Opinion Magazine
Number of visits: 9504766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૩) 

સુમન શાહ|Opinion - Literature|25 August 2024

ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ છે : કવિતા સમગ્ર; સમગ્રની સૃષ્ટિ – ટોટલ પોએટ્રી; એક સુસમ્પન્ન સૃષ્ટિ – ઍકમ્પ્લીશ્ડ વર્લ્ડ. કવિએ પોતે ‘સમગ્ર કવિતા’ શીર્ષક આપ્યું છે. શીર્ષક ઔપચારિક નથી, એમાં કાવ્યશીલ સમગ્રતાનો પણ સંકેત છે.

એનું પ્રકાશન ૧૯૮૧-માં. ૧૯૩૧-થી ૧૯૮૧ લગીના ૧૦ કાવ્યસંગ્રહોનો એ સર્વસંગ્રહ છે : “વિશ્વશાન્તિ” – ૧૯૩૧; “ગંગોત્રી” – ૧૩૪; “નિશીથ” – ૧૯૩૯; “પ્રાચીના” –  ૧૯૪૪;  “આતિથ્ય” –  ૧૯૪૬; “વસંતવર્ષા” – ૧૯૫૪; “મહાપ્રસ્થાન” – ૧૯૬૫; “અભિજ્ઞા”- ૧૯૬૭; “ધારાવસ્ત્ર” – ૧૯૮૧; અને “સપ્તપદી”- ૧૯૯૧.

ઉમાશંકરના કવિવ્યક્તિત્વની પહેલી આકર્ષકતા એ છે કે એમણે કશીપણ દિલચોરી વિના એ સર્વસંગ્રહમાં પોતાની તમામ રચનાઓ રજૂ કરી છે. તેમાં એક જાતનો સન્માન-ભાવ પણ છે – પોતે લખ્યું, કાવ્ય નામે પ્રકાશિત કર્યું, તે સમગ્રને વિશેના સન્માનનો ભાવ. એમાં, આત્મશ્રદ્ધા અને ‘સરજ્યું તે બધું આ રહ્યું’ પ્રકારની વિરતિ એકમેકમાં ઓતપ્રોત છે.

૧૯૩૧-થી ૧૯૮૧ લગીનાં ૫૦ વર્ષ, એટલે કે કવિનાં ૭૦ વર્ષના આયુષ્યનો લગભગ પૉણો ભાગ, કાવ્યલેખનમાં કેમ ખરચાયો અને કેવો તો ફળ્યો તેનું એ સર્વસંગ્રહ ધીંગું નિદર્શન છે. એનાં ૮૦૦-થી પણ વધુ પાનાં પલટાવતાં લાગે કે એમાંની ઘણી બધી રચનાઓને આપણે ભૂલી ગયા છીએ, પરન્તુ ૫૦ વર્ષ લગી કવિતાને વિકસાવતા રહેવાની આ સ્વનિયુક્ત પ્રવૃત્તિએ કવિમાં જ એક ઇતિહાસ રચ્યો છે. મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે પણ છે.

મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે છે કે એમણે એ કાવ્યપુરુષાર્થને ઍકમ્પ્લીશ કર્યો છે, પોતાની કવિતાની એક પ્રકારની આશાયેશ અનુભવી શકાય તેવી સમ્પૂર્તિ રચી છે. શબ્દસૃષ્ટિની એવી સમ્પૂર્તિ બહુ ઓછાઓમાં હોય છે : કાલિદાસમાં છે, શેક્સપીયરમાં છે; રવીન્દ્રનાથમાં છે; બૅકેટમાં છે. એક પ્રકારે ગોવર્ધનરામ, મુનશી અને રાજેન્દ્ર શાહમાં પણ છે.

••••

એમની સમગ્ર કવિતાની આ લાક્ષણિક સમ્પૂર્તિ મારા આ લેખનનું કેન્દ્રવર્તી વિષયવસ્તુ છે. મારા અધ્યયનને પરિણામે હું ૩ તારણો પર આવ્યો છું : 

૧ : ઉમાશંકરે પોતાની કાવ્યસર્જનાનું કેન્દ્ર શોધી લીધું છે. એ કેન્દ્રને સ્વકીય ધૉરણોથી દૃઢ કર્યું છે, પોતાની જમીન બનાવી છે, કવિ તે પર ઊભા છે, કવિ તે ભૉંય પર ટકેલા કવિ છે.

૨ : મુખ્યત્વે એમનામાં કવિકર્મની સમ્પૂર્તતા છે. તેઓ અમુક અને આટલુંક સરજીને બેસી નથી રહ્યા, કાવ્યના તરીકા, કસબ, બદલી બદલીને વિકસ્યા છે. કેન્દ્ર વિસ્તરતું રહેતું વર્તુળ બન્યું છે. કવિ કાવ્યધનસમ્પન્ન થયા છે, કાવ્યસત્તાધીશ થઈ શક્યા છે. એમની સિસૃક્ષા એમના કવિકર્મથી શક્યતમ આવિષ્કૃત થઈ છે. ‘મંગલ’ શબ્દથી શરૂ થયેલી સર્જનયાત્રા ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ એવા વિરામ પાસે પૂર્ણ થઈ છે, અથવા અટકીને ટકી છે. 

૩ : એક નૈષ્ઠિક કવિ કે કલાકાર આપી આપીને મનુષ્યજાતિને શું આપી શકે? એક તુલ્યબળ કલ્પન કે વૅલમેડ મૅટાફર. ઉમાશંકરને જગત સામે ધરવા સમું સાવયવ કલ્પન લાધ્યું છે અને તેને તેઓ શબ્દમાં મૂકી શક્યા છે. લેખન જો મૅટાફર છે, તો એવો મૅટાફર તેઓ રચી શક્યા છે. 

એ સંદર્ભમાં, “સમગ્ર કવિતા”-ને હું ૩ વર્તુળમાં મૂકું છું : 

૧: જીવન-સ્વીકૃતિ 

૨ : જીવન-સ્વીકૃતિ વિશે પ્રશ્ન

૩ : સમ્પૂર્તિ – એક જાતનું સમાધાન, મનમનાવણ કે ઠરણ. 

દરેક વર્તુળમાં કર્નલ સ્પોટ કહેવાય તેવી રચનાઓ છે. કર્નલ સ્પૉટ એટલે, કોર, ઇસેન્સ, વસ્તુનો ગર્ભ ભાગ; વિમાનમાંથી નીચે જોતાં જે મુખ્ય હોય એ જ દેખાય, સંલગ્ન બધું આવૃત થઇ ગયું હોય; તે. બીજા શબ્દોમાં કહીએ તો પરાકોટિ-રૂપ રચનાઓ, જેમાં તે કોટિની અનેક રચનાઓનો સમાવેશ આપોઆપ થઇ ગયો હશે એમ કલ્પી શકાય.

(ક્રમશ:)
(24 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 August 2024 Vipool Kalyani
← જમ્મુ કાશ્મીરની ચૂંટણીઃ ભા.જ.પા. માટે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કસોટીની એરણે ખરા ઉતરવાનો વખત
રઘુરામ રાજન જેવા તેજસ્વી લોકોને તગેડી મૂકો અને લેટરલ એન્ટ્રીનો મહિમા કરો એ વિચિત્ર નથી? →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved