Opinion Magazine
Number of visits: 9449457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્તમાન પરિસ્થિતિમાં સાહિત્યની સંસ્થાઓ પ્રતિ

અરવિંદ દેસાઇ રમેશ સંઘવી સુદર્શન આયંગાર મહેન્દ્ર ભટ્ટ તેમ જ સુખદેવ પટેલ|Opinion - Literature|1 June 2017

એવું નથી લાગતું કે માનવીય ચેતના કટોકટીમાંથી પસાર થઇ રહી છે; બુદ્ધિ અને પ્રજ્ઞાના સહયોગ દ્વારા, સમગ્રતાનું શિક્ષણ પામવાની દિશા ધૂંધળી થતી જાય છે; અહં અને મમના દ્વંદ્વને કારણે સમગ્રતાના શિક્ષણની દિશા સામે અનેક પડકારો ઊભા થયા છે? પરિણામે આપણે સંવાદની ભૂમિકાથી અળગા થતા થઇ રહ્યા છીએ.

શું કરાય?

છોડીને ભાગી જવાથી તો ઉકેલ નહીં જ આવે એવી પાકી શ્રદ્ધા, સમજ હજુયે જીવે છે. પ્રયત્નને સ્થાન છે. સામે ગાંધી, ટાગોર, શ્રી અરવિંદ, જે. ક્રિષ્ણામૂર્તિ અને શ્રદ્ધેયા વિમલા તાઈ  વગેરેનાં ચિંતનો તરફ મન ગતિ કરે છે. વર્તમાન પરિસ્થિતિની વિષમતા અને વિસંવાદ વચ્ચે એવું કંઈક કરીએ જેથી ખુલ્લા મન અને હૃદય સાથે નવા સમાજની રચના માટેની અભિપ્સા, જે યુવકોમાં જોવાય છે તેને બળ મળે. આવું મંથન કરનારા વિવિધ ક્ષેેત્રોના અગ્રણીઓ, સમાજના હિતચિંતકો સાથે સંવાદની ભૂમિકાએ મથીએ ને નિરાશા હતાશાથી મુક્ત થઈ પ્રવૃત્ત થવાય.

હમણાં પાનખર ચાલે છે, નવી પ્રેરણા, નવો સંદેશ અનુભવાય છે. સહજભાવે નિર્મોહ થઇ વૃક્ષો, જૂનાં પાંદડા તજીને નવાંને આવકારવા સજ્જ થઈ રહ્યાં છે, એને જોવામાં આનંદ અનુભવાય છે. એ જ રીતે મનમાં પડેલાં, ઘર કરી બેઠેલાં બદ્ધમતો અને ગ્રંથિઓથી મુક્ત થઈ જીવવાની પ્રેરણા સ્ફુરે છે, પણ ગ્રંથિઓની પકડમાંથી છૂટાતું નથી. નવા માર્ગનાં સ્પંદનો આવે છે પણ ભૂતકાળ પકડી રાખે છે. વર્તમાનને પ્રેરણા આપવી-લેવી એ કુદરતી પ્રક્રિયા છે. શ્રદ્ધેયા વિમલાતાઈના શબ્દોમાં,

“જીવન આપણને ત્યારે જ શીખવવા તૈયાર થાય છે જ્યારે ભૂતકાળને ખુલ્લો કરી, જાગ્રત સંવેદનશીલતાને આવકારીએ. પ્રતિક્રિયારહિત અવધાનથી, જગતના પદાર્થોમાં લોપાયા વિના, નામકરણ કર્યા વિના જોઈએ, જ્યારે જૂનું મન સાપેક્ષ સંબંધોથી યુક્તમન હરખશે ત્યારે જ જીવનનું શિક્ષણ શરૂ થાય છે. અવધાનના દર્પણમાં આત્માનો પ્રકાશ મૌનની અવસ્થામાં બધું અજવાળે છે.

મન જ્યારે અવધાનમાં જીવે છે ત્યારે બદ્ધમતોની ગ્રંથિઓ જુએ છે અને ત્યારે અવધાન Awarness શ્વાસોચ્છ્‌વાસ જેવું સહજ બની, સહજ અને સ્વયં સ્ફૂર્ત બની રહે છે, ત્યારે સમગ્ર જીવનના પ્રકાશમાં પ્રેરણા પ્રવૃત્ત થાય છે. આપણને અંદરથી ભીંજવી નાખે છે.”

‘જે શોધે છે એ પામે છે’ એ શાશ્વત્‌ સત્ય છે, સંતોના જીવનમાંથી એ સમજાય છે. એમાંથી જીવન પ્રત્યેની શ્રદ્ધાને બળ મળે છે. સ્વસમજણનો દીપ આપણે સૌ પ્રજ્જવલિત કરીને, માનવજાત સામેના પડકારોને ઝીલવા આપણે કટિબધ્ધ થઇએ તો “સહુજન હિતાય, સહુજન સુખાય”ની દિશામાં ચાલીને ઇશ્વરી પ્રેરણાને આવકારીએ.

પ્રેમ અને કરુણા એ આત્મબળની અભિવ્યક્તિ છે એટલે કે મનુષ્ય પાસે એવું કોઈ તત્ત્વ છે જેને આપણે આત્મા કહીએ છીએ. આજના પદાર્થવિજ્ઞાનવેત્તાઓ એને Energy of supreme intelligence કહે છે. બ્રહ્માંડ વ્યાપ્ત છે, એને પરમાત્મા કહે છે અને દેહમાં વ્યાપ્ત છે એને આત્મા કહ્યો છે. આપણી સમજ અને સત્ય એમાં છે કે પશુતાને સમજી એનાથી મુક્ત રહીએ, એ આપણા પર સવાર ના થાય એ રીતે એને વશમાં રાખી. ભૂતકાળના સંસ્કારો આપણા પર સવાર ન થાય એવી સમજણ વિક્સિત કરી શકીએ. આપણે શિક્ષણપ્રેમી લોકો પ્રથમ મનુષ્ય બનવાનો પરમાર્થ કરીએ અને મનુષ્ય બની રહેવાનું પ્રણ લઈએ તો ઇશ્વરી પ્રેરણા પ્રવૃત્ત થઇ શકે.

આજે ગુજરાતી સાહિત્ય જગતમાં વિવાદઅને વિખવાદના જે સમાચાર જાહેર માધ્યમોમાં વાંચવા મળે છે, ભાષાનો જે પ્રયોગ થઈ રહ્યો છે તેમાં સૌથી વધુ તો સંવેદનશીલતાને આઘાત પહોંચી રહ્યો છે, એની વેદના અનુભવાય છે.

સાહિત્યકારો સંવેદનશીલતાની અભિવ્યકિત કરતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરીષદ તો સાહિત્યકારોની કર્મભૂમિ છે. એની અને ગુજરાત સાહિત્ય અકાદમીની પરસ્પરની અભિવ્યક્તિમાં કડવાશ વધે નહીં અને સંવાદની ભૂમિકા સધાય તથા સાથે મળીને સ્વાયત્તતા અંગે રસ્તો શોધે એ અંગે અમારી નમ્ર અપીલ છે. શાંત ચિત્તે, અહંને વચ્ચે લાવ્યા વિના સાહિત્યક્ષેત્રની સ્વાયત્તતાનું ચિંતન થશે તો તેમાં સૌનું ગૌરવ સચવાશે. સ્વાયત્તતાની ઝંખના તો સૌની છે, પ્રશ્ન રસ્તો શોધવાનો છે. એ સંવાદ દ્વારા જ શક્ય બનશે. નિરાગ્રહી ચિત્ત સાથે આગળ વધશું તો શુભ માર્ગ સૂઝી આવશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 08

Loading

1 June 2017 admin
← માફ કરજો, આ નાટક થશે જ
કુદરતના વંટોળ અને માણસના વિકાસનાં વાવાઝોડામાં આપણે ક્યાં સુધી વૃક્ષોને ગુમાવતાં રહીશું ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved