
ધોમધખતા તાપમાં પગે ચાલીને જે ઘરે જાય, તેને 'કોરોના વૉરિયર' કહેવાય? (50 રૂપિયા એક્સ્ટ્રાવાળી) શ્રમિક ટ્રેનમાં બેસવા માટે પૈસા ન હોય અને છતાં ય પરિવાર પાસે પહોંચવાનું હોય, તેને 'કોરોના સામે યુદ્ધ' કહેવાય? રસ્તામાં પોલીસ માર મારે, છતાં જે 'સાહસ'થી યાત્રા ચાલુ રાખે, તે ફૂલવર્ષા માટે લાયક ગણાય? 45 વર્ષનો બાંધકામ કામદાર, વિશ્વનાથ શિંદે, તેની 70 વર્ષનાં અંધ અને અપંગ કાકીને, નવી મુંબઈથી ઊંચકીને 459 કિલોમીટર દૂર અકોલામાં આવેલા ગામડે જઈ રહ્યો છે. "કાકીના પરિવારમાં બધા જ મરી ગયાં છે. એ સાવ જ એકલાં છે," શિંદેએ કહ્યું હતું. શિંદેની સાથે તેની પત્ની, બે બાળકો અને એક અંધ બહેન પણ આ 'યાત્રા'માં સામેલ હતી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020
![]()


આવનારાં વર્ષોમાં દુનિયામાં લોકશાહીઓનો મૃત્યુઘંટ વાગશે? યુરોપિયન સંઘના સભ્ય હંગેરીમાંથી તેની શરૂઆત થઇ છે. ત્યાં એક દાયકાથી શાસન કરી રહેલા એકાધિકારવાદી પ્રધાનમંત્રી વિક્ટોર ઓર્બાંને, સંસદમાં બે તૃતીયાંશ બહુમતીના જોરે, ઈમર્જન્સી સત્તા હાથમાં લીધી છે. સંસદ બંધ કરી દેવામાં આવી છે. ભાવિ ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી હવે આદેશ(ડિક્રી)થી શાસન કરશે, અને જરૂર પડે કોઈપણ કાનૂન સસ્પેન્ડ કરી શકાશે.
ભારતમાં શીતળા માતાને ઓરી-અછબડા, ફોડલાની દેવી કહેવાય છે. ભારતમાં ૨૦૦ વર્ષ સુધી ઓરી-અછબડાની બીમારી રહી હતી. (૧૯૮૦માં વિશ્વ આરોગ્ય સંગઠને પૃથ્વી પરથી તેની સંપૂર્ણ નાબૂદીની જાહેરાત કરી હતી). એ ચેપી રોગ હતો, અને તેમાં બાળકોની ચામડી બળતી હતી અને ગરમ ફોડલા થતા હતા. રોગની કોઈ વૈજ્ઞાનિક સમજ ન હતી, એટલે તેને દેવી માતાનો પ્રકોપ માનવામાં આવતો હતો, અને દેવીને પ્રાર્થના કરવાથી શરીર ઠંડું થાય છે, તેવી માન્યતાથી રોગનું નામ શીતળાનો રોગ અને તેનો ઉપચાર કરાવનાર દેવીનું નામ (શીતળ પરથી) શીતળા માતા રાખવામાં આવ્યું હતું. સ્કંધપુરાણમાં હાથમાં લોટો, પંખો અને ઝાડું ધારણ કરીને ગદર્ભ પર બિરાજમાન દેવી તરીકે શીતળા માતાની કલ્પના કરવામાં આવી છે.
બીજી અને છઠ્ઠી સદીની વચ્ચે. રોમન સામ્રાજ્યમાં અનેક મહામારીઓ ફેલાઈ હતી. ઇસુ પૂર્વે ૧૬૫થી ૧૮૦ વચ્ચે અને ૫૪૧થી ૫૪૨ વચ્ચે યુરોપ અને એશિયામાં પ્લેગનો રોગ પ્રસર્યો હતો. પહેલામાં ૫૦ લાખ લોકો અને બીજામાં ૫ કરોડ લોકો માર્યા ગયા હતા. એમાંથી ભારતમાં દક્ષિણ એશિયાની પહેલી દેવી ‘હરીતી’નો ‘જન્મ’ થયો હતો. પ્રથમ સદીમાં આજના પેશાવરની આસપાસનો વિસ્તાર ગાંધાર કહેવાતો હતો (મહાભારતમાં જેના રાજા શકુની હતા. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી આ પ્રદેશની હતી), અને ત્યાં બૌદ્ધ પરંપરામાં ‘હરીતી’ની પૂજા શરૂ થઇ હતી. તે રાક્ષસી હતી અને નવજાત શિશુઓને ઉઠાવી જઈને તેમને ખાઈ જતી હતી. બુદ્ધે તેની ભ્રષ્ટ મતિને ઠીક કરી, પછી હરીતી ઓરી-અછબડાથી શિશુઓનું રક્ષણ કરનારી દેવી બની ગઈ.