાનોની કરેલી પ્રસંશા તેમણે કાઢી નાખી હતી.

ગમે તેમ સાવરકરે ભલે ત્યારે નહોતું કહ્યું કે ઢીંગરા તેમના કબજામાં હતો, પરંતુ અંગ્રેજોને તેની જાણ હતી. અંગ્રેજો શું ભારતીયો પણ આ જાણતા હતા. ગાંધીજીએ તો એ જ સમયે વાઈલીની હત્યા પછીના બીજા પખવાડિયે લખેલા લેખમાં આનો ઈશારો કર્યો છે જે આગળના લેખમાં ગાંધીજીને ટાંકીને કહેવામાં આવ્યું છે. ગાંધીજીએ લખ્યું હતું કે ઢીંગરા નિર્દોષ છે. સજા તો ઢીંગરાને ઉશ્કેરનારને થવી જોઈએ. અંગ્રેજો સાવરકર સુધી પહોંચવા માટે તક શોધી રહ્યા હતા અને એ તક તેમને નાસિકમાં નાસિકના કલેકટર ડૉ એ.અમ.ટી. જેકસનના અનંત ક્ન્હેરેએ કરેલા ખૂન વખતે મળી ગઈ હતી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 ડિસેમ્બર 2021

Loading

2 December 2021 admin
← હવે જ કિસાન આંદોલન અને રાજનીતિની કસોટી છે
સ્ત્રીની સંખ્યા વધી, પણ શોષણ ઘટ્યું નથી – →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved